Saturday, January 5, 2019

વિચારોના વેરાયેલા મોતીડાં

                                 

  • પ્રાર્થના એ અસ્તિત્વનો અહેસાસ છે નહિ કે બાહ્ય જગત તરફનું પ્રયાણ.
  • વિરોધ માટે પણ સહકાર આવશ્યક છે અને સંઘર્ષ પણ સહકાર માટેની જ રમત છે.
  • જયારે તમે જાણો ત્યારે તમે શ્નધ્ધા રાખો છો અને જયારે તમે નથી જાણતા ત્યારે તમે માનવાનું ચાલુ કરો છો.
  • શબ્દોની મર્યાદા ઓળંગવી એક સુંદર કળા છે, જેણે એ ઓળંગી છે એ ભગવાન છે.
  • વીરતા વારસામાં અને ખુમારી ખાનદાનમાં હોય છે, બાકીએના વાવેતર ના હોય !
  • ભાગી જવું ખુબ જ સરળ છે પણ જાગી જવું ખુબ જ અઘરુ છે, એટલે ભાગો નહિં પણ જાગો.
  • સાચો મિત્ર મેળવવા માટે ખીસ્સું નહિ દિલ ઉદાર રાખવુ પડે છે.

No comments:

Post a Comment