Sunday, June 26, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૧


જીવનમાં જેમણે ઉત્તમ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી હોય તેમ છતાં એમના પગ જમીન પર જ હોય એવું જોવા મળે ત્યારે અજુગતું જરૂર લાગે જ. પોતાની વાતો અને પુસ્તકો થકી જેમણે વિશ્વમાં અભૂતપૂર્વ નામના મેળવી છે એવા ઈજરાયેલ દેશના ઉત્તમ ઇતિહાસકાર યુવલ નોઆ હરારી સાથેનો સહજ સંવાદ આપણને જીવનનો ઉત્તમ પાઠ શીખવી જાય છે. 

પ્રશ્ન: સવારે આંખ ખોલીને પહેલું કામ શું કરો છો?

યુવલ નોઆ હરારી: હું મારા શ્વાસ પર અને પુરા શરીરમાં અનુભવાતી સંવેદનાઓ (સેન્સેશન્સ)ને ઓબ્ઝર્વ કરું છું.

પ્રશ્ન: તમને એનર્જી કયાંથી મળે છે?

યુવલ: હું રોજ બે કલાક વિપશ્યના ધ્યાન કરું છું. 

પ્રશ્ન: સરળ જીવનનું રહસ્ય શું છે?

યુવલ: હું વાસ્તવિકતા અને કલ્પનાને છુટા પાડું છું અને વાસ્તવિકતા પ્રમાણે જીવું છું.

પ્રશ્ન: એક પુસ્તક જેણે જીવન બદલી નાખ્યું હોય?

યુવલ: રેને દેકાર્તનું પુસ્તક "ડિસ્કોર્સ ઓન ધ મેથડ" 

પ્રશ્ન: સુઈ જાવ ત્યારે ફોન સાથે રાખો છો?

યુવલ: હું સ્માર્ટફોન નથી વાપરતો. મારા જીવનસાથી પાસે છે એ પૂરતું છે.

પ્રશ્ન: તમને શક્તિ અને શાંતિ આપે તેવું એક વિધાન?

યુવલ: "વાસ્તવિકતાને તે જેવી છે તેવી રીતે જ જુવો, તમને મન થાય તે રીતે અથવા તે કેવી હોવી જોઈએ તે રીતે નહીં."


No comments:

Post a Comment