Tuesday, March 30, 2021

સર્જનની સરવાણી-૩૧

એક પિતાનું જીવનદર્શન 

        રાત્રે ઘર કેવી રીતે એડજસ્ટ કરવું તેના વિચાર કરતા કરતા સુઈ જવું એટલે મોટા ભાગે ઊંઘ પણ અધકચરી હોય. સવારે ઘડીયાળના કાંટે ઉઠી જવું પોતાનો ધંધો હોય તો ટેંશન ( હરીફાઈ-નાણા વ્યવસ્થા-સ્ટાફ) નોકરી હોય તો બોસનુ મૂડ ખબર નહી કેવું હશે તેનુ ટેન્શન. આજ ટેન્શન સવારમાં નોકરી જતા પહેલા પોતાના બાળકો સાથે બે મિનીટ હસી મજાક કરવા નથી દેતું. આખો દિવસ બોસ તરફથી આપેલા ટાર્ગેટ પુરૂ કરવાનું પ્રેશર. માણસ માણસ નહી પરંતુ ચાલતું ફરતું કુકર હોય. સાંજ પડતા પડતા તો બે ચાર ઉધરાણી કરવા વાળા ના ફોન આવી ગયા હોય પૈસા એડજસ્ટ ના થાય તો ઉપાડી શક્યા ના હોય. 

        મગજ ટોટલી  ચકરાવે ચડે કે આને શુ જવાબ આપું હજુ તો આ ચાલતું જ હોય ને યાદ આવે કે દિકરા માટે બે પુસ્તકો લેવાના છે અને બૂક સ્ટોરમાં જાય ત્યારે ખીસામાં ₹400 જ હોય ને બૂક ની કિંમત ₹500 હોય. તમે તે પૂરુષની લાચારી મહેસુસ કરી શકો? ₹100 ખુટતા હોય ત્યારે તેના દિલ પર શુ વિતતી હોય તે ખબર છે? તેના મગજમાંથી તેના દિકરાનો ચહેરો જ ના નિકળે. આતો જસ્ટ એક ઘટના લખી આવી તો અસંખ્ય ડિમાન્ડ આ પુરુષ પુરી કરે છે. સાંજે ઘરે આવે તો પરિવાર-સમાજ-સંબંધીનો એક નાનો મોટો ઝઘડો હોય જેમાં આ પુરુષની દલીલ સાંભળ્યા વગર તેને દોષી ઠહેરાવી દેવામાં આવ્યો હોય એક બાજુ તેના ગળામાં ખાવાનો કોળિયો ફસાયો હોય ને બીજી તરફ તેનુ આરોપ નામું વંચાતુ હોય કલ્પના કરી શકો તે કોળિયો ઉતારવો તેણે કેટલી કસમકસ કરવી પડતી હશે? 

        હા, પૂરુષ છે એટલે રડી તો શકે નહી એટલે એક ભીંત બની સહન કરી લેતો હોય. આખા દાહડાના સારા નરસા અનુભવો એટલું ઘેરતા હોય. તે ફક્ત એટલું માંગતો હોય બસ મને થોડી ફક્ત થોડી હું શ્વાસ લઈ શંકુ એટલી શાંતિ આપોને પ્લીજ! પણ કોઈ સાંભળવા વાળુ નથી હોતું બધાને બસ આ પૂરુષ આગળ સમસ્યા જ સંભળાવવી છે. આ પૂરુષ દ્વારા લાગણીમાં આવીને કરેલા વાયદાઓ યાદ કરાવવા છે. સ્ત્રી પાસે તો રડીને આખો ઠંડી કરવાનું સાધન છે પણ પૂરુષ? અરે તે તો રડી જ થોડો શકે? રાત્રે અંધારામાં આડા પડખે પડી ગળાનો અવાજ કોઈને સંભળાય નહી તે રીતે આખો ભીની હોય નાકના નસકોરા કોઈને સંભળાય નહી આટ આટલી કાળજી આ પુરુષે રડતી વખતે પણ લેવાની હોય છે. અને હા, ભુલે ચુકે આ પુરુષે કોઈ લોચો તો માર્યો તો તો જાણે ગયો કામથી તારા કારણે આમ થયું ને તારા કારણે તેમ થયું! અમે તો કહેતા જ હતા! મે તો ના જ પાડ્યો હતો મહેણા ટોહણાનો વરસાદ થઈ જાય. લોન હપ્તા, ઉધાર, ઘર ખર્ચ આ બધુ પુરૂ કરવા તે બોસની કેટલી વાતો સહન કરે છે! ઘણા કિસ્સા બને કે  એક જાટકે નોકરી છોડી દે પણ જવાબદારી! અને અને અને...

        આટલું કર્યા બાદ જે લોકો માટે આ કર્યું હોય તે પાછા એમ કહે કે “તમે મારા માટે કર્યું જ શું ?” આ સમયે શું વિતતી હોય તેની કલ્પના કરી શકો? ઓવર ફેમિનિઝમના સમયમાં પુરુષ વેદના લખવાનો એક નાનકડો પ્રયાસ માત્ર છે. ઓવરઓલ પુરુષ ખરેખર કંઈ નથી ઈચ્છતો બસ ઘરમાં થોડીક ફક્ત થોડીક શાંતિ જ માંગતો હોય છે તે થોડીક શાંતિ તેના માટે શક્તિ વર્ધક દવાથી ઓછું નથી હેતુ. ઘણા લોકો એવું પણ કહેશે કે કાળજી રાખો તો આવી સ્થિતિ ઉભી ના થાય પણ આ સુફિયાણી વાતો કાલચક્ર થોડું સમજે છે? તે તો કોઈની પણ જીદગી નો સમય ખોરવી દય છે.

અંતે મારી જ લખેલી બે લાઈન..

“સાંકડી ગલી ના છેડે પહોળા રસ્તા જોયા છે તો કેટલાક વિશાલ મેદાનો ના છેડા સાંકડા જોયા છે.

પીંછું ઉપાડી ને હલ્લો કરનારા જોયા છે તો પહાડ ઉપાડી છાના માના ચાલનારા પણ જોયા છે.”


સર્જનવાણી: દુનિયાની ગમે તેટલી મોટી લડાઈ પુરુષ જીતી જ જાય બસ તે જેની સાથે જોડાયેલ હોય તે લોકો તરફથી શાંતિ ને સહયોગ મળી રહે .

