Sunday, December 26, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૫

 

શરમ સામાજિક ભાવ છે, કુદરતી નહીં. આપણને એટલે શરમ નથી આવતી કે આપણે જે કર્યું છે તે અનુચિત છે. શરમ ન એટલે આવે છે કારણ કે બીજા કહે છે કે તે અનુચિત છે. આપણામાં શરમનો ભાવ ત્યાં સુધી જ રહે, જ્યાં સુધી આપણામાં બીજા લોકોના અભિપ્રાયનું મહત્ત્વ હોય. 

જો કોઈ ટોકવાવાળું ન હોય, તો આપણે શરમ ન અનુભવીએ. શરમ અનુભવવા માટે એ જરૂરી છે કે મને એ ખબર હોય મેં કોઈ ધારાધોરણનું ઉલ્લંઘન કર્યું છે. એટલા માટે ખાનગીમાં કરેલી અનીતિમાંથી માણસ કોઈ જ બોધપાઠ ના લે. તેની અનીતિ જેટલી સાર્વજનિક હોય, એની પાઠ શીખવાની સંભાવના એટલી વધુ હોય. ખાનગીમાં મનુષ્યને શરમ ન આવે. ખાનગીમાં વ્યક્તિ સામાજિક રીતે અનુચિત કામોને પણ ઉચિત જ માનતી હોય છે. દંભ એટલા માટે સૌથી ઉપયોગી અને હાથવગો ગુણ છે. એ સમાજને પણ સુખી રાખે છે અને આપણે જે કરવું હોય તે કરવાની ઇજાજત આપે છે.

Sunday, December 19, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૪

 

વિચારની ગહેરાઈનો ત્યારે જ પરિચય થાય, જ્યારે આપણે એ વિચારને શબ્દોમાં અભિવ્યક્ત કરીએ. ઇતિહાસના તમામ મહાન વિચારો- ચાહે ધાર્મિક હોય, ફિલોસોફીકલ હોય, વૈજ્ઞાનિક હોય, આર્થિક હોય, સાહિત્યિક હોય- શબ્દોમાં ઉતરીને નક્કર બન્યા હતા. મોટાભાગના લોકોને ખ્યાલ નથી કે લખવું એ માત્ર સંવાદ કે કોમ્યુનિકેશનનું માધ્યમ નથી, એ વિચાર કરવાની જ એક રીત છે. વિચાર અનિત્ય અને અસ્થાયી હોય છે. શબ્દો તેને નક્કરતામાં અંકિત કરે છે. શબ્દો વિચારના એટમને તોડીને તેની અધકચરી ઉર્જાને રિલીઝ કરે છે. ઉત્તમ રીતે વિચારતા લોકો હમેશાં તેમના વિચારોને ફરી-ફરી લખે છે, જેથી તેમનું વિચારવાનું વધુ સ્પષ્ટ અને રચનાત્મક બને. સારો લેખક એ નથી જેને સારું લખતાં આવડે છે. સારો લેખક એ છે જેને સારું વિચારતાં આવડે છે.


Sunday, December 12, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૩

ઈમોશનલ મેનેજમેન્ટ અથવા ઈમોશનલ ઇન્ટેલિજન્સ એટલે અંગત કે વ્યવસાયિક સંબંધોમાં પોતાની અને અન્ય લોકોની લાગણીઓને સકારાત્મક દિશામાં નિયંત્રિત કરીને પારસ્પરિક ઘર્ષણો ટાળવાં તે. એવી વ્યક્તિમાં આ ૫ વિશેષતાઓ હોય...

૧. પોતાની લાગણીઓને પારખી શકે (સેલ્ફ અવેરનેસ) 

૨. વ્યવહારિક રીતે તેનો શું અર્થ થાય તે સમજી શકે (સેલ્ફ એનાલિસિસ)

૩. એ લાગણીઓની બીજા પર શું અસર થાય, તેનાથી વાકેફ હોય (એમ્પથી)

૪.  લાગણીઓને નિયંત્રિત કરી શકે (સેલ્ફ રેગ્યુલેશન)

૫. બીજાની લાગણીઓને પારખી શકે અને નિયંત્રણમાં રાખી શકે (સોશ્યલ સ્કિલ)

ઈમોશનલ ઇન્ટેલિજન્સની પહેલી શરત એ છે કે લાગણીઓની બાબતમાં આપણે કેટલા ઉણા ઉતરીએ છીએ, તેને સમજવું પડે. તે પછી બીજાની લાગણીઓને સમજવાનું આસન થઇ જાય. "હું તો બરાબર જ છું. મારી આજુબાજુમાં લોકો મારુ લોહી પી જાય છે" એવું જે માનતા હોય, તે ઈમોશનલી ઇન્ટેલિજન્ટ ના કહેવાય, Foolish કહેવાય....

Saturday, December 11, 2021

વિવેકાનંદની વાણી : મણકો-૧૨

તમારી જગ્યાએ નુતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝુંપડીમાંથી, માછીમારોની  અને ઝાડુવાળાઓની ઝુંપડીઓમાંથી તેને જાગવા દયો. મોદીની દુકાનમાંથી, ધાણી-દાળિયા વેચનારાની ભઠ્હીમાંથી તેને કૂદવા દો. કારખાનાઓમાંથી અને બજારોમાંથી તેને બહાર નીકળવા દો. આ સામાન્ય જનતાએ હજારો વર્ષ સુધી એક પણ શબ્દ બોલ્યા વિના જુલમો સહ્યા છે. પરિણામે તેમનામાં અદ્ભુત સહિષ્ણુતા આવી છે. તેઓએ પાર વિનાનું દુઃખ વેઠયું છે કે જેમાંથી તેમને અખૂટ ખમીર મળ્યું છે. એક મૂઠીભર અનાજ ઉપર નભી રહીને તેઓ દુનિયાને ઉથલપાથલ કરી શકે છે. જો ફક્ત અર્ધો રોટલો જ તેમને આપો તો તેમનું તેજ ત્રણેય લોકમાં સમાશે નહિં.

વિજય મેળવવા માટે તમારામાં અદ્ભુત ખંત તથા પ્રબળ ઇચ્છાશક્તિ જોઈએ. ખંતીલી વ્યક્તિ તો કહેશે, હું સમુદ્રને પી જઈશ, મારી ઈચ્છાઓ આગળ પર્વત પણ ભાંગીને ભુક્કો થઈ જશે. આ જાતનો ઉત્સાહ, આ જાતની ઇચ્છાશક્તિ ધારણ કરો, ખૂબ મહેનત કરો અને તમે લક્ષ્યસ્થાન પર જરૂર પહોંચશો.  

Tuesday, December 7, 2021

સર્જનની સરવાણી-૬૫

     

હું જેટલા વર્ષ જીવ્યો તેના કરતા હવે ઓછા વરસ મારે જીવવાનું છે તે નક્કી થઈ ગયા પછી મારા આત્માએ સુજાવેલ ઉત્તમ વિચારો

૦૧ ) કોઈ અંગતની વિદાયથી હવે મેં રડવાનું છોડી દીધું છે કારણ કે આજે તે અને કાલે મારો વારો છે..

૦૨ ) તે જ પ્રમાણે જો મારી વિદાય અચાનક થઈ જશે તો મારા પછી આ લોકોનું શું તે વિચારવાનું પણ છોડી દીધું છે કારણ કે મારા ગયા પછી કોઈ ભૂખ્યું રહેવાનું નથી અને મારી સંપત્તિ કોઈ છોડવાનું કે દાન ધર્મ કરવાનું પણ નથી.

૦૩ )  સામેવાળીવ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી.

૦૪ ) ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. 

૦૫ ) નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.

૦૬ ) ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.

૦૭ ) રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું.

૦૮ ) વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.

૦૯ ) ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.

૧૦ ) સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.

૧૧ ) બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાઈ ગયું છે.

૧૨ ) હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.

૧૩ ) જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. 

૧૪ ) હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.

૧૫ ) ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલા માં સંતોષ થાય છે.

૧૬ ) પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.

 ૧૭ ) ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું

૧૮ ) નરકની વચ્ચે પણ સ્વર્ગ જેવું જીવન મે હવે બનાવી દીધું છે.. આપ પણ જરા વિચારી યોગ્ય સુધારો કરવાનો પ્રયત્ન કરશોજી.

✍🏻 આયખાના દિવસોનું સરવૈયું  ........ ફેસબુક પરથી અનિલભાઈ જોશીની પોસ્ટમાંથી સાભાર 

Sunday, December 5, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૨

સ્મૃતિઓ ક્યારેય 'સાચી' નથી હોતી. લોકો કહેતા હોય છે કે 'મને જાણે કાલે જ બન્યું હોય તેમ યાદ છે.' એના માટે એક શબ્દ પણ છે 'ફ્લેશબલ્બ સ્મૃતિ'; ફોટો જોતા હોઈએ તેવી સ્મૃતિ, પણ આપણી યાદો પર લાગણીઓ, અનુભવો, માન્યતાઓ, માનસિક સ્થિતિના એટલા રંગ ચઢેલા હોય છે કે આપણે જે યાદ રાખીએ છીએ, તે મૂળ જે ઘટના બની હતી તેના કરતાં જુદી રીતે મગજમાં સ્ટોર થાય છે. તેમાંય, જે ઘટનામાં આપણે ભાવનાત્મક તીવ્રતા સાથે ભાગીદાર હોઈએ (દાખલા તરીકે દુર્ઘટના કે ઝઘડો), તેને આપણે બીજી સાધારણ ઘટના (દાખલા તરીકે ભણતાં-ભણતાં ઊંઘી જવું કે ચા પીવી) કરતાં 'જુદી' રીતે યાદ રાખીએ છીએ. એટલા માટે એક જ ઘટનાના સાક્ષી હોવા છતાં, આપણી સ્મૃતિ ક્યારેય બીજી વ્યક્તિની સ્મૃતિ સાથે મળતી નથી આવતી. આપણે બંને તેને ભિન્ન રીતે યાદ રાખીએ છીએ. ઇતિહાસ એટલા માટે જ અલગ-અલગ રીતે લખાય છે. એક દેશ તેના ભૂતકાળને બીજા દેશ કરતાં જુદી રીતે યાદ રાખે છે.

