Saturday, January 5, 2019

વિચારોના વેરાયેલા મોતીડાં

                                 

  • પ્રાર્થના એ અસ્તિત્વનો અહેસાસ છે નહિ કે બાહ્ય જગત તરફનું પ્રયાણ.
  • વિરોધ માટે પણ સહકાર આવશ્યક છે અને સંઘર્ષ પણ સહકાર માટેની જ રમત છે.
  • જયારે તમે જાણો ત્યારે તમે શ્નધ્ધા રાખો છો અને જયારે તમે નથી જાણતા ત્યારે તમે માનવાનું ચાલુ કરો છો.
  • શબ્દોની મર્યાદા ઓળંગવી એક સુંદર કળા છે, જેણે એ ઓળંગી છે એ ભગવાન છે.
  • વીરતા વારસામાં અને ખુમારી ખાનદાનમાં હોય છે, બાકીએના વાવેતર ના હોય !
  • ભાગી જવું ખુબ જ સરળ છે પણ જાગી જવું ખુબ જ અઘરુ છે, એટલે ભાગો નહિં પણ જાગો.
  • સાચો મિત્ર મેળવવા માટે ખીસ્સું નહિ દિલ ઉદાર રાખવુ પડે છે.

Tuesday, January 1, 2019

લેખનની આ દુનિયામાં એક નાનકડી કરવી છે શરુઆત

તમારી આંખો હસેને હોંઠ મલકે, નવુ વર્ષ બસ આમ જ છલકે ” 

             આ નવા વર્ષના પ્રારંભથી જ એક નવો વિચાર આવ્યો અને અમલમાં મુકવાની સાથે લેખનની દુનિયામાં આવ્યો છું. સર્વ તરફથી શુભ વિચારો અને શુભ વાણીની પ્રાપ્તિ થાય તેવી જ માં સરસ્વતીના ચરણોમાં  પ્રાર્થના. પૂજ્ય શ્રી મોરારીબાપુના શબ્દોમાં મનની પ્રસન્નતા માટે જ લખવાની શરુઆત કરી છે અને શબ્દો થકી કોઈના જીવનમાં કાંઈપણ બદલાવ લાવી શકું તો લખવાનું સાર્થક થશે. બાકી શબ્દોની આ દુનિયામાં રહેલા મારા આદર્શ અને પ્રેરણામૂર્તિઓને વંદન સાથે જય શ્રી કૃષ્ણ. ભારતમાતા કી જય

 

દિલ હૈ કદમો મેં કિસી કેં, સિર ઝુકા હો યા ના હો,

 બંદગી તો અપની ફિતરત હૈ, ખુદા હો યા ના હો ”