- મહેશ પુરોહિત, નવસારી ( વોટ્સએપ પરથી વિણેલા મોતી )

Monday, March 29, 2021

વિરલ વિભૂતિ :: શ્યામજી કૃષ્ણ વર્મા

 

        ભારતની આઝાદીમાં પોતાનો અમૂલ્ય ફાળો આપનારા આપણા ગુજરાતના જ શ્યામજી કૃષ્ણ વર્માને આપણે હર હંમેશા યાદ કરવા જ જોઇએ. આપણો દેશ જયારે આઝાદીના ૭૪માં વર્ષની ઉજવણી કરતો હોય ત્યારે એક ગરવા ગુજરાતી તરીકે આજે તારીખ ૩૦-૩-૨૦૨૧ ના રોજ એમની નિર્વાણતિથીએ આપણે આ મહાપુરુષને યાદ કરીએ, એમને વંદન કરીએ કે જેમના તો શબ્દોએ પણ ક્રાંતિ કરી હતી. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કચ્છનાં માંડવીમાં ૧૮૫૭ની ચોથી ઓકટોબરના રોજ થયો હતો. એમના પિતાની આર્થિક સ્થિતી નબળી હોવાથી તેઓ મુંબઇમાં આવી ગયા હતા. એમનું આગળનું ભણતર પણ અહીંયા જ થયું. શ્યામજી કૃષ્ણ વર્મા ભણવામાં ખુબ જ હોશિયાર હતા. એમના શિક્ષકો એમના ભણતર દરમિયાન જ માની ગયા હતા કે આ શ્યામજી આગળ જતા એક મહાન માણસ બનશે. નાનપણમાં જ એમની માતાનું અવસાન થવાથી તેઓ પોતાની નાનીને ત્યાં ભુજમાં રહીને ભણવા લાગ્યા. એમને આશા જન્મી કે હું ભણી ગણીને જરુર દેશનાં બાંધવો માટે કાંઇક કરીશ.

        એમણે શાળાજીવન દરમિયાન જ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાને જાણી લીધી અને એના પુસ્તકો પણ વાંચી લીધા હતા. એના જ કારણે એમનામાં આંતરસૂઝ, આવડત, હોશિયારી, નિર્ણયશકિત, લેખનશકિત જેવા ગુણોનો વિકાસ થયો હતો. હાઇસ્કુલના મિત્રો સાથે મળીને તેઓ એક ભીંતપત્ર દરમહિને બહાર પાડતા હતા. એમાં શ્યામજી ભારતીય સંસ્કૃતિ વિશેના લેખ લખતા હતા. હાઇસ્કુલમાં બધા જ એમની ધારદાર દેશદાઝ ભરેલી વાણીને સાંભળવા માટે આતુર રહેતા હતા. એમની વાણીમાં તે વિવિધ વિવિધ વિષયને અવનવા ઉદાહરણો, કટાક્ષો, શ્લોક વડે રજૂ કરતા હતા. એમની આટલી આવડત અને હોશિયારી હોવા છતાં પણ અવળા સંજોગો અને પોતાની આંખની ખામીને કારણે તેઓ પ્રથમ વખતે જ મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થયા હતા. આના કારણે તેઓ ખુબ જ હતાશ અને નિરાશ થઇ ગયા. પરંતુ બહુ જલ્દી જ એમણે સ્વસ્થતા પ્રાપ્ત કરીને ફરીથી પરીક્ષા આપી અને સારા માર્કસથી પાસ થઇ ગયા. ઇ.સ ૧૮૭૫માં સ્વામી દયાનંદ સરસ્વતીનો સંપર્ક થયો, જે એમના માટે સુભગ નીવડયો. જેમની જ પ્રેરણાથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને દેશસેવામાં જોડાઇ ગયા. એમણે પોતાનું આગળનું ભણતર ઓકસફર્ડ યુનિવર્સિટીમાં જઇને પૂર્ણ કર્યુ.

        એમની તેજસ્વિતા અને ઉજળી કારર્કિદીના સમાચાર વાયુવેગથી ચારેબાજુ ફેલાઇ ગયા હતા. એમને ઉદેપુરની કાઉન્સિલમાં ૧૮૯૩ દરમિયાન માનદ્‌ સભ્યપદ આપવામાં આવ્યું. આ સમય દરમિયાન જ એમને દેશી રજવાડાઓમાં પ્રાણ ફુંકવા માટે જૂનાગઢ રાજયના પણ દીવાન બનાવવમાં આવ્યા. પણ સાથી કર્મચારીઓની ખટપટના કારણે જ એમણે તે વખતના ૧૫૦૦ રૂપિયાના પગારવાળી નોકરી છોડી દીધી હતી. તેમને બ્રિટિશ સત્તાની ન્યાયપ્રક્રિયામાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો. હવે તેઓ સંપૂર્ણપણે રાષ્ટ્રવાદી વિચારધારાવાળા બની ગયા. લોકમાન્ય ટિળકનો સંપર્ક થયા બાદ શ્યામજી રાષ્ટ્રીય ચેતનાના કાર્યક્રમોમાં જોડાઇ ગયા હતા. તેઓ લોકજાગરણના નાયક તરીકે કાર્ય કરવા લાગ્યા હતા.

        એમણે ઈંગ્લેન્ડ જઇને " ધ ઇન્ડિયન સોશિયોલોજી " નામનું અખબાર ચાલુ કર્યુ. આ અખબારથી એમણે ભારતમાં રહેલા અંગ્રેજોનો ત્યાં જ રહીને વિરોધ કર્યો. ધીમે ધીમે એમનો આ વિરોધ એક આંદોલનના સ્વરૂપમાં બહાર આવવા લાગ્યો. ઇંગ્લેન્ડમાં ઇન્ડિયા હાઉસ નામની આંદોલન સંસ્થા બનાવી અને એમનું સફળ સંચાલન પણ કર્યુ. આ સંસ્થા થકી એમણે લખેલા લખાણો અને આપેલા વકતવ્યોનો એવો તો વિરોધ થયો કે એમને વગર સજાએ ઇંગ્લેન્ડ છોડવાની ફરજ પાડવામાં આવી.

        ઈંગ્લેન્ડથી તેઓ જીનીવા અને બર્લિન ગયા. જયાં પણ ગયા ત્યાં એમના શબ્દો વડે ક્રાંતિનો નાદ જગાવ્યો. દેશમાટે મરી ફીટવું એ જ એમની મહાનતા હતી. ઇ.સ ૧૯૨૭માં રશિયન ક્રાંતિની દસમી સંવતત્સરીમાં હાજરી આપવા માટે તેઓ રશિયા ગયા ત્યારે તેમની મુલાકાત પંડિત જવાહરલાલ નહેરુ સાથે થયેલી. રશિયાના ક્રાંતિકારી મેકિસમ ગોર્કીએ કહેલું કે “શ્યાજી વર્મા તો હિંદના મેઝેની છે.” આ એમના માટે ખુબ જ મોટું સન્માન હતું. દેશ માટે મરી ફીટવુ એ જ એમના જીવનનો ધ્યેય હતો. એક હિંમતવાન ક્રાંતિકારી તરીકે એમની છાપ લોકોના હ્યદયમાં અંકિત થઇ ગયેલી.