Tuesday, November 30, 2021

સર્જનની સરવાણી-૬૪

બર્થ ડે ઉજવવાની અનોખી રીત

ઉદારતાનો પ્રસાર કરવાની આંતરરાષ્ટ્રીય ચળવળ 'યોર ટર્ન નાઉ' ના સ્થાપક એવા ૪૦ વર્ષીય ઋષભ તુરખીયાએ પોતાના ૪૦માં જન્મદિવસ નિમિત્તે ઉદારતાના કાર્યો કરતા રહેવામાં માનતા અન્ય ૪૦ જણને પોતાની સાથે ઓછામાં ઓછું એક ઉદારતાનું કામ કરવા નામાંકિત કર્યા. તેમણે પોતાનો ૪૦મો જન્મદિવસ આ ૪૦ ઉદારતાનો પ્રસાર કરતી અને અન્યોને ખુશ થવાનો મોકો આપતી ચેષ્ટાઓ સાથે અનોખી રીતે ઉજવ્યો :

૧. ગાડી ધોઈ સ્વચ્છ કરનારાને ચા - બિસ્કીટ આપ્યાં 
૨. રસ્તામાં મળનાર અજાણ્યા જણને ગુલાબનું ફૂલ આપ્યું 
૩. રસ્તાની સાફસફાઈ કરનારને વેફર અને જ્યુસ આપ્યાં
૪. સિનિયર સિટીઝન સાથે જલેબીનો સવારનો નાસ્તો કર્યો 
૫. હોસ્પિટલના વોર્ડબોય કે વોર્ડલેડી સાથે સવારનો નાસ્તો કર્યો 
૬. ગટર સાફ કરનારને આભાર માનતી નોટ અને બિસ્કીટ આપ્યાં 
૭. ભીખ માંગતા બાળકોને દૂધ આપ્યું 
૮. વૃક્ષારોપણ કર્યું 
૯. માળીઓને મીઠાઈ આપી 
૧૦. પેટ્રોલ પંપ પર ચોકલેટ ફજનું વિતરણ કર્યું 
૧૧. બસ કે રીક્ષા ની કતારમાં ઉભેલા લોકોને ચોકલેટ આપી 
૧૨. ટપાલીઓ સાથે નાસ્તો કર્યો 
૧૩. ડબ્બાવાલાઓ સાથે નાસ્તો કર્યો 
૧૪. મન સંસ્થાના દીવ્યાંગ બાળકોને યોગનું શિક્ષણ આપ્યું 
૧૫. એંજલ એક્સપ્રેસ ફાઉંડેશન સંસ્થાના ગરીબ બાળકોને ગણિત શીખવવાનું ખાસ સત્ર યોજ્યું 
૧૬. સિક્યોરિટી અને હાઉસ કીપીંગ સ્ટાફના કર્મચારીઓને મીઠાઈ આપી 
૧૭. જરૂરિયાતમંદને પુસ્તકોનું વિતરણ કર્યું 
૧૮. અનાથાશ્રમમાં કપડાંનું વિતરણ કર્યું 
૧૯. સુથાર અને રંગારાઓને બપોરનું જમણ આપ્યું 
૨૦. ડ્રાઇવર્સને નાસ્તો આપ્યો 
૨૧. બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને ગાડીમાં લિફ્ટ આપી ૨૨. કન્યાને એક વર્ષનું શિક્ષણ આપ્યું 
૨૩. બેઘર લોકોને જમણ આપ્યું 
૨૪. રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દીવ્યાંગ જનને વ્હીલચેરનું દાન કર્યું 
૨૫. પ્રીસ્કૂલની આયા-મૌશીઓને લંચ પેકેટ આપ્યાં 
૨૬. ચોક્કસ સાઇટ પર મજૂરી કરતા લોકો સાથે જમણ કર્યું 
૭. ટ્રાફિક પોલિસને ઠંડા પાણીની બોટલનું વિતરણ કર્યું 
૨૮. રસ્તા પરના ફેરિયાઓને જ્યુસ આપ્યું 
૨૯. અહિંસા સંસ્થાને પ્રાણીઓ માટે વિટામિન્સ ની દવાઓનું દાન કર્યું 
૩૦. હોટેલમાં વેઇટર્સને મીઠાઈના પેકેટ આપ્યાં 
૩૧. જય વકીલ સ્કૂલના દીવ્યાંગ બાળકોને આર્ટ મટિરિયલનું વિતરણ કર્યું 
૩૨. માળીઓને એક મહિનાના રેશનનું વિતરણ કર્યું 
૩૩. શેરીના બાળકો સાથે રમત રમી 
૩૪. અજાણ્યા જણને જાદૂકી ઝપ્પી (ભેટવું) આપી 
૩૫. પોતાની સ્કૂલના આચાર્યની સૌજન્ય મુલાકાત લીધી 
૩૬. જરૂરિયાતમંદને ટૂથબ્રશ અને ટૂથપેસ્ટનું વિતરણ કર્યું 
૩૭. નર્સીંગ હોમમાં નર્સને ફૂલ અને મીઠાઈ આપ્યાં 
૮. ફુગ્ગા વેચનારાને મિલ્કશેક આપ્યું 
૩૯. રિક્ષા ડ્રાઇવર્સને આઇસક્રીમ આપ્યાં
૪૦. પોતાના શરીરના ૧૧ અવયવો - કિડની, હ્રદય, લિવર, ફેફસાં, પેનક્રીઆઝ, આંખો, ત્વચા, આંતરડું, કાનના પડદા, હ્રદયનો વાલ્વ, હાડકાં નાં દાનનો નિર્ણય કર્યો.

( ટેલીગ્રામ પરથી લોકડાઉન સમયની મળેલી અનોખી વાતો  )

Sunday, November 28, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૧

તમામ ગુસ્સાના મૂળમાં અતૃપ્ત ઈચ્છાઓ હોય છે. જેમ ઈચ્છાઓ વધતી જાય, તેમ ગુસ્સો પણ વધતો જાય. બાળપણમાં આપણે ગુસ્સે નથી હોતા કારણ કે મમ્મી-ડેડી 'કહ્યા' માં હોય છે, અને દરેક સ્થિતિ આપણી અનુકૂળ હોય છે. આપણી જરૂરિયાતો પણ મર્યાદિત અને આસાનીથી પુરી થાય તેવી હોય છે. મોટા થઈને ઈચ્છાઓ બદલાય, ત્યારે સમજાય છે કે વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ તો કંટ્રોલની બહાર છે. ગુસ્સાનું મૂળ આ છે; વ્યક્તિઓ અને પરિસ્થિતિ તો એની એ જ છે, પણ આપણી જરૂરિયાત બદલાઈ ગઈ છે. મમ્મી-ડેડી તો એનાં એ જ છે, પણ આપણી અપેક્ષા બદલાઈ ગઈ છે. સમાજ તો એનો એ જ છે, આપણી રીત બદલાઈ ગઈ છે. 

બધું આપણને અનુકૂળ નથી હોતું એટલે ગુસ્સો આવે છે. જેને કોઈની પાસેથી કશું જોઈતું જ ન હોય, એના માટે શાંત રહેવું આસાન હોય છે. આંતરિક કે બાહ્ય સ્તરે, દુનિયામાં અત્યારે લોકોમાં સૌથી વધુ ગુસ્સો છે. નાની ઉંમરે આપણામાં ગુસ્સો આવી જાય છે..આટલી અભૂતપૂર્વ પ્રગતિ પછી મનુષ્યજાત શાંત કેમ નથી?

Tuesday, November 23, 2021

સર્જનની સરવાણી-૬૩

         

        જેઆરડી. તાતાના એક મિત્રને વારંવાર તેની પેન ખોઈ નાખવાની ટેવ હતી. પોતાની આ બૂરી આદતથી તે પરેશાન થઈ ગયો હતો . આથી તે સસ્તી પેન વાપરતો હતો જેથી પેન ખોવાઈ જાય તો પણ  ચિંતા નહીં. પરંતુ પેન ખોવાઈ જવાનું બંધ થતું નહોતું. અંતે તેની આ કુટેવ થી કંટાળી ને તેણે એક વખત જેઆરડી તાતા ને પોતાની આ બેદરકારી વિશે કહ્યું. જેઆરડી એ તેને સાંભળ્યા પછી એક સૂચન કર્યું.

       જેઆરડીએ તેને સૌથી મોંઘી પેન ખરીદવાનું કહ્યું. મિત્ર ને મોંઘી પેન  પરવડી શકે તેમ હતી. તેણે ૨૨ કેરેટની ગોલ્ડ પેન ખરીદી. લગભગ છ મહિના પછી જેઆરડી. તેના મિત્રને મળ્યા ત્યારે પૂછ્યું કે હજુ પણ તેની પેન ખોવાઈ જાય છે કે નહીં. મિત્રએ સ્મિત કર્યું અને કહ્યું કે તે આશ્ચર્યચકિત છે કે હવે તેની પેન ખોવાઈ જતી નથી. તેની પેન વિશે તે બહુ કાળજી રાખે છે.

