Sunday, March 27, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૮

        


    દેશ વિશે ક્યારેક આપણને ક્યારેય ચિંતા થતી નથી કે આપણા નોકરને સહી કરતા આવડે છે કે નહીં. આપણા કર્મચારીઓને ક્યારેય ભણવા માટે આપણે પ્રેરિત કરી આપજો નથી જોયો, કર્યું હોત તો તે પોતાના બાળકોને ભણવા મોકલ્યા તે આપણે આ દિશામાં ક્યારેય વિચારતા નથી. દરેક વ્યક્તિએ આ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. દરેક વ્યક્તિએ અંગત રીતે પોતાના તરફથી કંઈક યોગદાન આપવું જ જોઈએ. લોકો શિક્ષિત થશે તો વાંચતા થશે અને વાત છે તો લેખની સાર્થકતા પણ વાત છે, જ્યારે આપણું ધાર્યું થતું જ નથી. આપણા બધા સપનાઓ સાચા  પડતા નથી ત્યારે આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ. રચનાને પુરસ્કાર મળે છે ત્યારે લેખકને મળતો નથી. મુંબઈથી દિલ્હી જતી વખતે હું milestone જોઉં છું પુરસ્કારો amazon જેવા છે અને સર્જનાત્મકતા યાત્રા છે. પુરસ્કારો મળવાની ઘણી માઈલસ્ટોન બની ગઈ છે. હવે તમારે આગળ વધવું જોઈએ તમારે તો તમારી મુસાફરીએ નીકળવાનું છે લખવાનું છે, milestone પર બેસી રહેવાનું નથી. સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો તો બહુ સારું લાગ્યું મજા આવે એવું લાગ્યું કે તમે કહેશો કે જો તો કે તો આ એ શહેર છે કે જે ફિલ્મી ગીતો લખે છે તો કહીશ નહિ ભાઈ આ ગીતો લખવા વાળા છે જેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે બસ એટલો જ ફરક પડ્યો છે પણ એના પર બેસી રહેવાનું નથી આ સફર તો ચાલુ રાખવાની છે

લી...ગુલઝાર સાહેબ

Monday, March 21, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૭

·         જે કંઈ તમને હેરાન - પરેશાન કરે છે તે તમને ધીરજ રાખતા અને શાંત રહેતા શીખવે છે.

·         જે કોઈ તમને તરછોડી દે છે તે તમને તમારા પોતાના પગ પર ઉભા રહેતા શીખવે છે.

·         જે કંઈ તમને ઉશ્કેરે કે દુભવે છે તે તમને ક્ષમા અને ઉદારતાના પાઠ શીખવે છે.

·         જે કંઈ તમારા પર હાવી થઈ જાય છે તે તમને નિયંત્રણ રાખતા શીખવે છે.

·         જે કંઈ તમને ધિક્કારે તે તમને બિન-શરતી પ્રેમ કરતા શીખવે છે.

·         જે કંઈ તમને ડરાવે તે તમને તમારા ગર્ભિત ભય પર વિજય મેળવવા હિંમત રાખતા શીખવે છે.

·         જે કંઈ તમે કાબૂમાં ન કરી શકો તે તમને જતું કરતા શીખવે છે.

·         જે કંઈ તમને અન્યો પાસેથી મળતું નથી તે તમને સ્વતંત્ર થતા શીખવે છે.

·         જે કંઈ તમને પ્રશ્ન રૂપે સતાવે તે તમને તેનો ઉકેલ શોધતા શીખવે છે.

·         જે કંઈ તમારા પર હુમલા સ્વરૂપે આવે તે તમને સામનો કે પ્રતિકાર કરતા શીખવે છે.

·         જે કંઈ તમને જાકારો આપે કે નીચા દેખાડે તે તમને ઉંચી નજર રાખતા, ઇશ્વર તરફ જોતા શીખવે છે.

·      જીવનના દરેક તબક્કે ગમે તે પરિસ્થિતીમાં હંમેશા કોઈક ને કોઈક પાઠ છૂપાયેલો છે તે શીખો. આમ કરવાથી જીવન ધોરણ ચોક્કસ સુધરશે.