        પત્રકાર તરીકેની એમની નીડરતા, સચ્ચાઇ અને સાહસિકતા વગેરે કોઇને પણ સ્પર્શી જાય એવા એમના ગુણો હતા. આથી જ વર્ષો સુધી જ એમની કલમ ચાલતી રહી અને આપણા આ વીર સપૂત કલમ વડે ક્રાંતિ કરતા રહ્યા. શત્ શત્ નમન છે આવા આપણા ભારતીય સપૂતને. જય હિંદ.

Tuesday, March 23, 2021

સર્જનની સરવાણી-૩૦

 || ગેરેજમાં શરૂઆત પામેલી ટોપ કંપનીઓ ||

આજે ગેરેજ શબ્દ આવતાં જ આપણા મનમાં વાહનો રીપેર કરતી દુકાન આવે, પરંતુ વિદેશીઓ પોતાની ગાડીને પાર્ક કરવા માટે બનાવેલ એક ઓરડીને પણ ગેરેજ જ કહેતા હોય છે. જેમાં મોટે ભાગે ગાડીઓ રહેતી હોય છે અથવા બાળકને રમવાની જગ્યા કે પછી બીજા કામો માટે પણ ગેરેજ વપરાતું હોય છે. આવા જ ગેરેજમાં કંઇક ખૂરાફાતી વિચારોને આકાર આપીને આજે ઘણાં બધા બિઝનેસ આજે દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે. આજે તેવી જ કંપનીઓની વાત કરીએ, જે આવા જ એક ગેરેજમાં શરુ થઇ હતી અને આજે એ એટલી મોટી કંપની બની ગઈ છે કે જે વિશ્વના કોઈ પણ શહેરમાં તેની ઓફીસ ખૂલે, શહેરનો તે વિસ્તાર આપોઆપ પૉશ બની જાય છે. ચાલો તો, આવી જ કેટલીક કંપનીઓની ગેરેજ-સ્ટોરી જાણીએ. 

1.અમેઝોન

૧૯૯૪માં જેફ બેઝોસે તેના ગેરેજમાં જ ઓનલાઈન બુકસ્ટોર શરુ કર્યો હતો. તેને તેનો પહેલો ઓર્ડર ૧૯૯૫માં મળ્યો. થોડો સમય જતાં તેને સમજાયું કે તે યોગ્ય બિઝનેસમાં છે. ધીરે ધીરે અમેઝોનનો વેપાર વધ્યો અને ૧૯૯૭માં તેણે IPO બહાર પાડ્યાં. જેના પરિણામે ૫૪ મિલિયન અમેરિકન ડોલર જેટલું ઇન્વેસ્ટમેન્ટ મળતાં ૧૯૯૮માં amazon.com શરુ કરવામાં આવ્યું જ્યાં બુક્સ સાથે બીજી વસ્તુઓનો પણ ઓનલાઈન વેપાર મંડાયો. વિશ્વમાં ૪૦થી વધુ ઓફીસ સાથે અમેઝોન ૭,૫૦,૦૦૦ લોકોને રોજગાર પૂરો પાડી રહ્યું છે અને આજે કોઈ ક્ષેત્ર એવું નથી જેમાં અમેઝોન ઓપરેટ ન કરતી હોય.  

૨. ડિઝની

૧૯૨૩માં વોલ્ટ ડીઝનીએ તેના ભાઈ રોય સાથે મળીને કાકા રોબર્ટના ગેરેજમાં ડિઝનીનો સૌથી પહેલો સ્ટુડિયો શરુ કર્યો હતો. જ્યાં તેમણે Alice Comedies શૂટ કરવાની શરૂઆત કરી હતી. જે વિશ્વવિખ્યાત Alice’s Wonderland નો જ એક ભાગ હતી. આજે ડિઝની ૮ દેશોમાં તેમની ઓફીસ લઈને બેઠી છે જેમાં ૨,૨૩,૦૦૦ થી પણ વધુ લોકો કામ કરી રહ્યા છે. 

3. એપ્પલ

એપ્પલ એવી કંપની છે કે જયારે બ્રાન્ડીંગ કે માર્કેટિંગની કે કોઈ પણ વાત આવે ત્યારે તેનું નામ અને કામ બંને બોલતા જ હોય છે. સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝ્નિયાકે બનાવેલું પહેલું કોમ્પ્યુટર Apple 1 , જે ૫૦૦ ડોલરમાં વેચાયું હતું, તે જોબ્સના પેરેન્ટ્સના ગેરેજમાં જ બનાવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને બીજા ૫૦ કોમ્પ્યુટરનો ઓર્ડર મળ્યો  અને તે જ ગેરેજમાં 30 કોમ્પ્યુટર બનાવીને પહોંચતાં કર્યા હતા. એપ્પલ 21થી વધારે બ્રાન્ચ અને1,37,000 કર્મચારીઓના કાફલા સાથે વિશ્વમાં ટેક જાયન્ટ બનીને બેઠી છે. 

4. હાર્લી ડેવીડસન

ડ્રિમ કાર્સ તો બધાની અલગ અલગ હોઇ શકે, પણ કોઈ પણ વ્યક્તિની ડ્રિમ બાઇક તો હાર્લી જ હોય તેમાં બેમત નથી. સંજોગવશાત, લોકો જે બાઇક તેમના ગેરેજમાં હોવાના સપના સેવતા હોય છે, તે પહેલી હાર્લી બાઈકનું નિર્માણ પણ 'વિલિયમ હાર્લી'એ ગેરેજમાં જ કર્યું હતું. સાયકલમાં ફીટ કરવા તૈયાર કરેલ ડિઝાઈન પર  કામ કરતાં તેને બે વર્ષ લાગ્યા હતાં. 1903માં હાર્લી ઓફિશિયલી લૉન્ચ થઈ હતી.

5. ગૂગલ

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણતાં લેરી પેજ અને સર્જી બ્રિન બંનેએ સુસાનના ગેરેજમાં જ ગૂગલના પાયા નાખ્યાં હતાં. આ જ સુસાન, હાલમાં યુટયૂબ હેડ તરીકે કામ કરી રહ્યાં છે. હવે આ આખું બિલ્ડીંગ ગૂગલે ખરીદી લીધું છે અને તેની 20મી વર્ષગાંઠ પર તેને ગૂગલના યુઝર્સને ગૂગલ મેપ પર નિહાળી શકે તે માટે ખુલ્લું મૂક્યું હતું. ૧૭૦૦ ડોલર પ્રતિ માસમાં ભાડે લીધેલા ગેરેજથી ગૂગલ આજે કેટલું મોટું બન્યું તેની ખુદ લેરી પેજ અને સર્જી બ્રિનને પણ કલ્પના નહીં હોય.

