- પ્રાર્થના એ અસ્તિત્વનો અહેસાસ છે નહિ કે બાહ્ય જગત તરફનું પ્રયાણ.
- વિરોધ માટે પણ સહકાર આવશ્યક છે અને સંઘર્ષ પણ સહકાર માટેની જ રમત છે.
- જયારે તમે જાણો ત્યારે તમે શ્નધ્ધા રાખો છો અને જયારે તમે નથી જાણતા ત્યારે તમે માનવાનું ચાલુ કરો છો.
- શબ્દોની મર્યાદા ઓળંગવી એક સુંદર કળા છે, જેણે એ ઓળંગી છે એ ભગવાન છે.
- વીરતા વારસામાં અને ખુમારી ખાનદાનમાં હોય છે, બાકીએના વાવેતર ના હોય !
- ભાગી જવું ખુબ જ સરળ છે પણ જાગી જવું ખુબ જ અઘરુ છે, એટલે ભાગો નહિં પણ જાગો.
- સાચો મિત્ર મેળવવા માટે ખીસ્સું નહિ દિલ ઉદાર રાખવુ પડે છે.