        જેઆરડીએ તેને સમજાવ્યું કે  તફાવત પેનનું મૂલ્ય  છે. પહેલાં એવું નહોતું કે એક વ્યક્તિ તરીકે તે બેદરકાર હતો કે પછી તેનામાં કોઈ ઉણપ હતી. પહેલા તેને તેની પેનનું કોઈ મૂલ્ય નહતું. પરંતુ હવે પેન કિંમતી  હોવાથી  તેને મન તેનું મૂલ્ય ઘણું વધી ગયું હતું.!

    આપણા સૌના જીવનમાં પણ આવું બને છે. આપણે કોઈ વિશે બેદરકારી ત્યારે દાખવીએ છીએ જ્યારે આપણને  તેના વિશે  કદર નથી હોતી.સાવચેત રહેવું એ માનવીનું મૂળભૂત લક્ષણ છે પરંતુ આપણે મન જેનું મૂલ્ય વધુ હોય અને જેની સૌથી વધુ કદર કરતા હોય તેના વિશે આપણે વધારે સાવચેતી , વધુ કાળજી રાખીએ છીએ.


Sunday, November 21, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૦

બીજા લોકોનું પ્રમાણપત્ર ક્યારે પ્રેરણમાંથી કેદ બની જાય તેની સભાનતા હોય તે વ્યક્તિને જ શાંતિ નસીબ હોય. આપણે આપણી આંતરિક પ્રેરણા અનુસાર આપણા જીવન પથ પર ચાલીએ છીએ, અને એમાં અધવચ્ચે બીજા લોકોનાં પ્રમાણપત્રો આપણો અવાજ બની જાય, ત્યારે આપણે બહુ આસાનીથી આપણા સુખ અને શાંતિને બીજા લોકોના હાથમાં મૂકી દઈએ છીએ. આપણને ચૈનથી ઊંઘ આવે એની જવાબદારી આપણા ચાહકોની નથી. આપણા ચાહકો તો તેમના ચૈનની તલાશમાં આપણી આસપાસ ટોળે વળેલા હોય છે. એમાં એમને જે જોઈએ છે તે ન મળે, તો જે હાથ આપણા માટે તાળી પાડે, એ જ હાથ આપણને ચૂંટી પણ ખણી શકે છે. 

આ સમજ હોય તે વ્યક્તિ જ સફળતા અને લોકપ્રિયતાને જીરવી શકે. બીજા લોકો આપણને ચાહે ત્યાં સુધી તો બરાબર છે, પણ આપણી કમબખતી ત્યારે શરૂ થાય જ્યારે આપણે આપણા ફેન થઈ જઈને તાળીઓ પાડવા માંડીએ.

Tuesday, November 16, 2021

સર્જનની સરવાણી-૬૨

         


        હેપી બર્થ-ડે આજથી 144 વર્ષ પહેલાં આજના દિવસે પાંચ ગુજરાતીઓએ વડના ઝાડ નીચે બોમ્બે સ્ટોક એક્સચેન્જની શરૂઆત કરી હતી.પાંચ ગરવા ગુજરાતીઓએ ચર્ચગેટ નજીક વડના ઝાડ હેઠળ શરૂ કરેલ સંસ્થા આજે ભારતીય અર્થતંત્રનો ધબકાર મનાય છે. આજે રૂ. 148 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતા બોમ્બે સ્ટોક એક્સેચેન્જમાં આરંભે સભ્ય ફી ફક્ત 1 રૂ. હતી. BSEના સ્થાપક પ્રેમચંદ રાયચંદ બ્રિટનની કોટન મિલની કુલ જરૂરિયાતનું 65% રૂ સપ્લાય કરતા હતા 

        અમદાવાદઃ રિઝર્વ બેન્કને જો ભારતીય અર્થતંત્રનું હૃદય ગણવામાં આવે તો એ હૃદય સુધી લોહી પહોંચાડનાર તંત્ર એટલે બોમ્બે-સ્ટોક-એક્સચેન્જ. એવું કહેવાય છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જને શરદી થાય તો સમગ્ર દેશને તાવ આવી જાય. દેશની આર્થિક ગતિવિધિના કેન્દ્રસ્થાને રહેલું આ શેરબજાર આજે 144 વર્ષનું થઈ રહ્યું છે. આજે સ્ટોક એક્સચેન્જની ઈમારત સમગ્ર મુંબઈનું પ્રતીક ગણાય છે પરંતુ 144 વર્ષ પહેલાં તેની શરૂઆત એ જ જગ્યાએ એક વડના ઝાડ હેઠળ થઈ હતી અને તેની સ્થાપનામાં મોખરાની ભૂમિકા ભજવનારા પાંચે પાંચ લોકો ગુજરાતી હતા. ભારત જેવા વિશાળ દેશની અર્થવ્યવસ્થાના આધારરૂપ ગણાતી આ સંસ્થા અને તેના સ્થાપકોની કહાની કોઈ ફિલ્મ કે નવલકથાને ય ટક્કર મારે એટલી રોચક છે.

            1 રૂ.ની સભ્ય ફીથી 148 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સુધીની રોચક કહાની

* મુંબઈનો ઈતિહાસ જેમના ઉલ્લેખ વગર અધૂરો કહેવાય એવા ગુજરાતી માલેતુજાર પ્રેમચંદ રાયચંદ ઓગણીશમી સદીના અગ્રણી બિઝનેસમેન હતા. મૂળ સુરતના જૈન પરિવારના પ્રેમચંદ એ જમાનામાં મુંબઈના એકમાત્ર એવા વેપારી હતા જે અંગ્રેજોની સાથે ધાણીફૂટ અંગ્રેજીમાં, ફ્રેન્ચ વેપારીઓ સાથે ફ્રેન્ચમાં અને પોર્ટુગિઝ સાથે સ્પેનિશ ભાષામાં વાત કરી શકતા હતા.

* એવું કહેવાય છે કે એ જમાનામાં સમગ્ર ગુજરાતમાં કપાસના વાવેતર થાય અને પાકેલો સઘળો માલ મુંબઈની દિશા પકડે ત્યારે તેનો એકમાત્ર ખરીદાર હોય પ્રેમચંદ રાયચંદ! દેશભરમાં થતાં કપાસના કુલ ઉત્પાદનનો અડધોઅડધ હિસ્સો ખરીદી લેતાં પ્રેમચંદ રાયચંદ કોટન કિંગ કહેવાતા.

* આજે જ્યાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ મેચ રમાઈ રહી છે ઈંગ્લેન્ડનું એ માન્ચેસ્ટર શહેર કોટન મિલનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. ઓગણીશમી સદીમાં માન્ચેસ્ટરમાં 180 જેટલી કોટન મિલ ધમધમતી હતી અને તેમાંની મોટાભાગની મિલને રૂનો સપ્લાય કરનારા પ્રેમચંદ રાયચંદ હતા.

* રૂના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે પ્રેમચંદ રાયચંદે જ મુંબઈમાં રૂના સટ્ટાની શરૂઆત કરી હતી. જેમાં દ્વારકાદાસ ગોકળદાસ, મથુરદાસ હરજીવન નામના કપોળ વણિક જ્ઞાતિના બે શેઠિયા પણ પ્રેમચંદના ભાગીદાર હતા. આ ભાગીદારોએ રૂ ઉપરાંત કોમોડિટી ઉત્પાદનોના સટ્ટાની શરૂઆત કરી. શરૂઆતમાં પ્રેમચંદના ભાયખલ્લા સ્થિત બંગલાના કમ્પાઉન્ડમાં સટ્ટો રમાતો. પરંતુ સંખ્યા ધીમે ધીમે વધવા લાગી આથી તેમણે સ્થળ બદલ્યું.

* ચર્ચગેટ નજીક હોર્નિમાન સર્કલ પાસે એ જમાનામાં ટાઉનહોલ હતો. આજે એ સ્થળે મોટું ઉદ્યાન બની ગયું છે. ત્યાં એક વડના ઝાડ હેઠળ પ્રેમચંદ, દ્વારકાદાસ, મથુરદાસ, ઘનશ્યામદાસ ખટાઉ અને દિનશા પીટીટ નામના પારસી મિલમાલિક, એમ પાંચ અગ્રણી વેપારીઓના માર્ગદર્શન હેઠળ સટ્ટાની પદ્ધતિસરની શરૂઆત થઈ. બ્રિટિશ પદ્ધતિ મુજબની શિસ્ત લાવવાના હેતુથી તેમાં નિયમો ઘડાયા. સટ્ટામાં ભાગ લેવા માટે સભ્ય ફી તરીકે 1 રુ. નક્કી થયો અને સંગઠનને નામ અપાયું નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. એ જ સંસ્થા એટલે આજનું બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ.

* શરૂઆતમાં આ એક્સચેન્જમાં કુલ 25 વેપારીઓ જોડાયા હતા, જેમાં 18 ગુજરાતી, 4 મારવાડી અને 2 દક્ષિણ ભારતીય અને 1 પંજાબી હતા. પ્રથમ મહિને જ સંખ્યા વધીને 318 સુધી પહોંચી. વડના ઝાડ હેઠળ ખુલ્લામાં ચટાઈ પાથરીને સટ્ટાના ભાવતાલ થતાં હોવાથી સાધારણ લોકો તેમને ચટાઈયા તરીકે ઓળખતા.