6. HP 

સ્ટાર્ટ-અપ્સની નગરી સિલિકોન વેલીના હાર્દ, પાલો અલ્ટો ખાતે વબિલ હૅવ્લેટ અને ડેવિડ પેકાર્ડ 1939માં એક કાર પાર્ક થાય તેટલા ગેરેજમાં ઇલેક્ટ્રોનિક ટેસ્ટ ઇકવિપમેન્ટ્સ બનાવતા હતાં. આજે ૬૬,૦૦૦  એમ્પ્લોયીઝ સાથે કામ કરી રહેલી HPના જન્મ સ્થળ એટલે કે તે ગેરેજને 'સિલિકોન વેલીનું જન્મસ્થળ' ગણવામાં આવે છે. (કંપનીનું નામ HP હશે કે PH, તે બન્ને સ્થાપકો દ્વારા સિક્કો ઉછાળીને નક્કી કરવામાં આવ્યું હતું)

7. માઈક્રોસોફ્ટ

બાળપણનાં મિત્રો, બિલ ગેટ્સ અને પોલ એલન એક સાથે મળીને તેમની પ્રોગ્રામિંગ સ્કીલ્સથી બનાવેલું કોમ્પ્યુટર 1972માં બનાવીને વેચી પણ ચૂક્યા હતા. જેની શરૂઆત પણ ગેરેજમાં જ થઈ હતી. ત્યાં MITS, BASIC જેવા પ્રોગ્રામ્સ બનાવ્યા હતાં. આ જ ગેરેજમાંથી બહાર નીકળીને MICRO-computer SOFT-ware એટલે કે MICROSOFT સ્થાપી અને આપણે સૌ જાણીએ છીએ કે બિલ ગેટ્સ, જેને આપણે વર્ષોથી દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં જોઈએ છે, તેની સફર એક ગેરેજથી શરૂ થઈ હતી.

જો આવી કંપનીઓ પણ તેમની શરૂઆત ગેરેજથી કરી શકતી હોય તો તમારા કોઈ પણ નાનામાં નાના વિચારને આકાર આપી જ શકો ને?

સાભાર સાથે-વૉટ્સઅપ પરથી વિણેલાં મોતી

Sunday, March 21, 2021

કોઠાસૂઝ

આપણા બાળકોની કોઠાસૂઝ ખતમ થઈ શકે છે. 

વેલ, કોઠાસૂઝનો મતલબ કોઈ વિકટ પરિસ્થિતિનો પોતાની  આગવી આવડત દ્વારા આસાનીથી ઉકેલ લાવવો એવું થઈ શકે. 

ઉદાહરણ દ્વારા આજની અને જૂની પેઢીને સમજવાની કોશિશ કરીએ. 

મુંબઈમાં રસ્તા પર એક અત્યંત ધનવાન યુવતી ઉભી હતી, તેની બાજુમાં એક ગરીબ માણસે આવીને મૂંઝવણમાં પૂછ્યું કે બહેન અમદાવાદ જવા માટે શું કરવું? એ યુવતી એ નિર્દોષતાથી જવાબ આપ્યો, ''અંકલ, અહીંથી એક કેબ બુક કરી એરપોર્ટ પહોંચી જાવ, ત્યાંથી અમદાવાદની ફ્લાઈટ મળી જશે. સિમ્પલ."

બીજું મને આછેરું યાદ છે, વર્ષો પહેલા યુદ્ધ વખતે એક લશ્કરી ટ્રક એક ગામમાંથી પસાર થતો હતો. નાનકડા ગામમાં અંડર બ્રિજ થઈને એ ટ્રકને પસાર થવાનું હતું. , બીજો કોઈ રસ્તો નહતો. એમાં મુશ્કેલી એ હતી કે એ બ્રિજ ચાર ઈંચ ઊંચાઈમાં ટૂંકો હતો. ટ્રક પસાર થઈ શકે તેમ નહોતો. ટ્રક ડ્રાઇવર અને અંદર બેઠેલા બધા જવાનો મૂંઝાયા. એને ટ્રક પસાર થવાનો કોઈ ઉકેલ ન મળ્યો. એવામાં એક અભણ ગામડિયો ત્યાંથી પસાર થયો. તેણે સલાહ આપી કે, આ ટ્રકના બધા પૈડાની હવા કાઢી નાંખો. જેથી ટ્રકની ઊંચાઈ ઓછી થઈ જશે અને ટ્રક આ અંડરબ્રિજ નીચેથી સરળતાથી પસાર થઈ શકશે. 

બસ આ જ તફાવત છે. આજની જનરેશન અને આપણી જનરેશનમાં. 

આજના બાળકોમાં કોઠાસૂઝ ખતમ થઈ જશે એવો ભય નહીં મને ખાત્રી છે. એનું સૌથી મહત્વનું કારણ મોબાઈલ, ટીવી અને અન્ય ગેઝેટ છે. આ એક પશ્ચિમી દેશોનું રીતસરનું ષડયંત્ર છે. આજના બાળકોનું જીવન બંધિયાર છે. આજના બાળકો ઘરની ચાર દીવાલમાં કેદ છે. એને બહાર નીકળવું નથી. નવું નવું જાણવું, શીખવું નથી. કોઠાસૂઝ કેળવવા માટેનો સૌથી આસન ઉપાય તમારી જાતને એક્સપલોર કરો એ જ છે. 

દા. ત. કારમાં જતા હોવ, કાર કોઈ રેલવે ફાટક બંધ હોવાના કારણે ઉભી રહે ત્યારે આજના બાળકો મોબાઈલમાં રચ્યા પચ્યા હોય. જયારે આપણી વખતે મોબાઈલ નહોતા. આપણે કાર કે બસની બારીએથી બહાર શું થઈ રહ્યું છે એ જોતાં. લુહાર ધમણ હાંકતો હોય, મોચી જોડા સિવતો હોય, કુંભાર માટલા બનાવતો હોય કે સુથાર બારણું બનાવતો હોય એવા દ્રશ્ય આપણી નજરે પડતા. નવરા બેઠા એ આપણે જોતા. આવું આપણે રોજ ક્યાંક ને ક્યાંક કરતા રહેતા. આપણે જુન્ડમાં દોસ્તો સાથે ફરતા. જ્યારે આજનું બાળક મોબાઈલમાંથી પોતાની મૂંડી ઊંચી કરતું નથી. ઘરે આવેલ મહેમાનો ને જયશ્રીકૃષ્ણ કરવું નથી. મહેમાનો શું વાત કરે છે એમાં એને રસ નથી. આવી વાતચિતો ન સાંભળવાથી જે બહારી જ્ઞાન મળવું જોઈએ એ મળતું નથી. કોઠાસૂઝ એ આવા બહારી જ્ઞાન પર જ આધારિત છે. વાંક માત્ર બાળકોનો નહીં માતાપિતાનો પણ એટલો જ છે કારણ કે એ બાળકોમાં આવો રસ જાગૃત કરવામાં નિષ્ફળ રહ્યા છે.

