"આજે અઢળક માહિતી આપતાં માધ્યમો હોવા છતાં લાખો પુસ્તકો કેમ વેચાય-વંચાય છે?"
અમેરિકામાં Pew Research Center નામના ટ્રસ્ટે વાચકોને પૂછ્યું હતું કે પુસ્તક વાંચવા માટેનું તમારું સૌથી મોટું કારણ શું હતું. એમાં જે તારણો નીકળ્યાં હતાં તે આ પ્રમાણે છે:
- ૨૬% લોકોએ કહ્યું કે તેમને નવું જ્ઞાન અને માહિતી મળે એટલે પુસ્તક વાંચ્યું હતું.
- ૧૫% લોકોએ કહ્યું કે વાસ્તવિકતાને ભૂલી જવા અને બીજી કોઈ દુનિયામાં ખોવાઈ જવા માટે તેમણે પુસ્તકનો સહારો લીધો હતો.
12% લોકોને નાટ્યાત્મકતા અને સસ્પેન્સમાંથી મનોરંજન મળતું હતું.
- 12% લોકોને પુસ્તક વાંચતી વખતે આરામ મળતો હતો અને શાંતિ મહેસુસ થતી હતી.
- 6% લોકોને નવા વિષયોનો પરિચય થતો હતો.
- 4% ટકા લોકો આધ્યાત્મિક રીતે સમૃદ્ધિ થતા હતા અને તેમનું વિશ્વદર્શન (વર્લ્ડવ્યૂ) વિસ્તરતું હતું.
- 3% ટકા લોકોને પુસ્તકો તેમની માનસિક કસોટી લેતાં હતાં તે પસંદ હતું.
- 2% લોકોને પુસ્તકનું ભૌતિક સ્વરૂપ- તેનો સ્પર્શ, તેની ગંધ- ગમતું હતું.
આ સર્વેમાં ઘણા લોકોએ “સ્ટ્રેસ દુર થાય છે, “રિલેક્સ થવાય છે,”અને “મન શાંત થાય છે” જેવાં વિધાનો કર્યા હતાં. આજે અહી ફરીવાર આપના માટે હું વાંચવા જેવાં ૨૩ ઉત્તમ પુસ્તકોની યાદી આપું. અહીં ક્લાસિકની સાથે સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિત વિશ્વની મોટાભાગની ભાષાઓમાં છપાયેલા વિવિધતાસભર પુસ્તકોનાં નામ આપ્યાં છે. આ બધાં જ પુસ્તકો, વૈશ્વિક સમાજનો એક એવો ચહેરો પેશ કરે છે, જે કદાચ બીજી ભાષામાં છૂટી ગયો છે. બધા જ પુસ્તકો મસ્ટ રીડ છે.
૧. અરધી સદીની વાચનયાત્રા ભાગ : ૨-સંપાદક-મહેન્દ્રભાઈ મેઘાણી
૨. સત્યના પ્રયોગો-મહાત્મા ગાંધીજી
૩. મહામાનવ મહાવીર-ગુણવંતભાઈ શાહ
૪. પોલીએના-એલીનોર પૉર્ટર
૫. વાણી તેવું વર્તન-ફાધર વાલેસ
૬. એટોમીક હેબિટ-જેમ્સ ક્લિયર
૭. ધ સિવિક કોડ-ગોરા. એન. ત્રિવેદી
૮. તમે તમારા બાળકને ઓળખો-ડો. મોહનભાઈ પંચાલ
૯. અંગદનો પગ-હરેશ ધોળકિયા
૧૦. સપનાના સોદાગરો-રશ્મિ બંસલ
૧૧. અમર ગુજરાતી ગઝલો : સંપાદક-રાજેશ વ્યાસ"મિસ્કીન"
૧૨. આનંદમય શિક્ષક કેમ થવાય?-દોલતભાઈ દેસાઈ
૧૩. સોંસરી વાત-સ્વ. નગીનદાસ સંઘવી
૧૪. સોક્રેટિસ એક્સપ્રેસ (અંગ્રેજીમાં)-એરિક વેઈનર
૧૫. લાઈફલાઇન-જય વસાવડા
૧૬. અગનપંખ-ડો. અબ્દુલ કલામ અનુવાદ-હરેશ ધોળકિયા
૧૭. સાત લાઈન-રત્નવિજયસુંદરસૂરિજી મહારાજ સાહેબ
૧૮. પ્રિયજન(ક્લાસિક નવલિકા)-વીનેશ અંતાણી
૧૯. શ્યામની માં-સાને ગુરુજી અનુવાદ-અરુણા જાડેજા
૨૦. જંગલ બુક-રુડીયાર્ડ કીપલીંગ, ગુજ અનુવાદ- સાધના નાયક દેસાઈ
૨૧. શિક્ષણ રાહ બતાવે રામાયણ-મોરારી બાપુ
૨૨. તમે જ તમારું અજવાળું-સુધા મૂર્તિ
૨૩. યુગપુરુષ વિવેકાનંદ-કિશોર મકવાણા
પુસ્તક સંહિતા :: પુસ્તકો મળે તો હું નર્કમાં જવા માટે તૈયાર છું કારણ કે આ પુસ્તક ત્યાં પણ સ્વર્ગ સમાન આનંદ આપશે. -લોકમાન્ય ટિળક
નવી યાદી તારીખ....૨૩-૦૪ -૨૦૨૪ ને મંગળવારે..