વડના ઝાડ હેઠળ પાંગરેલી સંસ્થા આજે અર્થતંત્રનું વટવૃક્ષ બની

* બોમ્બે સ્ટોક એક્સચેન્જની દરેક વાતોમાં ભવ્યતા રહેલી છે. અહીં થતાં સોદાની રકમ, દેશની ટોચની કંપનીઓની હાજરી, આર્થિક ઉથલપાથલ સાથે સંકળાયેલા લાખો પરિવારો એ દરેક દૃષ્ટિએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભારત કે એશિયાના જ નહિ, સમગ્ર દુનિયાની નમૂનેદાર આર્થિક સંસ્થા તરીકેનો દરજ્જો ભોગવે છે.

* 148 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ દુનિયાનું 11મા ક્રમનું સ્ટોક એક્સચેન્જ ગણાય છે. દરરોજ થતી સોદાની સંખ્યાના હિસાબે તેનો નંબર દુનિયામાં 5મો છે.

* બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 5000થી વધુ કંપનીઓ રજીસ્ટર્ડ થયેલી છે. આ સંખ્યાના મામલે તે દુનિયામાં નંબર 1 છે.

* દુનિયાભરના સ્ટોક એક્સચેન્જના નિયંત્રણ માટે વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જની રચના થયેલી છે, જેનું હેડ ક્વાર્ટર પેરિસમાં છે. આ સંસ્થાના સંચાલન માટે જે મુખ્ય સ્ટોક એક્સચેન્જ કાર્યરત છે તેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ પણ મોભાદાર સ્થાન ધરાવે છે.

Bombay Stock ExchangeEstablishment Of BSEGujarati Started BSE

સાભાર-વોટ્સએપ પરથી વિણેલાં મોતીડાં 

Sunday, November 14, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૯

 

પુસ્તકો આપણને 'કેવી રીતે' વિચારવું એ શીખવાડે છે.  સમાચારો આપણને 'શું' વિચારવું એ શીખવાડે છે. પુસ્તકો આપણી માનસિકતાને આઝાદ કરે છે. સમાચારો તેને કાબૂમાં કરે છે. સતત સમાચારો જોતા રહેવું એ માનસિક બીમારીનો જ ભાગ છે. આપણે રોજ જે સમાચારોને 'આરોગીએ' છીએ, તે આપણા વિચારો અને લાગણીઓના સ્વાસ્થ્ય તેમજ વર્તનને પ્રભાવિત કરે છે. દુનિયાની ખબર હોવી એ અલગ બાબત છે, પણ સતત સમાચારોનું સર્ફિંગ કરતા રહેવું એ નિકોટીન ચૂસવા બરાબર છે. એક સર્વમાં અડધો અડધ અમેરિકનોએ સમાચારોના કારણે સ્ટ્રેસ, બેચેની, થકાવટ અને અનિંદ્રાની ફરિયાદ કરી હતી

Thursday, November 11, 2021

વિવેકાનંદની વાણી: મણકો-૧૧

 

    ભારતીય સંસ્કૃતિની ગરિમાને ઉજળી કરનાર આપણા સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વમાંશ્રીમદ્‌ ભગવદ્‌ગીતાના જ્ઞાન અને જીવનના સાચા મૂલ્યની શીખામણ આપી છે. એમના શબ્દો જ એમની હાજરીની પ્રતિતી કરાવી જાય છે. આજે પણ એમની વાણી આપણને પ્રેરણા આપે છે. એમના કેટલાક અંશો..

        હે ! ભારતના યુવાનો આ દુનિયા મહાન કાર્યો અને સર્મપણ કરનારની જ પૂજા કરે છે. સામર્થ્યવાન માણસ જ કાંઇક હાંસલ કરી શકે છે. દુનિયા કાંઇ બાળકોની રમત જેવડી નથી. બીજા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારને જ તે ખરા મહાન પુરૂષ બનાવે છે. મહાન બનો અને સતત સર્મપણની ભાવના સાથે જીવન જીવો.

      ખુબ જ ઉચ્ચત્તમ કક્ષાનાં બલિદાન અને આત્મવિશ્વાસની આ દુનિયાને જરુર છે અને એ આપ સમાન યુવાન સિવાય કોઇ પણ કરી શકે નહી. સતત પ્રમાણિક પુરુષાર્થ અને ખંતથી કાર્ય કરતા રહો. નિસ્વાર્થ સેવા અને જીવનના બલિદાન સિવાય મુકિતનો મારગ શકય નથી. ઈશ્વરને સતત જાણતા રહેવંુ, એને સતત માણતા રહેવું, સતત એની હાજરીનો અનુભવ કરવો અને ઈશ્વરમાં જ વિહાર કરવો એ આપણો ધર્મ છે.

     અમેરિકાથી પ્રવાસ પૂર્ણ કરીને આવ્યા બાદ તેઓ વેદાંત ધર્મનો પ્રચાર કરવા માટે સ્વામી વિરજાનંદને ઢાકા મોકલે છે. પણ જતા પહેલા સ્વામી વિરજાનંદ એમ કહે છે કે સ્વામીજી મેં અત્યાર સુધી માત્ર સંન્યાસી તરીકે જ જીવન વિતાવ્યું છે. લોકોને સારી રીતે ઉપદેશ આપવાનું પણ હું જાણતો નથી, એની મારામાં કોઇ આવડત પણ નથી. આ વાત સાંભળીને વિવેકાનંદ એમને વેદનાં દષ્ટાંતથી સમજાવે છે કે તમે સ્વીકાર્યુ કે તમને નથી આવડતું એ જ સાચુ જ્ઞાન છે અને એટલા માટે જ તમે સારામાં સારો ઉપદેશ આપી શકશો. એક સંન્યાસીનું જીવન જ એનો સૌથી મોટો ઉપદેશ છે. બાકી તો અહીંયા બેસીને તમે કોઇ ઉદે્શ્ય હાંસલ કરી શકશો નહીં. મુકિત પામવા માટે લોકસેવા એ જ પ્રભુસેવાનો એક રાજમાર્ગ છે. આપણે માત્ર આપણા કર્મો કરવાના છે, પરંતુ એના ફળની અપેક્ષા કરવાની નથી. આ વાતો સાંભળીને સ્વામી વિરજાનંદ રાજી થાય છે અને સાચા જ્ઞાનની પ્રાપ્તિ કરીને બીજા જ દિવસે લોકસેવા કરવા લાગી જાય છે.

Sunday, November 7, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૮

20મી સદીના ઇતિહાસને ત્રણ વાદથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે; ફાસીવાદ, સામ્યવાદ અને ઉદારવાદ. ફાસીવાદે કહ્યું કે મૂળ રાષ્ટ્રોની સમસ્યા છે, અને કોઈ એક શ્રેષ્ઠ સમુદાય, એક શ્રેષ્ઠ રાષ્ટ્ર અથવા એક શ્રેષ્ઠ વંશ હિંસક રીતે પુરા વિશ્વ પર વર્ચસ્વ સ્થાપિત કરીને તમામ સમસ્યાઓનો અંત લાવશે. સામ્યવાદે આવીને કહ્યું, ના. ઇતિહાસ બે વર્ગો વચ્ચેની અસમાનતાનો સંઘર્ષ છે. સામ્યવાદ એક નવી સામાજિક વ્યવસ્થા સ્થાપીને  સમાનતા લાવશે, પછી ભલે તેના માટે વ્યક્તિગત આઝાદીનું બલિદાન આપવું પડે. ઉદારવાદે કહ્યું કે ઇતિહાસ સ્વતંત્રતા અને નિરંકુશ શાસન વચ્ચેનો સંઘર્ષ છે. ઉદારવાદે કહ્યું કે આપણે સ્વાધીન સમાજનું નિર્માણ કરવું જોઈએ. દ્વિતીય મહાયુદ્ધે ફાસીવાદનું ગળું ઘોંટી દીધું. શીત યુદ્ધમાં સામ્યવાદનો ધનોતપનોત નીકળી ગયું. 20 સદીના અંતે આપણી પાસે ઉદારવાદ રહી ગયો છે, અને છેલ્લા એક દાયકાથી તેની પર પણ ઘા પડવાના શરૂ થયા છે.

Tuesday, November 2, 2021

સર્જનની સરવાણી-૬૧

        જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ ૬૭ વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવન નિર્વાહની કોઈ ચિંતા નહોતી. 

        છતાં તેણે ૮૭ વર્ષના એક એકાકી વૃદ્ધની કાળજી રાખવાનું 'કામ' સ્વીકાર્યું હતું. મેં ક્રિસ્ટિનાને પૂછ્યું શું તે પૈસા માટે આ કામ કરી રહી હતી? તેના જવાબે મને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂક્યો. તેણે કહ્યું, "હું આ કામ પૈસા માટે નથી કરતી પણ હું મારો સમય 'ટાઇમ બૅન્ક'માં જમા કરાવું છું. જ્યારે હું ઘરડી થઈશ અને હલનચલન કરવા અસમર્થ બની જઈશ ત્યારે હું 'ટાઇમ બૅન્ક'માંથી એનો ઉપાડ કરી શકીશ." 

પહેલી વાર મેં 'ટાઇમ બૅન્ક' વિશે સાંભળ્યું. મને ઉત્સુકતા થઈ અને મેં એ વિશે વધુ જાણવા રસ દાખવ્યો. 

        મૂળ 'ટાઇમ બૅન્ક' સ્વીસ ફેડરલ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ સિક્યોરિટી દ્વારા વિકસાવાયેલો એક વૃદ્ધાવસ્થા માટેનો પેન્શન કાર્યક્રમ હતો. લોકો જ્યારે જુવાન હોય ત્યારે ઘરડાં લોકોની સેવા કરી સમયને 'જમા' કરે અને પછી પોતે ઘરડાં થાય કે માંદા પડે કે અન્ય કોઈ કારણ સર જરૂર પડે ત્યારે તેનો 'ઉપાડ' કરવાનો. 