આજનું બાળક મોટું થઈ ના ઇલેક્ટ્રિક ફ્યુઝ બાંધી શકશે, ના ઇસ્ત્રી, ટ્યુબલાઈટ જેવા ઇલેક્ટ્રિક ગેઝેટ રીપેર કરી શકશે. ના વાહનની નાની ખામીઓ ઉકેલી શકશે. ઘરના પ્લમ્બિંગ કે નાના મોટા કામ જાતે નહીં કરી શકે તેના માટે તેના જ સ્પેશિયલ કારીગરને બોલાવવા પડશે. બીજા પર આધારિત રહેવું પડશે. કારણ કે આજે નાની ઉંમરે એમણે આ બધું જોયું નથી કે કેમ રીપેર કરવું. નાની મુશ્કેલીઓમાં તે બીજા પર આધારિત રહેશે. 

હું તો ત્યાં સુધી કહીશ કે મોબાઈલ અને તેમાં આવતી PUBG કે એવી જ ગેમ, ટિકટોક એ રીતસરની આપણા બાળકોની કોઠાસૂઝ ખતમ કરવાનો કારસો છે. એ બધું કશા મૂલ્ય વગરનું ટાઈમ કિલર છે. આવનારી પેઢી બિઝનેશ કરી શકશે કે કેમ એ સવાલ છે. આવનારી પેઢીનું મુખ્ય ધ્યેય નોકરી જ હશે. જે આપણા દેશ માટે પણ ઘાતક છે. 

તો બાળકોમાં કોઠાસૂઝ વિકસાવવા શું કરવું? 

તેમની સાથે અલક મલકની ચર્ચા કરો. તેમને ઉપર જણાવેલ ઘરમાં, બહાર રોજિંદા જીવનમાં આવી પડતી સામાન્ય અડચણ બાબતે જ્ઞાન આપો. આપણી જૂની સંસ્કૃતિ અને રીતિ નીતિનું જ્ઞાન આપો. દરેક કાર્ય ક્ષેત્ર બાબતે જાણકારી આપો. સુથાર, કુંભાર, મોચી, લુહાર દરેક કર્મનિષ્ઠ કઈ રીતે કામ કરે એ સમજાવો. તેવા નાના નાના કામ કરાવો. સ્ક્રુ ડ્રાઇવર, હથોડી હાથમાં પકડાવી કામ કરાવો અથવા જે તે વ્યક્તિ આવા કામ કરતા હોય ત્યારે બાળકને તેમની પાસે ઉભા રાખી સમજાવો. તમે કે બીજા એ લાઈફમાં કરેલી નાની મોટી યુકિત પ્રયુક્તિ વિશે વાતો કરો. મોબાઈલ, ટીવી બંધ કરાવી પાસે બેસાડી વાતો કરો. ઘરે મહેમાનો આવે તો બાળકને તેમની સાથે બેસાડો. દરેક ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પ્રસંગમાં એ રસ કેળવે એવું કરો, પરંપરા સમજાવો. દીકરીઓને કિચનમાં સાથ આપવાનું શીખવો. સિલાઈ કરતા શીખવાડો.  આ બધાથી મગજ ફ્રેશ રહેશે.

ટૂંકમાં દરેક પ્રવૃત્તિમાં બાળક ઈનવોલ થશે, બહારના જગત સાથે તાદાત્મ્ય સાધશે તો એની કોઠાસૂઝ વધશે. બુદ્ધિનો વિકાસ થશે. કોઠાસૂઝના કલાસીસ ન હોય. જો કોઠાસૂઝ નહીં હોય તો બિઝનેશ મેનના પુત્રો તેનો વારસો સંભાળી શકશે નહીં. જો કોઠાસૂઝ નહીં રહે તો પશ્ચિમી દેશોના આપણી પાસે નોકરી કરાવવાના ષડયંત્રનો ભોગ આપણું બાળક બનશે જ એમાં બેમત નથી.

                                                                                                                વોટ્સએપ પરથી મળેલા મોતીડા 

Tuesday, March 16, 2021

સર્જનની સરવાણી-૨૯

              

        મિત્રો, જીદ આ એક માનવસ્વભાવના લક્ષણો પૈકીનું એક એવું લક્ષણ છે, કે જેમાં માણસ પોતાના વિચારોથી સામેના માણસોને પોતાની સમજ ઉત્તમ પ્રકારની હોય, તેમજ પોતે પોતાની સમજણના આધારે યોગ્ય નિર્ણયો લઈ શકે છે, તેવું દર્શાવવા માંગે છે. એટલું જ નહિ પરંતુ પોતે લીધેલ નિર્ણય યોગ્ય હોવાથી બધાજ માણસો તેમનો અમલ કરે એવું તેમનું માનવું હોય છે, અને વ્યક્તિઓ  તેમની વાત સહજતાથી સ્વીકારી ન શકે, છતાં પણ આવા વ્યક્તિઓ તેમને જબરદસ્તીથી મનાવવાનો પ્રયત્ન કરે આનું નામ જીદ.

       જીદમાં વ્યક્તિને પોતાનો દૃષ્ટિકોણ સાચો જ લાગતો હોય છે. પરંતુ આ દષ્ટિકોણ જ્યારે બીજા વ્યક્તિઓને સમજાવવા માટે ઉપયોગ થાય અને ત્યારે જો બીજા વ્યક્તિઓને આ દૃષ્ટિકોણ ન સમજાય અને સંપૂર્ણ વાત ન સમજે છતાં પણ પેલો વ્યક્તિ પોતાના દૃષ્ટિકોણને સામેના વ્યક્તિને સમજાવવા મજબૂર કરે છે,આનું નામ જીદ. હા, એવું  બની શકે કે પેલા વ્યક્તિનો દૃષ્ટિકોણ સાચો હોય, તેમનો વિચાર સારો તેમજ સાચો હોય. પરંતુ જ્યારે તમે સામેના માણસની મનઃસ્થિતી ચકાસ્યા વગર તમારી વાત તેમને કહો અને તમારી વાત મનાવવા મજબૂર કરો તો પછી ત્યાં તમારો વિચાર કેટલો પણ સારો હોય છતાં પણ આવો તમારો સુંદર વિચાર જીદ ની ઝાપટે ચડી ફગવાઈ છે. 

