Sunday, June 19, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૦

 

        સાધારણતા (મીડીઓક્રીટી) બહુમતીમાં હોય છે, જ્યારે અસાધારણતા (એક્સલન્સ) લઘુમતીમાં હોય છે. 90 ટકા લોકો મીડીઓકર હોય છે. તેઓ વ્યક્તિમાં પોતાનું જ રિફલેક્શન જોવાનું પસંદ કરે છે. મીડીઓક્રીટી એટલે સારું પણ નહીં અને ખરાબ પણ નહીં-મીડીયમ, વચ્ચેનું, મધ્યમ અથવા ચાલે તેવું. 

        એક્સલન્સ એટલે અમુક બાબતો અથવા લોકો  કરતાં ઉપર હોવું, શ્રેષ્ઠ હોવું તે. કોઈ કંપની હોય, સંગઠન હોય કે સમાજ હોય, ત્યાં મીડીઓકર લોકોની સંખ્યા વધારે જ હોવાની કારણે તેનો મુખ્ય હેતુ બધું સમુસુતરું ચાલતું રહે તેટલા પૂરતો જ હોય છે. મીડીઓક્રીટી વર્તમાનમાં સફળ હોય છે કારણ કે વર્તમાનની જરૂરિયાત કામ થઈ જવા પૂરતી હોય છે, પરંતુ ભવિષ્યની જરૂરિયાતમાં એક્સલન્સની અનિવાર્યતા રહે છે, કારણે બહુમતી લોકોને એ વિશ્વાસ નથી હોતો કે મીડીઓક્રીટીથી ભવિષ્ય બની શકે. સાધારણતા વર્તમાનની વિશેષતા છે, અસાધારણતા ભાવીનો ગુણ છે.

No comments:

Post a Comment