      ઉમેદવાર તંદુરસ્ત, સારી વાક્છટા ધરાવનાર અને પ્રેમથી સભર હોવો જોઈએ. રોજ તેમણે જરૂરિયાતમંદ વ્યક્તિની કાળજી રાખવાની અને તેને મદદ કરવાની. જેટલો સમય તે સેવા આપે તે એના સોશિયલ સિકયુરિટી સિસ્ટમના વ્યક્તિગત 'ટાઇમ' અકાઉન્ટમાં જમા થાય.  

       ક્રિસ્ટિના અઠવાડિયામાં બે વાર કામે જતી. દરેક વખતે બે કલાક ૮૭ વર્ષના પેલા વૃદ્ધની મદદ કરવા, તેમની માટે ખરીદી કરવા, તેમના ઘરની સાફ સફાઈ કરવા, તેમને સૂર્ય પ્રકાશમાં આંટો મારવા લઈ જવા, તેમની સાથે વાતો કરવી. કરાર મુજબ, તેની એક વર્ષની સેવા બાદ, 'ટાઇમ બૅન્ક' તેના કુલ સેવાના કલાકોની ગણતરી કરી તેને એક 'ટાઇમ બૅન્ક કાર્ડ' આપશે. જ્યારે તેને મદદની જરૂર પડે ત્યારે તે આ કાર્ડ નો ઉપયોગ કરી વ્યાજ સાથે જમા થયેલ સમય નો 'ઉપાડ' કરી શકશે. 

 માહિતી ચકાસ્યા બાદ 'ટાઇમ બૅન્ક' તેને મદદ કરી શકે એવા ખાતેદારને હોસ્પિટલ કે તેના ઘેર મોકલી આપશે. 

        એક દિવસ હું શાળામાં હતો અને ક્રિસ્ટિનાનો ફોન આવ્યો કે તે ઘરમાં બારી સાફ કરતાં ટેબલ પરથી પડી ગઈ છે. મેં અડધી રજા મૂકી ઘેર દોટ મૂકી અને ક્રિસ્ટિનાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી. તેને પગની એડી એ ઇજા પહોંચી હતી અને થોડા સમય સુધી ખાટલે આરામ કરવાની ફરજ પડી. 

       મને જ્યારે ચિંતા થઈ કે હવે તેનું ધ્યાન કોણ રાખશે ત્યારે તેણે તરત મને ચિંતા ન કરવા જણાવ્યું. તેણે 'ટાઇમ બૅન્ક' માં 'ઉપાડ' ની અરજી કરી દીધી હતી! બે જ કલાકમાં એક સ્વયંસેવક હાજર પણ થઈ ગયો ક્રિસ્ટિનાની સેવામાં. 'ટાઇમ બૅન્કે' વ્યવસ્થા કરી હતી તેની. એ પછી એક મહિના સુધી, તે સ્વયંસેવકે ક્રિસ્ટિનાની ખૂબ સારી કાળજી રાખી, રોજ તેની સાથે સમય પસાર કર્યો, વાતો કરી તેના માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું. એક મહિનામાં તો આ સ્વયંસેવકની દેખરેખ હેઠળ ક્રિસ્ટિના સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. 

       સાજા થયા બાદ ક્રિસ્ટિના ફરી 'કામે' લાગી ગઈ. તેની ઈચ્છા હતી કે તે જ્યાં સુધી તંદુરસ્ત છે ત્યાં સુધી આ રીતે કામ કે સેવા કરી શકય એટલો વધુ સમય 'ટાઇમ બૅન્ક' માં જમા કરી શકે. 

     સ્વિત્ઝર્લેન્ડમાં વૃદ્ધોની મદદ માટે 'ટાઇમ બૅન્ક'નો ઉપયોગ પ્રચલિત છે. આ પ્રથા માત્ર દેશના પેન્શન ખર્ચાઓ ને જ નથી બચાવતી પણ અન્ય સામાજિક સમસ્યાઓનો પણ ઉકેલ લાવે છે. ઘણાં સ્વીસ નાગરિકો આ ઓલ્ડ - એજ પેન્શન પ્રથાને ઉત્સાહભેર આવકારે છે અને તેનો ભાગ બનવા ટાઇમ બૅન્કમાં જોડાય છે. સ્વીસ સરકારે ટાઇમ બૅન્ક પેન્શન યોજનાને લગતો કાયદો પણ પાસ કર્યો છે. 

આપણે ત્યાં પણ આવી ટાઇમ બૅન્ક હોય તો?

💗એક મિત્રે મોકલેલ સુંદર પોસ્ટ 

Sunday, October 31, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૭

 

આપણે શારીરિકની સાથે માનસિક જીવન પણ જીવીએ છીએ. ઇન ફેક્ટ, આપણે સૌથી વધુ વિચારોમાં જીવીએ છીએ. આપણી બહાર રિયલ વર્લ્ડ છે. આપણી અંદર વર્ચ્યુઅલ વર્લ્ડ છે. પશુ-પંખીઓ સિંગલ ડાયમેન્શનમાં જીવે છે. આપણે ડબલ ડાયમેન્શનમાં જીવીએ છીએ. એક પ્રાણી બીજા પ્રાણીને 'પ્રેમ' કરે ત્યારે તેમને એવો 'વિચાર' નથી આવતો કે આ 'પ્રેમ' બહુ સરસ છે, મહાન છે, ભવ્ય છે કે દિવ્ય છે. પ્રાણીઓ પ્રેમ કરે છે તે વિધાન પણ ખોટું છે;  તેમનામાં કર્તા કે કારણનું વિભાજન નથી હોતું, એટલે તેઓ પ્રેમ 'કરતાં' નથી, તેઓ પ્રેમ 'બની' જાય છે. 

આપણે 'પ્રેમ'નું અર્થઘટન કરીએ છીએ, તેને સારા-ખરાબમાં વ્યાખ્યાયિત કરીએ છે. આ બધું જ વૈચારિક જગતમાં થાય છે. એટલે આપણા પ્રેમમાં કાયમ દ્વૈત હોય છે, અને જ્યાં દ્વૈત હોય, ત્યાં દ્વંદ્વ પણ હોય છે. આપણા જેટલા પણ દ્વંદ્વ છે, તે રિયલ અને વર્ચ્યુઅલ જગત વચ્ચેનો ટકરાવ છે.


Sunday, October 24, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૬

કોઈની પાસેથી કશું શીખવા માટે, તેની સાથે સહમત થવું જરૂરી નથી. સહમતી એ આપણો વ્યક્તિગત પૂર્વગ્રહ છે. આપણે તેના ચશ્માં પહેરીને બીજાની વાત પર સહમતીની મહોર લગાવીએ છીએ. હકીકતમાં, એ ખુદનાં ચશ્માં પર વાગેલી મહોર છે; "હા, આ ચશ્માં પહેરીને મને ચોખ્ખું દેખાય છે." આવી રીતે કશું શીખવા ના મળે, કારણે કે શીખવા જેવું જે હતું તેનાં તો આપણે ચશ્માં પહેરી રાખ્યાં છે ને! ઇન ફેક્ટ આપણે એની પાસેથી જ શીખી શકીએ, જે આપણાં ચશ્માંને ચેલેન્જ કરે, અને એવો દ્રષ્ટિકોણ આપે કે આપણને આપણા વિચારોમાં શંકા પડવા લાગે. 

આપણે જેની સાથે સહમત થઈએ છીએ, એ લોકો તો આપણે જે માનીએ છીએ, એનું જ કન્ફર્મેશન આપે છે. આપણે દરેક બાબતને સહમતી કે અસહમતીના પૂર્વગ્રહથી જોવાને બદલે એવું વિચારવું જોઈએ કે એ બાબત કોઈક રીતે મારા વૈચારિક વિકાસ માટે ઉપયોગી છે....?

Wednesday, October 20, 2021

વિરલ વિભૂતિ : સરદાર વલ્લભભાઇ પટેલ

      

પ્રજા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સમગ્ર ભારત દેશના જનાદેશ અને લાડપ્રેમ છતાં પણ એકમાત્ર ગાંધીજીના કહેવાથી જ આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન બનવાનું પસંદ કરનાર સરદાર વલ્લભભાઇ પટેલ એટલે અખંડ ભારતના અડીખમ શિલ્પી. ભારતને આઝાદી અપાવવામાં અને ત્યારબાદ પણ પોતાની સૂઝ-બુઝ અને કુનેહથી જેમણે સમગ્ર ભારતને એક તાંતણે બાંધવામાં પોતાની આગવી ભૂમિકા ભજવી એવા આપણા ગુજરાતના લાડીલા સરદારને આઝાદીના આ ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ પર યાદ કરવાનું કેમ ભૂલાય? આપણા વલ્લભભાઇ તો નાનપણથી જ ખુબ જ હોંશિયાર અને બાહોશ વ્યકિતત્વ ધરાવતા હતા.

        પિતા ઝવેરભાઇ અને માતા લાડબાઇને ત્યાં ત્રીજા સંતાન તરીકે તારીખ ૨૧ ઓકટોબર ૧૮૭૫ના રોજ વલ્લભભાઇનો જન્મ થયો હતો. એમનો જન્મ મોસાળ નડિયાદમાં થયો હતો. પિતા ઝવેરભાઇ સામાન્ય ખેડુત હતા, પણ ન્યાય અને નીતિના સારા એવા જાણકાર હોવાથી આસપાસના ગામના લોકો પણ તેમની સમસ્યાઓના સમાધાન માટે તેમની પાસે આવતા હતા. વલ્લભભાઇને એમના પિતા પાસેથી જ દ્‌ઢ-લોખંડી મનોબળ અને નીડરતાના ગુણો મળ્યા હતા. એમના પિતા ઝવેરભાઇ ૧૮૫૭ના સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઇના લશ્કરમાં લડયા હતા.