    બની શકે કે તમારો જે સુંદર વિચાર જીદ ને ઝાપટે ચડ્યો છે, એ વિચાર ઘણા બધા લોકો માટે ફાયદાકારક હોય, સામેનો વ્યક્તિ કે જે તમારા વિચારને સ્વીકારવા માટે તૈયાર નથી, એના માટે પણ લાભદાયી હોય પરંતુ એ વિચાર તમારા મનમાં જ્યારે એક ગાંઠ બની રહે છે, અને એ ગાંઠ વડે જયારે તમે  સામેના વ્યક્તને બાંધો છો અને એ આ ગાંઠમાં પોતાને બાંધવાની ના પાડે છે, ત્યારે તમને અને સામેના માણસને બંનેને અકળામણ અનુભવાતી હોય છે. 

    એટલા માટે મિત્રો આવી અકળામણ અનુભવવી એના કરતાં સારું એ રહશે, કે  આપણે ગાંઠ ન બનવાની કાળજી લઈએ, અને એ ગાંઠમાં આપણે અન્ય લોકોને પણ ન બાંધીએ ત્યારે આપણે અકળામણમાંથી મુક્ત બની શકીશું. આપણે ઘણી વાર સામેના વ્યક્તિઓના હિત માટે ઇચ્છતા હોઈએ, એમનું સારું થાય એ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ, પરંતુ ક્યારેક સમય તેમજ અમુક પ્રકારની પરિસ્થિતિઓ એવી બનતી હોય છે, કે એ સમય દરમિયાન આપણ સુંદર વિચારો તેમજ આપણી સામેના વ્યક્તિ પ્રત્યેની લાગણી વ્યક્ત કરવાનો સમય પરિપક્વ નથી બનેલો હોતો, અને આવા અપરિપક્વ સમયે આપણે આપણી લાગણી તેમજ આપણા વિચારો વ્યક્ત કરીએ છીએ, એટલા માટે જ આ ગાંઠો બંધાય છે, અને સમેના વ્યક્તિને પણ બાંધે છે.

    મિત્રો આપણે બસ એટલું જ ધ્યાન રાખવાનું છે, કે આપણે સાચા હોઈએ, આપણા વિચારો યોગ્ય હોય તેમજ આપણી સામેના વ્યક્તિ પ્રત્યેની લાગણી પણ યોગ્ય હોય પરંતુ સંજોગો યોગ્ય ન હોય તો આ આપણું બધું જ કાર્ય જીદ ના ઝપટે ચડશે અને સાથે સાથે આપણને પણ આ તુફાન માં ઘસેડી જશે. 

    એટલા માટે મિત્રો આપણે સમય તેમજ પરિસ્થિતિઓનું ધ્યાન રાખીએ અને આવા જીદનાં ઝાપટાથી તેમજ તેનાથી ઉત્પન્ન થતાં તુફાનથી બચીએ તેમજ સમય અને પરિસ્થિતિની સાથે સાથે આપણે સામેના વ્યક્તિની મનઃસ્થિતી પણ ચકાસવી ખૂબ જરૂરી બને છે આ પ્રકારની મનઃસ્થિતીની ચકાસણી માટે ખૂબ અગત્યનું હોય છે, એક સારો અનુભવ મનઃસ્થિતી ચકાસણી માટે કોઈ ટિપ્સ કે કોઈ પુસ્તકના હોઈ શકે, એ તો આપણી સમજણ અને અનુભવ પરથી ધીમે ધીમે વિકસિત થતી રહે છે. એટલા માટે મિત્રો સાચી સમજણ વિકસાવતા રહો અને નવા નવા અનુભવ પ્રાપ્ત કરતા રહો. 

Thursday, March 11, 2021

ગુણવંત શાહ વંદના

  ગુણવંત શાહ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ 


            પદ્મશ્રી ડો. ગુણવંત શાહ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે. એમનો જન્મ સુરતનાં રાંદેર ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં પુર્ણ કર્યું હતું; સાથે જ તેમણે માધ્યમિક શિક્ષણ સુરત ખાતે આવેલી જૈન હાઇસ્કૂલમાં લીધું હતું.

        તેમણે ઇસવીસન ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી ની ઉપાધિ મેળવી હતી. ઉપરાંત તેમણે ૧૯૫૯માં વડોદરાની મહારાજા માંથી બી.યુનિવર્સિટી માંથી બી.ઍડ.ની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ તેમણે ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી.ની ડિગ્રી અનુક્રમે ઇસવીસન ૧૯૬૧ અને ૧૯૬૪માં મેળવી હતી. 

    ગુણવંત શાહ મુખ્યત્વે નિબંધકાર છે. તેમના નિબંધસંગ્રહોમાં કાર્ડિયોગ્રામ (૧૯૭૭), રણ તો લીલાંછમ (૧૯૭૮), વગડાને તરસ ટહુકાની (૧૯૭૯), વિચારોના વૃંદાવનમાં (૧૯૮૧), મનનાં મેઘધનુષ (૧૯૮૫), ગાંધીની ચંપલ, બત્રીસે કોઠે દીવા, સંભવામિ યુગે યુગે (૧૯૯૪), કબીર ખડા બાજારમેં (૨૦૦૪), પરોઢિયે કલરવ, નિરખીને ગગનમાં, એકાંતના આકાશમાં, પ્રભુના લાડકવાયા, નિખાલસ વાતો, ગાંધીની લાકડી, પતંગિયાની આનંદયાત્રા, પતંગિયાની અવકાશયાત્રા અને અન્ય બીજાં પુસ્તકોનો સમાવેશ થાય છે.

    તત્વજ્ઞાન પર તેમણે મહંત, મુલ્લા, પાદરી (૧૯૯૯), કૃષ્ણનું જીવનસંગીત, વિચારોનાં વૃંદાવનમાં, અસ્તિત્વનો ઉત્સવ, ઇશાવાસ્યમ, ટહુકો, વગેરે જેવા ગ્રંથો લખ્યા છે. જાત ભણીની જાત્રા અને બિલ્લો ટિલ્લો ટચ એ તેમનાં આત્મકથાત્મક પુસ્તકો છે જ્યારે વિસ્મયનું પરોઢ (૧૯૮૦) તેમનું ગદ્યકાવ્ય છે. તેમના ચરિત્રગ્રંથોમાં મા, ગાંધી: નવી પેઢીની નજરે (૧૯૮૨), મહામાનવ મહાવીર (૧૯૮૬), કરુણામૂર્તિ બુદ્ધ (૧૯૮૩), સરદાર એટલે સરદાર (૧૯૯૪), શક્યતાના શિલ્પી શ્રી અરવિંદ અને ગાંધીનાં ચશ્માંનો સમાવેશ થાય છે.

