Sunday, June 26, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૧


જીવનમાં જેમણે ઉત્તમ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી હોય તેમ છતાં એમના પગ જમીન પર જ હોય એવું જોવા મળે ત્યારે અજુગતું જરૂર લાગે જ. પોતાની વાતો અને પુસ્તકો થકી જેમણે વિશ્વમાં અભૂતપૂર્વ નામના મેળવી છે એવા ઈજરાયેલ દેશના ઉત્તમ ઇતિહાસકાર યુવલ નોઆ હરારી સાથેનો સહજ સંવાદ આપણને જીવનનો ઉત્તમ પાઠ શીખવી જાય છે. 

પ્રશ્ન: સવારે આંખ ખોલીને પહેલું કામ શું કરો છો?

યુવલ નોઆ હરારી: હું મારા શ્વાસ પર અને પુરા શરીરમાં અનુભવાતી સંવેદનાઓ (સેન્સેશન્સ)ને ઓબ્ઝર્વ કરું છું.

પ્રશ્ન: તમને એનર્જી કયાંથી મળે છે?

યુવલ: હું રોજ બે કલાક વિપશ્યના ધ્યાન કરું છું. 

પ્રશ્ન: સરળ જીવનનું રહસ્ય શું છે?

યુવલ: હું વાસ્તવિકતા અને કલ્પનાને છુટા પાડું છું અને વાસ્તવિકતા પ્રમાણે જીવું છું.

પ્રશ્ન: એક પુસ્તક જેણે જીવન બદલી નાખ્યું હોય?

યુવલ: રેને દેકાર્તનું પુસ્તક "ડિસ્કોર્સ ઓન ધ મેથડ" 

પ્રશ્ન: સુઈ જાવ ત્યારે ફોન સાથે રાખો છો?

યુવલ: હું સ્માર્ટફોન નથી વાપરતો. મારા જીવનસાથી પાસે છે એ પૂરતું છે.

પ્રશ્ન: તમને શક્તિ અને શાંતિ આપે તેવું એક વિધાન?

યુવલ: "વાસ્તવિકતાને તે જેવી છે તેવી રીતે જ જુવો, તમને મન થાય તે રીતે અથવા તે કેવી હોવી જોઈએ તે રીતે નહીં."


Sunday, June 19, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૦

 

        સાધારણતા (મીડીઓક્રીટી) બહુમતીમાં હોય છે, જ્યારે અસાધારણતા (એક્સલન્સ) લઘુમતીમાં હોય છે. 90 ટકા લોકો મીડીઓકર હોય છે. તેઓ વ્યક્તિમાં પોતાનું જ રિફલેક્શન જોવાનું પસંદ કરે છે. મીડીઓક્રીટી એટલે સારું પણ નહીં અને ખરાબ પણ નહીં-મીડીયમ, વચ્ચેનું, મધ્યમ અથવા ચાલે તેવું. 

        એક્સલન્સ એટલે અમુક બાબતો અથવા લોકો  કરતાં ઉપર હોવું, શ્રેષ્ઠ હોવું તે. કોઈ કંપની હોય, સંગઠન હોય કે સમાજ હોય, ત્યાં મીડીઓકર લોકોની સંખ્યા વધારે જ હોવાની કારણે તેનો મુખ્ય હેતુ બધું સમુસુતરું ચાલતું રહે તેટલા પૂરતો જ હોય છે. મીડીઓક્રીટી વર્તમાનમાં સફળ હોય છે કારણ કે વર્તમાનની જરૂરિયાત કામ થઈ જવા પૂરતી હોય છે, પરંતુ ભવિષ્યની જરૂરિયાતમાં એક્સલન્સની અનિવાર્યતા રહે છે, કારણે બહુમતી લોકોને એ વિશ્વાસ નથી હોતો કે મીડીઓક્રીટીથી ભવિષ્ય બની શકે. સાધારણતા વર્તમાનની વિશેષતા છે, અસાધારણતા ભાવીનો ગુણ છે.