        નાનપણથી જ વલ્લભભાઇ ભણવામાં હોશિયાર હતા. એમના મોટાભાઇ વિઠ્ઠલભાઇની જેમ જ વલ્લભભાઇ પણ અસાધારણ બુદ્ઘિચાતુર્ય ધરાવતા હતા. ગામની શાળામાં જ પ્રાથમિક શિક્ષણ લઇને તેઓ વધારે અભ્યાસ માટે નડિયાદ અને વડોદરા ગયા હતા. ભણતર દરમિયાન જ એકવાર એમની બગલમાં ગાંઠ નીકળી ત્યારે વૈદ્યરાજે ગરમ સળિયા વડે ડામ દેવાનું કહ્યું પણ આવા કુમળા બાળકને ડામ દેવા માટે વૈદ્ય પણ તૈયાર થયા નહીં ત્યારે વલ્લભે જાતે જ એમના હાથમાંથી સળિયો લઇને એ ગાંઠ પર ડામ દઇ દીધો. આ જોનારા સૌ પણ એમની નીડરતા અને એમના મક્કમ મનોબળ પર આફરીન પોકારી ગયા હતા. નેતાગીરીના સર્વમાન્યતાના લક્ષણો તો સરદારમાં નાનપણથી જ પડયા હતા. તેમનામાં માણસને પારખવાની અને માથાથી પગ સુધી માપી લેવાની ગજબની સૂઝ હતી.

         નાનપણથી જ વકીલ બનવા માટે તેઓ બચત કરતા હતા. જયારે બેરિસ્ટર બનવા માટે ઇંગ્લેન્ડ જવાની વાત આવી ત્યારે એમના મોટાભાઇ વિઠ્ઠલભાઇએ પોતે પહેલા જશે અને વલ્લભ પછી જાય એમ કહ્યું તો હસતા હસતા એમની વાત સ્વીકારી લીધી. આવો હતો એમના મોટાભાઇ પ્રત્યેનો એમનો પ્રેમભાવ. વિઠ્ઠલભાઇ બાદ જ બેરિસ્ટર બનેલા વલ્લભભાઇ પટેલે એક સફળ વકીલ તરીકે ખુબ જ નામના મેળવી હતી.

        એમના ધૈર્ય અને અડગતા પણ કમાલના હતા. એકવાર કોર્ટમાં કેસ ચાલુ હતો ત્યારે એમના નામ પર કોઇએક તાર લઇને માણસ આવ્યો. એમણે એ તાર વાંચીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો અને પોતાની ધારદાર દલીલો ચાલુ જ રાખી. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે એમના મિત્રોએ પૂછયું ત્યારે સમાચાર આપ્યા કે મુંબઇમાં એમના પત્નીનું અવસાનનો એ કાગળ હતો. આવી એમની સ્થિતપ્રજ્ઞા જોઇને સૌ કોઇને એમના પર માન જાગ્યું. ગાંધીજીના આદર્શો અને પ્રભાવથી જ અંજાઇને એમણે ૧૮૧૯માં રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને આપણા ભારતદેશની આઝાદી માટે તેમણે ગાંધીજીના માર્ગ પર એક કુશળ સેવકની માફક ચાલ્યા હતા. બારડોલીના સત્યાગ્રહ બાદ એમને લોકોએ “સરદાર” નું બિરૂદ આપ્યું અને તેઓ સમગ્ર ભારતના સરદાર બન્યા.

         આવા આપણા સરદારે આઝાદી બાદ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. લોખંડી મનોબળ ધરાવતા આપણા સરદારે રાજનીતિને એક શાશ્વત વિચારધારા સાથે જોડીને પોતાના મુત્સદીપણાના દર્શન કરાવ્યા. મહાત્માં ગાંધીએ એમના માટે કહ્યું કે “ સરદારની શૂરવીરતા, જવલંત દેશદાઝ, અને અનંત ધૈર્યના ગુણોથી હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમની પરમ અનૂભુતિ કરાવી છે તેમના માટે હું સદાય એમનો આભારી રહીશ. મને તેમની લાગણીઓમાં મારી માતાનું સ્મરણ થઇ આવતું. આવા આપણા ગરવા ગુજરાતીને આપણી ગુજરાતની જનતા પણ કઇ રીતે ભૂલી શકે? એમને અંજલી આપવા માટે જ આપણા વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલા સાધુબેટ પર એમની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાં બનાવડાવી છે. આજે આપણા સરદાર સમગ્ર વિશ્વના સરદાર હોય એવા પ્રતિત થાય છે. શત્- શત્ વંદન છે આ ભારતમાતાના લાડકા સપૂતને.

Tuesday, October 19, 2021

સર્જનની સરવાણી-૬૦



*�� ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.*

*�� ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે*.

*��તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.*

*��લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.*

*��પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.*

*��સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.*

*��થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.*

*��એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.*

*��ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.*

*��સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.*

*��પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.*

*��વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.*

*��ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.*

*��પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.*

*��સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.*

*��સમય ન વેડફો – મહામૂલી જણસ છે.*

*��અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.*

*��દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.*

*��શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો.*

*��વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.*

*��વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.*

*��ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.*

*��મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.*

*��ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે.*

*��અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે.*

*��સર્જનાત્મક બનો – મુખાકૃતિ સુંદર લાગશે.*

*��હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે.*

*��તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.*

*��ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે.*

*��રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે.*

*�દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.�*

Sunday, October 17, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૫


 આપણું સ્વાસ્થ્ય બહેતર હોય, કોઈ વ્યસન ન હોય, સ્થિર આવક હોય, ન્યૂનતમ જરૂરિયાતો હોય અને અડધી રાતે વાત કરી શકાય તેવા પ્રિયજનો-મિત્રો હોય, તો આપણે દુનિયાના મોટાભાગના લોકો કરતાં ઘણા નસીબદાર અને સફળ કહેવાઈએ. આપણે દુનિયા કયા જઇ રહી છે તે જાણતા નથી, એટલે આંધળા બનીને દુનિયાથી દોરવાઈ રહ્યા છે, પણ આધુનિકતાના દિવા હેઠળનું અંધારું ય જોવા જેવું છે. એક અંદાજ પ્રમાણે, આખી દુનિયા જો પશ્ચિમના મોડેલ પર જીવતી થઈ જાય, તો પ્રોડક્શન માટે બીજી પાંચ પૃથ્વી જેટલી જમીનની જરૂર પડશે. 2017માં વિશ્વમાં 3.5 બિલિયન ઉપભોક્તાઓ હતા, જે 2030 સુધીમાં 5.6 બિલિયન થઈ જશે. છેલ્લા ચાર દાયકામાં વિશ્વમાં જેટલો ભૌતિક વિકાસ થયો છે, તેની સરખામણીમાં એટલું જ આધ્યાત્મિક (આત્મિક અથવા માનસિક) પતન થયું છે. દુનિયાનો એક મોટો વર્ગ સ્વાસ્થ્યની, નાણાંકીય, કોઈને કોઈ વ્યસનની, ભોગવાદની અને એકલતાની સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે.

Tuesday, October 12, 2021

સર્જનની સરવાણી-૫૯

                                                 "પ્રત્યેક ખાલી જામ છે, સ્મારક મરીઝનું"


        મરીઝ હવે અમારી સાથે નથી. એનું ફાની શરીર ધરતીની ગોદમાં લપાઈ ગયું. . માટીની અમાનત માટીને પહોંચી ગઈ. હજી ગઈકાલની વાત છે કે મંચો પર સાથે બેસીને અમે ગઝલો લલકારતા હતા.. આજે મંચો બધા સૂના સૂના લાગે છે.. મન માનતું નથી. એની ગેરહાજરી હૃદયમાં શૂળ ભોંકી રહી છે. આ દશામાં એના વિશે શું લખવું એ જ સમજાતું નથી. 

        હા એટલું જરૂર કહી શકાય કે ગુજરાતી ગઝલને એણે માતબર બનાવી. ગુર્જર ગિરાને શેરોનો એવો વારસો સોંપ્યો કે ખુદ સમય પણ એનું પૂરેપૂરું મૂલ્યાંકન નહીં કરી શકે.. પરંપરાની ગઝલનો એક ઝળહળતો સિતારો અચાનક અલોપ થઈ ગયો છે. એનાથી જે શૂન્યાવકાશ સર્જાયો છે એ કદી નહીં પૂરાય. શાયરો તો અનેક આવશે પણ બીજો 'મરીઝ' નહીં પેદા થાય

     બહુ જ સાદી ભાષામાં એણે પોતાના જીવનનો સઘળો નીચોડ દુનિયાને આપી દીધો. એના શેરોમાં ક્યાંય દંભ નહીં મળે., બનાવટ નહીં મળે. એના શેરો જ એની આત્મકથા જેવા છે. પ્રત્યેક શેરમાં એનું જીવન વીતક રજૂઆત પામ્યું છે. 