    તેમની નવલકથાઓમાં રજકણ સૂરજ થવાને શમણે (૧૯૬૮) અને મૉટેલ (૧૯૬૮)નો સમાવેશ થાય છે.કોલંબસના હિંદુસ્તાનમાં (૧૯૬૬) તેમનું પ્રવાસપુસ્તક છે. શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ (૧૯૬૪), સાવધાન, એકવીસમી સદી આવી રહી છે(૧૯૮૭), કૃષ્ણનું જીવનસંગીત(૧૯૮૭) વગેરે તેમનાં પ્રકીર્ણ ગ્રંથો છે.

        ભારત સરકાર દ્વારા તેમને ૨૦૧૫માં ભારતના ચતુર્થ ઉચ્ચ પુરસ્કાર એવા પદ્મશ્રી વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને ઇસવીસન ૧૯૯૭માં મળ્યો હતો. ૧૯૭૯માં લેઇપઝિગ, પૂર્વ જર્મની ખાતે UNESCOનાં સેમિનારમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ. તેઓ એશિયન ડેવલોપમેન્ટ બેન્ક, મનિલામાં બાંગ્લાદેશ શિક્ષણ માટે ૧૯૮૪-૮૫ દરમ્યાન કન્સલ્ટન્ટ હતા.

        એમના પુસ્તકો સદાય વાંચવા ગમે અને દર રવિવારે એમની કોલમની વાટ પણ ગરવા ગુજરાતીઓ ખૂબ જ આતુરતાથી કરતાં હોય છે એવા ઉત્તમ કક્ષાનાં ગુજરાતી સાહિત્યકારને સર્જનાત્મકતાનું કુરુક્ષેત્ર પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. 

વિવેકાનંદની વાણી-મણકો -૩

        સ્વામી વિવેકાનંદ એટલે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો જીવંત પર્યાય। વિવેકાનંદે જાતે સમગ્ર ભારત અને વિશ્વમાં ભ્રમણ કરીને આપણી આ સંસ્કૃતિ અને એમાં રહેલી ઉત્તમ વાતોને લોકો સમક્ષ લાવવાનો વિન્રમ પ્રયત્ન કર્યો છે. આજના યુવાનો પણ એમની વાણી થકી પોતાના જીવનની દિશા નક્કી કરી શકે છે. સતત ભ્રમણ અને વ્યસ્તતા વચ્ચે પણ સ્વામીજી પોતાનું વાચન અને લેખન જાળવી રાખતા હતા. ઉભરતા ભારતના યુવાનો સાક્ષર બને અને સ્વશ્રયીની સાથે સ્વાવલંબી અને સક્ષમ બને એ વાત ને સમજાવતું એક ઉદાહરણ જોઈએ.
        એકવાર અમેરિકામાં પોતાના પ્રવાસ દરમિયાન વિવેકાનંદ વહેલી સવારે ન્યુયોર્ક શહેરની સડક પરથી પસાર થઇ રહ્યા હતા. એવામાં ત્યાં એક યુવાન છોકરો એમની પાસે આવ્યો અને કહ્યું કે સ્વામીજી તમે એક છાપું ખરીદશો? એ છોકરાનો દેખાવ ગોરો હતો અને ચહેરા પર અજબની ચમક અને તાજગી હતી. એમ છતાં વિવેકાનંદે ખુબ જ વિનમ્રતા સાથે એ યુવાનને ના પડી અને કહ્યું કે આ ઉંમરે તને છાપું વેંચતા જોઈને મને ઘણું દુઃખ થાય છે, આ તારી ભણવાની અને રમવાની ઉંમર છે. શું તારી પાસે પૈસાની અગવડતા છે તો હું કઈંક મદદ કરી શકું ? 
        એ યુવાન છોકરાએ સ્વામીજીને કહ્યું કે ના એવી કોઈ વાત જ નથી. અહીં અમેરિકામાં અમે એવું માનીયે છીએ કે અમુક ઉંમર પછી અમારે જાતે જ સ્વાવલંબી બનીને અમારી પોતાની જવાબદારી ઉપાડવી જોઈએ બાકી મારી પાસે ઘણા ડોલર છે અને મારા માતા-પિતા પણ સારી એવી કમાણી કરે છે. આ સાંભળીને સ્વામી વિવેકાનંદ ખુબ જ ખુશ થઇ ગયા અને એ છોકરાને અભિનંદન આપ્યા અને એની પાસેથી છાપું ખરીદયુ અને મલક્તાં તેમજ એક પ્રાર્થના કરતા ચાલી નીકળ્યા કે હે ઈશ્વર મારા ભારત દેશના યુવાનોને સ્વાવલંબી બનવા અને સ્વાશ્રયી થવા માટે પ્રેરણા આપજો. 

સર્જનવાણી: કોઈપણ રાષ્ટ્ની પ્રગતિ એ રાષ્ટ્રના યુવાનોની સંખ્યા પર નહીં પરંતુ યુવાનોની કાર્યક્ષમતા અને સ્વાવલંબન પર આધાર રાખે છે. 

Tuesday, March 9, 2021

સર્જનની સરવાણી-૨૮

આ તસ્વીરમાં દેખાતું સ્ટ્રક્ચર કેવું સામાન્ય છે, પણ તેની પાછળની કહાની દંગ કરી દે તેવી છે. ગોંડલના રાજા ભગવતસિંહે તેમના શાશન કાળ દરમ્યાન રસ્તા પર થોડા થોડા અંતરે આવા સ્ટ્રક્ચર (થાકલા) બનાવ્યા જે હાલ માં પણ ઉભા છે. 

એ જમાનામાં ગામડાની મહિલાઓને દુર દુર ખેતરથી ઢોર માટે વજનદાર નીરણ (ઘાંસની ભારી) માથે ઉચકીને આવવું પડતું અને જયારે થાકી જાય ત્યારે તે વજન નીચે ઉતારી આરામ કરવો પડતો. પરંતુ એ ભારી બીજાની મદદ વિના ફરીથી માથા પર ચડાવવાનું મુશ્કેલ હતું. નિર્જન રસ્તાઓ પર મદદ કરનાર કોઈ ન મળે. 