Sunday, June 12, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૯

        જેને તમારી સામે વાંધો હોય, તેવી વ્યક્તિની એક આવડત જબરદસ્ત હોય, તમે કશું પણ બોલો, એ તમારા જ શબ્દોને ટ્વિસ્ટ કરીને, તમારા પ્રત્યે તેને કેમ નારાજગી છે, તેનો તત્કાળ પુરાવો આપે. નારાજ વ્યક્તિની એક માત્ર જરૂરિયાત તેની નારાજગીને ઉચિત ઠેરવવાની હોય છે, એટલે તેમને તમારી વાતોમાં નહીં, તમને દુઃખી કરવામાં રસ હોય છે. ઘણીવાર લોકોને તમારી સાથે પ્રોબ્લેમ નથી હોતો. તેમનો પ્રોબ્લેમ તમે તેમને શું ફીલ કરાવો છો તેનો હોય છે. તેમને એવું લાગે કે તેને કેવું લાગે છે તેની જવાબદારી તમારી છે. આને Sadness Paradox કહે છે. 

        જેમ એક દુઃખી માણસ દુઃખની ઘડીમાં મુકેશ કે દર્દભરે નગ્મે 'એન્જોય' કરે, તેવી રીતે તમારાથી નારાજ વ્યક્તિ જ્યાં સુધી તેની નારાજગી તમારામાં ટ્રાન્સફર ન કરે ત્યાં સુધી તેને સુખ ન મળે. એટલા માટે એક દુઃખી વ્યક્તિ સુખી વ્યક્તિને સહન ન કરી શકે. "પેટનો બાળ્યો ગામ બાળે" કહેવત આવી રીતે આવી છે.


Sunday, June 5, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૮

        

        વિશ્વના કોઈપણ દેશમાં થતી અલગ અલગ પ્રકારની શોધખોળો થકી જ માનવજ જીવન વધારે સુખ-સુવિધા યુક્ત બન્યું છે . અનેક રોગોની નાબૂદી સાથે લોકોના આયુષ્યમાં વધારો થયો છે, જીવનધોરણમાં પણ સમયાંતરે સુધારાઓ આવતા જાય છે. આવા સુધારાઓ માટે નિમિત્ત બનનાર સમાજસેવકો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ જ્યારે નોબલ પારિતોષિક થકી સન્માનિત થાય ત્યારે એમની ઓળખ વિશિષ્ટ બની જાય છે, વિશ્વ પણ એમને અહોભાવની નજરે નિહાળે છે. 

        આ નોબલ પારિતોષિક મેળવનાર ઘણા બધા અલગ-અલગ ક્ષેત્રનાં નિષ્ણાંતો સાથે ભારતીય વિભૂતિઓએ પણ કોઈને કોઈ પ્રકારે અમૂલ્ય ફાળો આપ્યો છે. પરંતુ એમની જોઈએ તેવી નોંધ લેવામાં આવ નથી. નોબલ પારિતોષિક માટે પસંદ થયેલા ભારતીય વૈજ્ઞાનિકો જેમને કોઈને કોઈ કારણોસર આ પારિતોષિક મળ્યું નથી પરંતુ તેમનાં જ સંશોધનો પર વિદેશી વૈજ્ઞાનિકોએ નોબલ મેળવ્યા હતા.


1. નારીન્દર સિંઘ કપાની (ઓપ્ટિકલ ફાઇબર)


2. ડો.જી.એન.રામચંદ્રન (પ્રોટીન બંધારણ)


3. સુભાષ મુખોપાધ્યાય (ટેસ્ટટ્યૂબ બેબીના જનક)


4. સત્યેન્દ્રનાથ બોઝ (બોઝ ગેસ, બોસોન)


5. ડો.ઉપેન્દ્ર બ્રહ્મચારી (બ્લેક ફીવર)


6. ઇ.સી.જી. સુદર્શન (ગ્લોબલ સુદર્શન થિયરી)


7. જગદીશચંદ્ર બોઝ (વાયરલેસ સંદેશાવ્યવહાર)


8. સી.એન.આર.રાવ


9. ડો.હોમી ભાભા (પરમાણું પિતામહ)


10. બીબા ચૌધરી (સબ એટોમિક પાર્ટીકલ)


11.દેબેંદ્ર મોહન બોઝ (ફોટોગ્રાફીક મેથડ પરમાણુ પ્રક્રિયા)


12. મેઘનાદ સહા (સહા આયોનાઇઝેશન ઇકવેશન-સમીકરણ)