    સ્પષ્ટ શબ્દોમાં એણે કહી દીધું કે :

               ➡️શાયરીની આ પ્રતિભા

               આંસુઓની આ ચમક

               મારા જીવનમાં જે અંધારું છે

               એનું નૂર છે⬅️

     એણે માત્ર બે ચોપડી સુધીનો અભ્યાસ કર્યો એ પછી જે કૈં હાંસલ થયું એમાં સ્વાધ્યાય હતો. એમનું ભાષાભંડોળ બહુ જ સીમિત હતું. આ એમનું નબળું પાસું એમના માટે આશિર્વાદ બની ગયું. ગઝલના ગહનમાં ગહન વિચારો રજૂ કરવા માટે એમને આડંબરરહિત ભાષા વાપરવી પડી. પરિણામે સહેલા શેરો સર્જાયા જે ચોટદાર હતા, અને એમાં ભારોભાર દર્દ હતું. અરૂઝમાં જે શેરો તદ્દન સરળ હોય અને એમાં ઘેરી ચોટ તેમ જ ઊંડાણ હોય એવા શેરોને ઉત્તમ કોટિમાં મૂકવામાં આવે છે. એવા શેરોને 'સહેલુલ મુમ્તના' કહેવામાં આવે છે. ઉર્દૂ સાહિત્યમાં આવા શેરો મીર અને મોમિન પાસે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે

    મોમિનનો શેર હતો

              તુમ મેરે પાસ હોતે હો ગોયા

               જબ કોઈ દુસરા નહીં હોતા

    🟣 આ શેર માટે ગાલિબે પોતાનું સઘળું સર્જન આપી દેવાની તૈયારી બતાવી હતી🟣. એના પરથી સમજી શકાશે કે શેરોની ગુણવત્તા માપવાનો ગજ ગઝલમાં તદ્દન જુદો છે. . શેરોની સરળતા એની શ્રેષ્ઠતાનું પ્રમાણ છે. 

        મરીઝને આ ખૂબી એના અલ્પ શિક્ષણને કારણે અનાયાસ મળી ગઈ હતી. એના કાવ્ય ગ્રંથમાં ભાષાના બોજથી લદાયેલો શેર જવલ્લે જ જોવા મળશે

                                                                                                                                      શૂન્ય પાલનપુરી

Monday, October 11, 2021

વિવેકાનંદની વાણી : મણકો-૧૦

 


વિવેક અને આનંદ પર એ સ્વામીનું રાજ છે,

દેશના યુવાનના આદર્શનો જેની પાસે તાજ છે ”

        ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને વિશ્વમાં ઉજાળનાર આપણા મહાપુરુષ વિવેકાનંદ આજે પણ એટલા જ પ્રસ્તૃત છે. એમના શબ્દો અને વિચારો આજે પણ દરેક યુવાનને જીવન જીવવાની ચાવી આપે છે. સશકત, સ્વાભીમાની અને ઉચ્ચત્તમ કક્ષાનું ચારિત્ર્ય ધરાવતા યુવાનો થકી જ આપણે આપણી ભારતીય સંસ્કૃતિની અસ્મિતાને ફરીથી વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કરી શકીશું.

        એકવાર એક પ્રોફેસરે કલાસમાં બધા જ વિધાર્થીઓને સવાલ કર્યો કે આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોણે બનાવ્યું? શું પરમ કૃપાળુ પરમાત્માએ જ બધી રચના કરેલી છે? એક વિધાર્થીે એ કહ્યું કે હા, સાહેબ.

 પ્રોફેસરે ફરીથી કહ્યું કે તો પછી શેતાનને કોણે બનાવ્યો? શું એને પણ પ્રભુ એ જ બનાવ્યો છે? વિધાર્થી એકદમ શાંત થઇ ગયો અને થોડીવાર પછી એણે પ્રોફેસરને વિનંતી કરી કે શું હું આપને કેટલાક સવાલો કરી શકું ? પ્રોફેસરે સંમતિ આપી.

 વિધાર્થીએ કહ્યું કે શું ઠંડી જેવું કાંઇ હોય છે? પ્રોફેસરે કહ્યું કે ચોક્કસ હોય છે.

 વિધાર્થીએ કહ્યું કે માફ કરશો સાહેબ પણ તમારો જવાબ ખોટો છે. ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે.

 વિધાર્થીએ બીજો સવાલ કર્યો કે શું અંધારુ અસ્તિત્વ ધરાવે છે? પ્રોફેસરે ફરીથી હા કહી. પણ વિધાર્થીએ કહ્યું કે સાહેબ આ વખતે પણ આપનો જવાબ ખોટો છે, કારણકે ખરેખર તો અંધારાનું કોઇ જ અસ્તિત્વ નથી, એ તો માત્ર અંજવાળાની ગેરહાજરીનું પરિણામ છે. જયારે અંજવાળું આવે ત્યારે અંધારુ ગાયબ થઇ જાય છે.

 તેવી જ રીતે શેતાનની પણ પોતાની કોઇ હયાતી કે અસ્તિત્વ નથી, એ તો માણસ માત્રની ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધાની, આસ્થાની, કે વિશ્વાસની ગેરહાજરીનું પરિણામ છે. આ જવાબો આપનાર વિધાર્થી એટલે આપણા સ્વામી વિવેકાનંદ.

Sunday, October 10, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૪

આપણી જરૂરિયાતો પૂરી થઇ જાય, પછી આપણે 'સુખી' નથી થઇ જતા, આપણે બોર થઇ જઈએ છીએ, કારણ કે જરૂરિયાતો પૂરી થઇ જવાથી તેને પૂરી કરવાની ઉત્તેજના પણ સમાપ્ત થઇ જાય છે. આપણે જેન સુખ કહીએ છીએ, તે હકીકતમાં જરૂરિયાતો પૂરી કરવાની કોશિશમાંથી પેદા થતી ઉત્તેજના છે. જરૂરિયાત જયારે સંતોષાઈ જાય, પછી આપણને સવાલ થાય; બસ આટલું જ? હવે શું? પણ સુખની ચાવી નવીનતામાં નહીં, જુનામાં ઉત્તેજના જાળવી રાખવામાં છે. એ ઉત્તેજના ત્યારે જળવાય, જ્યારે આપણે આપણા કામકાજ અને રોજિંદી ગતિવિધિ પાછળના હેતુને સ્પષ્ટ કરીએ. 

હું સવારે શા માટે ઉઠું છું.? એ પ્રશ્નનો ઉત્તર જો હોય, તો પછી તેને સિદ્ધ કરવામાં એકસાઇટમેન્ટ હશે, અને બોરડમ નહીં પજવે. જરૂરિયાતો સરળતાથી પૂરી કરવાને બદલે તેને અઘરી બનાવી રાખીએ તો એ ચેલેન્જ આપણને બોર નહીં થવા દે. કામકાજથી લઈને મોજમસ્તી અને સંબંધોમાં નાની-મોટી ચેલેન્જ જાળવી રાખવી. એને જ દિલચસ્પ જીવન કહે છે.

Tuesday, October 5, 2021

સર્જનની સરવાણી-૫૮

        

ચતુર સૃષ્ટિની યોગીની ચોસઠ કળામાં નિપુણ છે એટલે ચતુર સૃષ્ટિની યોગીની ચોસઠ જોગણી તરીકે ઓળખાય છે.એમની અલગ અલગ કાર્ય ને ચોસઠ કલાઓ ને સમજવી રુપ એક નામો અનેક મુળ અષ્ટ યોગીની છે. સુર સુંદરી. મનોહરા. કનકવતી. કામેશ્ર્વરી. રતિસુંદરી. પદમીની. નતિની. મધુમતી.

1 મણિભૂમિકા કર્મ (ઋતુ અનુસાર ઘર બનાવવું)

2 તક્ષ્ણ (સુથાર તથા કડીયાનું કામ)

3 સ્થાપત્ય (વાસ્તુ વિદ્યા)

4 કર્ણપત્રભંગ (આભૂષણો બનાવવા)

5 ભૂષણ-યોજના (વિવિધ આભૂષણોનું આયોજન કરવું)

6 રૂપ્ય-રત્ન પરીક્ષા (સોના, ચાંદી અને રત્નો પારખવા)

7 મણિરાગ-જ્ઞાન (રત્નોના રંગ પારખવા)

8 ધાતુવાદ (કાચી ધાતુ ગાળી યંત્રો બનાવવા)

9 આકારજ્ઞાન (ખાણમાંથી ધાતુનું શોધન કરવું)

10 વિશેષ-કચ્છેદ્ય (સંચા બનાવવા)

11 ગંધયુક્તિ (સુગંધી પદાર્થો બનાવવા)

12 યંત્ર-માતૃકા (યંત્ર-નિર્માણની કળા)

13 આલેખ (કલ્પના અનુસાર ચીતરવું)

14 પટ્ટિકા-વેત્રગણ-વિકલ્પ (દોરી કે નેતરથી રચના કરવી)

15 સૂચીકર્મ (કપડાં  સીવવાં)

16 સૂત્રકર્મ (ભરતકામ)

17 ચિત્ર શાકા પૂપભક્ષ્ય વિકાર-ક્રિયા (અનેક જાતના શાક, માલપૂંઆ વગેરે ભોજન બનાવવા)

18 પાનક રસરાગાસવયોજન (અનેક પ્રકારના અર્ક, આસવ, શરબત વગેરે બનાવવા)

19 તાંડુલ-કુસુમાવલિ-વિકાર (ચોખા અથવા ફૂલો વડે ચોકની રચના કરવી)

20 પુષ્પાસ્તરણ (ફૂલોના તોરણ અને સેજ બનાવવા)

21 દશનવસાંગરાગ (દાંતો, વસ્ત્રો અને શરીરને રંગવાના સાહિત્ય બનાવવા)

22 શયનરચના (પલંગ બીછાવવો)

23 ઉદાક્ઘાત (ગુલાબદાન વાપરવાની ચતુરાઈ)