રાજાએ એકવાર એક મહિલાને ભારી ચડાવી આપી, અને વિચાર આવ્યો કે મારા રાજ્યની મહિલા બીજાની ઓશિયાળી ન રહે. પોતાની જાતે "ભારી" ઉતારી શકે અને ચડાવી શકે. અને આ પ્રકારના સ્ટ્રક્ચર ઠેર ઠેર તૈયાર કરાવ્યા. ભલે સામાન્ય લાગતું હોય પરંતુ સ્ત્રીઓની મુશકેલી જયારે કોઈ વિચારતું ન હોય તે સમયમાં એક રાજા આવું વિચારી શકતો હતો. માત્ર દીર્ઘદ્રષ્ટિ નહિ પણ નારીજીવન સુધારાનો ખ્યાલ રાજાના મનમાં આવ્યો. 

એવા ગોંડલના રાજા શ્રી ભગવતસિંહજી ને નમન.

Tuesday, March 2, 2021

સર્જનની સરવાણી-૨૭

 

        "પરફેક્ટ પાર્ટનર" થોડો છેતરામણો અથવા વધુ પડતો ગળચટ્ટો શબ્દ છે. જોડે રહેતી બે વ્યક્તિઓ ક્યારેય પણ એક સરખું ન વિચારે. એમના અભિપ્રાય,આદત,પસંદગી અને પ્રાથમિકતા અલગ હોવાના જ. જ્યાં આ ભિન્નતાનો સ્વીકાર છે , એની સમજ છે ત્યાં ઘણું ખરું સુમેળ ભર્યું ટકી રહે છે. 

        કેટલાકના મોઢે સાંભળ્યું છે. એમને ડર હોય છે કે મારું પાર્ટનર લગ્નના બે - ચાર વર્ષમાં મારાથી કંટાળી જશે તો? કેમ તમે વ્યક્તિ તરીકે ઇન્ટરેસ્ટિંગ નથી? નિરસ છો? તો થવા યોગ્ય છે. તમારી પાસે હળવાશ ,સેન્સ ઓફ હ્યુમર નથી તો ચોક્કસ તમે 'મહાબોરિંગ' હોવાના. તમે સ્ત્રી છો કે પુરુષ એનાથી ફરક નથી પડતો. તમે એકલા હોવ કે મેરિડ એનાથી પણ ફરક નથી પડતો. તમને 'રહેતા' અને 'રાખતા' આવડવું જોઈએ.તમે એટલા ઇન્ટરેસ્ટિંગ, એક્સપ્રેસિવ,રોમેંટિક,જોયફૂલહોવા જોઈએ કે તમારી સાથે અથવા આસપાસ રહેતા લોકોને તમારી કંપની ગમે. ખાસ કરીને લગ્ન બાદ. તમારો અંતર્મુખી સ્વભાવ દુનિયા માટે હોય શકે. તમારા અંગત વ્યક્તિ કે સાથી માટે નહીં. ત્યાં તમારે ખુલવું પડે. સહજ રહેવું , વર્તવું પડે. તમારી પાસે અવનવી વાતો, ટોપિક નહિ હોય તો જરૂર એ તકલીફ રહેવાની. દોઢ બે કલાક ચાલતા ફોન કોલ્સમાં કરવા જેવી ઘણી વાતો હોય છે. એ જ વાતો, શેરિંગ તમે લગ્ન પછી ય રૂબરૂ કરી જ શકો. લગ્ન જીવન બાદ શાંત સ્વભાવ જેવું કશું હોતું નથી. રમખાણો ચાલતા હોય ત્યારે  રમૂજ આવડવી જોઈએ. અલબત્ત પરિસ્થિતિ જોઈને. 

        કુદરતે માણસના મગજને ટ્યુન જ એ રીતે કર્યું છે કે એને સતત કશુંક નવીન / રિફ્રેશીંગ જોઈએ. લગ્ન બાદ લાઈફ બદલાય છે અને કમનસીબે એ મોટા ભાગે એકની એક બીબાઢાળ જ થઇ જતી હોય છે. પૈસાથી લઈને પારિવારિક આવા અનેક કારણોના લીધે. શરૂઆત હંમેશા રંગીન જ હોય પણ પછી ધીમે ધીમે શુષ્કતા આવતી હોય છે. બસ અહીંથી એક સ્ત્રી અને પુરુષનો ખરો રંગ અને રોલ શરૂ થતો હોય છે. તમને આવડવું 'જ' જોઈએ કે લાઈફને કેમ એકસાઈટીંગ રાખવી. એ મજા કરતા અને લેતા આવડે તો ક્યારેય એ કંટાળો આવતો નથી. બાકી  વ્યર્થ બહાનાબાજી, શુષ્ક દલીલો અને જીવતા ન આવડવાની અણઆવડત છે. 

        ઘણાંના મોઢે સાંભળવા મળે કે મેરેજ પછી પહેલાં જેવો પ્રેમ , ચાર્મ નથી રહેતો. પ્રેમ હંમેશા 'ઍવર-ગ્રીન' જ હોય છે. અકસ્માતે પતિ-પત્ની થઈ જાવ તો અલગ વાત છે. કારણ છે એકધારી જીવાતી રૂટિન લાઈફ. પ્રેમમાં હોવ ત્યારે જે 'થ્રિલ' મળતી હોય એ લગ્ન પછી રૂટિન લાઈફની લઢણ સામે નબળી પડી જાય છે. રિલેશનશિપમાં હોવ ત્યારે ચાલતી લાંબી કન્વરસેસન, મળવાની તડપ, જોવાનો તલસાટ, આવતો વિરહ અને મળતી સરપ્રાઈઝ , ખાનગી મુલાકતો આ બધું જ પ્રેમના ચાર્મને 'જીવતું' રાખે છે, પણ મેરેજ પછી પ્રેમનો ચાર્મ ક્યાં ગાયબ થઈ જાય એ ખબર જ નથી રહેતી.એકધારા રૂટિન શિડયુલ વાળી લાઈફ, ચાર્મને ઘટાડી દે છે, જે એક સમયે કલરફૂલ લાગતું એ જ હવે ફિક્કું લાગવા લાગે ત્યારે કરવું શું??

        જવાબ છે 'આર્ટ ઓફ Loving! લગ્ન બાદ 'વ્યક્તિ' એ કલાકાર હોવું જરૂરી છે!! સંખ્યાબંધ સમાધાનો અને સંઘર્ષ વચ્ચે પણ લાગણી ક્યારેય ફિક્કી નથી પડતી, બસ પ્રયત્નો ઓછા થઈ જાય છે. રિલેશનશિપમાં થ્રિલ અનુભવવા જે બધું પહેલા કરતા, બસ એજ બધું લગ્ન ના પાંચ કે પચીસ વર્ષે પણ ચાલું રહેવું જોય. 'રહેતા અને રાખતા' આવડવું જોય....

સર્જનવાણી:  પ્રેમ હમેશાં ઍવરગ્રિન જ હોય છે, માણસ 'આઉટ ઓફ ડેટ' થાય પણ 'પ્રેમ' નહીં.