ઇન્ટરનેટ પરથી.. 

Sunday, March 13, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૬

         આજ મારે વાત કરવી છે જીવનના ઘડતરની અને જીવનની માવજતની. આજનું બાળક કે યુવાન આપણા જુના પરંપરાગત રીતિ-રીવાજોને જો આધુનિકતાના સમન્વય સાથે અપનાવે તો તે જીવનમાં જોઇએ તે મુકામ હાંસલ કરી શકે છે. કારણ કે આપણા વડીલોએ ઘણા બધા રીવાજો માત્ર દેખાડો કરવા નહિં પણ જીવનના ઊંચા મૂલ્યોને સાર્થક કરવા માટે બનાવ્યા હતા, જે આજના વર્તમાન સમયમાં એટલા જ સત્ય પૂરવાર થયા છે.

         પહેલાના સમયમાં બાળકને છ કે સાત વર્ષનો થાય પછી જ શાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવતો અને ઘણા સમય સુધી એ એક રિવાજની જેમ સ્થાપિત થઇ ગયેલો. આ છ કે સાત વર્ષનું બાળક પોતાનું બાળપણ ખુબ જ સારી રીતે માણી લીધા બાદ, માં-બાપ અને દાદા-દાદીનું વ્હાલ પણ મનભરીને માણી લીધા બાદ શાળામાં દાખલ થનારુ એ બાળક પણ એટલી જ જીજ્ઞાસાવૃતિ સાથે જીવનના પાઠ શીખતો હતો. રમત-ગમત અને ખેલકુદના શીખેલા દાવથી શરીર કસાયેલું રહેતું. બાળકને બીમારીની બહુ અસર પણ થતી નહોતી. આ બાળકોએ પણ આગળ વધીને પોતાની યુવાનીમાં સારામાં સારી મહેનત કે પરિશ્રમથી તેમના જીવનમાં ઊંચા મુકામ હાંસલ કર્યા છે. ગાંધીજી, સરદાર પટેલ, ધીરુભાઇ અંબાણી, વિનોબા ભાવે, સ્વામી વિવેકાનંદ જેવા અનેક મહાપુરુષોએ જીવન કેળવણીની તાલીમ લઇને આગળ આવ્યા છે.

         અંતમાં એટલું જ કહેવાનું કે સ્પર્ધાત્મક અને ઝડપી ટેકનોલોજીના આ સમયમાં બાળકને માત્ર ભણતર જ નહીં પણ ઘડતર અને ગણતરવાળું વાતાવરણ પણ આપીએ. આ સાથે જ જય જય ગરવી ગુજરાત..

Sunday, March 6, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૫

ચાર્લી ચેપ્લિન 88 વર્ષ જીવ્યા 
તેમણે 4 નિવેદનો  દીધા:

(1) આ દુનિયામાં કંઈપણ કાયમ માટે નથી, આપણી સમસ્યાઓ પણ નહીં.
(2) મને વરસાદમાં ચાલવું ગમે છે કારણ કે કોઈ મારા આંસુ જોઈ શકતું નથી.
(3) જીવનનો સૌથી હારી ગયેલો દિવસ તે દિવસ છે જેને આપણે હસતા નથી.
(4) વિશ્વના છ શ્રેષ્ઠ ડોકટરો ...:
1. સૂર્ય
2. આરામ
3. વ્યાયામ
4. આહાર
5. આત્મગૌરવ
6. મિત્રો

જો તમે ચંદ્ર જોશો, તો તમે ભગવાનની સુંદરતા જોશો ...
જો તમે સૂર્ય જોશો, તો તમે ભગવાનની શક્તિ જોશો ...
જો તમે અરીસો જોશો, તો તમે ભગવાનની ઉત્તમ રચના જોશો. 

જીવન માત્ર એક યાત્રા છે! તેથી, મોજ થી  જીવો!અને ચિંતા છોડો