24 માંલ્યગ્રંથન વિકલ્પ (દેવપૂજા માટે અને શરીર શોભા માટે ફૂલોની માળાઓ બનાવવી)

25 કેશ શેખરાપીડ યોજન (માથાના વાળમાં ફૂલો ગૂંથવા)

26 નેપથ્ય યોગ (દેશ-કાળ અનુસાર વસ્ત્ર આભૂષણ પહેરવા)

27 કૌચમાર યોગ (કદરૂપાને સુંદર બનાવવું)

28 ઉત્સાહન (શરીર ચોળવું, માલીશ કરવું)

29 કેશ-માર્જન (વાળમાં તેલ નાખી ઓળવાની આવડત)

30 વસ્ત્ર ગોપન (કપડાંની સાચવણી)

31 બાળક્રીડા-કર્મ (બાળકોની માવજત કરી તેમનું રંજન કરવું)

32 ચિત્રયોગ (અવસ્થાને પરિવર્તન કરી બુઢા ને જુવાન બનાવવો)

33 ઇન્દ્રજાલ (જાદુના પ્રયોગો કરવા)

34 હસ્તલાઘવ (હાથચાલાકીના ખેલ કરવા)

35 વૃક્ષાયુર્વેદ-યોગ (વૃક્ષોના સંવર્ધનની ક્રિયા જાણવી)

36 મેષ કુકકુટલાવક યુદ્ધ (ઘેટા, કુકડા અને લાવક પક્ષીઓને લડાવવા)

37 શુકસારિકા-આલાપન (પોપટ અને મેનાને પઢાવવાં)

38 છલીતક-યોગ (છલ કે ધૂર્તતા કરતા આવડવી)

39 દ્યૂત વિશેષ (જુગાર રમવો)

40 આકર્ષણ-ક્રીડા (પાસા ફેંકતા આવડવું)

41 વૈજયિકી વિદ્યાજ્ઞાન (વિજય મેળવવા માટે લડાઈની તાલીમ લેવી)

42 ગીત (ગાવું)

43 વાદ્ય (વગાડવું)

44 નૃત્ય (નાચવું)

45 નાટ્ય (નાટક કરવું)

46 ઉદકવાદ્ય (જલતરંગ બજાવવું)

47 નાટીકાખ્યાયિકા-દર્શન (નાટક વગેરે રંગમંચ દ્રશ્યો નિર્માણ કરવા)

48 પ્રહેલિકા (ગૂંચવણભર્યા પ્રશ્નો કરી પ્રતિ-સ્પર્ધીને હમ્ફાવવો)

49 પ્રતિમાલા (અંત્યાક્ષરી કહેવી)

50 દુર્વાચકયોગ (કઠીન પદો  – શબ્દોના અર્થ સમજવા)

51 પુસ્તકવાચન (સ્પષ્ટ રીતે પુસ્તક વાંચવું)

52 કાવ્યસમસ્યાપૂર્તિ (કવિતામાં પૂછેલ સમસ્યાની પૂર્તિ કરવી)

53 તર્કમર્મ (દલીલો કરવી)

54 અક્ષરમુષ્ટિકા-કથન (કરપલ્લ્વીથી વાતો કરવી)

55 મ્લેચ્છિતકલા-વિકલ્પ (વિદેશી ભાષાઓ જાણવી)

56 દેશી ભાષા જ્ઞાન (દેશની પ્રાકૃત ભાષાઓ જાણવી)

57 પુષ્પશકટિનિમિત્ત-જ્ઞાન (વાદળાની ગર્જના, વીજળીની દિશા વગેરે ઉપરથી વર્તારો જાણવા)

58 ધારણ-માતૃકા (સ્મરણશક્તિ વધારવી)

59 પાઠ્ય (કોઈનું બોલતું સાંભળી નકલ કરવી)

60 માનસી કાવ્યક્રિયા(મનમાં કાવ્ય કરી શીઘ્ર બોલવાની આવડત)

61 ક્રિયા-વિકલ્પ (ક્રિયાનો પ્રભાવ બદલવો)

62 અભિધાન-કોશ (છંદો અને કાવ્યનું જ્ઞાન)

63 વૈનાયકી વિદ્યા-જ્ઞાન (વિનયપૂર્વક વાત કરવાની આવડત)

64 વૈતાલિકી વિદ્યાજ્ઞાન (રાગ, પાધ, પરખ, નાડી, ન્યાય, તરવું, તાન્તરવું, અને ચોરી કરવી – એ આઠ વિદ્યાનું જ્ઞાન) 

        આ ચોસઠ કળા સદા યાદ રહે, જયારે અત્યારના અતિ વિકસેલા દેશો જંગલી જીવન વ્યતીત કરતા હતા ત્યારે આપણા મહાન સુશિક્ષિત રુષીમુનીઓ ભારતમાં આવી કલાઓ માં માહીર હતા તેની પરાકાષ્ઠા સુધી વિકસેલી હતી. અત: સ્પષ્ટ રૂપે, અત્યારના આધુનિક વિજ્ઞાનને તથા કલાઓને આ મૂળ કલાઓનું જ અનુસંધાન  સમજવું.

Sunday, October 3, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૩


સારી-ખરાબ લાગણીઓને પારખવી, તેને નિયંત્રણમાં રાખવી અને તેની પાસેથી રચનાત્મક કામ કેવી રીતે લેવું તે શિક્ષણનો હિસ્સો હોવો જોઈએ. આપણે બૌદ્ધિક વિકાસ કેવી રીતે થાય તેના પર સવિશેષ ભાર આપીએ છીએ, પરંતુ ઇમોશનલ મેનેજમેન્ટની આપણને ખબર નથી, તે આશ્ચર્યજનક છે. બહુ બધા લોકો ઇમોશનલ મેનેજમેન્ટની સ્કિલના અભાવથી સંબંધો, વ્યવસાય, શારીરિક-માનસિક તંદુરસ્તી, ખાવા-પીવામાં સંઘર્ષ કરે છે અને બિનજરૂરી વેઠે છે. બુદ્ધિની જેમ ઈમોશનલ વિકાસ પણ જો નક્કર હોય, તો માત્ર આપણી જ નહીં, આપણા કારણે આપણી આજુબાજુના લોકોની જિંદગી પણ કેટલી સરળ બની જાય...! 

             આપણામાં ઘણી બધી ભૂલો કર્યા પછી અને ઘણા દુઃખી થયા પછી ભાવનાત્મક પરિપક્વતા આવે છે. આપણે એવુ માનીએ છીએ કે માણસ અનુભવથી જ ઘડાય. એ સાચું હોય તો પણ, જિંદગી જીવવાની શરૂઆત થાય, ત્યારે જ બુનિયાદી ભાવનાત્મક ડહાપણ આવી જવું જોઈએ. જે લોકો લાગણીઓમાં સ્ટ્રગલ કરે છે, તે જીવનમાં સ્ટ્રગલ કરે છે.


Tuesday, September 28, 2021

સર્જનની સરવાણી-૫૭

 વિચારોનું કરીએ વાવેતર....................

૧. કોઇપણ રાષ્ટ્રનું ઘડતર તેના બાળકોની નાની નાની પગલીઓ પર નિર્ભર છે.

૨. બાળકોને શાબાશી અને પ્રોત્સાહન મળવાથી એમનું જીવન પાંગરે છે.

૩. કેળવણી દ્વારા બાળકોનો પોતાના ઈશ્વર પ્રત્યેનો પ્રેમભાવ વધવો જોઇએ.

૪. દરેક બાળક સહનશીલ, પ્રસન્નચિત્ત, ખેલદિલ, સત્યવકતા, સ્વસ્થ, વિનમ્ર  બને એ જોવાની જવાબદારી આપણા સૌ કોઇની છે.

૫. બાળકની સાથે બાળક જેવા થઇએ તો તેની સાથે આત્મીયતા સાધી શકાય છે.

૬. બાળકને પ્રેરણા, પ્રેમ અને પ્રોત્સાહન આપવાથી તેની સર્જનશકિતઓ ખીલે છે.

૭. બાળકનું પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષામાં થવાથી બાળક પોતાની સંસ્કૃતિને યોગ્ય રીતે સમજી શકશે, અને એનામાં સાચા સંસ્કારોનું સિંચન કરી શકાય છે.

૮. બાળકો રાષ્ટ્રની સાચી સંપત્તિ છે, જેમના પર દેશના ભવિષ્યનો આધાર છે.

૯. કેળવણી એટલે મુક્તિ, આર્ષદર્શન, સ્વયંપ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ.

૧૦. પ્રાર્થના મનુષ્યની શક્તિને પરમાત્માના સામર્થ્ય સાથે જોડનારી કડી છે.

૧૧. માનવ-પ્રતિભાના સર્વદેશીય વિકાસની પ્રક્રિયાને શિક્ષણ કહેવાય.

૧૨. મનુષ્યના ભવિષ્યનો આધાર આજની પેઢીના હકારાત્મક અભિગમ ઉપર રહેલો છે.

૧૩. ઉર્જા અને ઉંમર હોય ત્યારે જ વધારેમાં વધારે કામ કરી લેવું જોઇએ.

૧૪. જેને સમયની કોઇ કિંમત નથી, એના માટે જિંદગીની પણ કોઇ કિંમત નથી.

૧૫. સમજણનો સેતુ એ જ ખરો સેતુ, બાકીના બધા તો રાહુ અને કેતું.

૧૬. બાળકના મન, આત્મા અને શરીરમાં જે કાંઇ સર્વશ્રેષ્ઠ છે, તેને બહાર લાવવું એ જ ખરી કેળવણી છે