પવિત્ર સ્થાન એટલે એવું સ્થાન જ્યાં માણસને ભગવાનની ટપાલ મળે.એ ટપાલ મળે તે માટે બે બાબતો જરૂરી છે: મૌન અને એકાંત. ગુણવંત શાહનું આ વિધાન માણસને પોતાની જાત સાથે સમય વિતાવવાનો અનુરોધ તો કરે જ છે, પણ એ સાથે જ એક નવો માર્ગ બતાવે છે. એ માર્ગ એટલે પુસ્તક વાચન. વાચન માણસને વિચારવાન બનાવે છે. પુસ્તકો જીવનમાં પથદર્શક બની શકે છે. ઉત્તમ લેખકનું લખાણ એટલું ચુસ્ત હોય કે વાચકને કલ્પનાઓ કરવાની છૂટ ન આપે અને પોતાનો ઉદેશ્ય એકદમ નક્કર રીતે તેના મનમાં ઉતારી દે. સૌથી શ્રેષ્ઠ વાચક એ છે જે લેખકના ઉદેશ્યને અર્થઘટન કરીને દૂષિત ન કરે. આવા વાચનના પરિપાક સ્વરૂપે કેટલાક ઉત્તમ પુસ્તકોની યાદીનો બીજો મણકો આજે પ્રસ્તુત છે.
૧. અરધી સદીની વાચન યાત્રા ભાગ-૧ -સંપાદક : મહેન્દ્રભાઈ મેઘાણી
૨. સોક્રેટિસ (ક્લાસિક નવલકથા)-મનુભાઈ પંચોળી"દર્શક"
૩. પરોઢિયે કલરવ-ડો.ગુણવંત શાહ
૪. એલ્કેમિસ્ટ-પોલો કોએલો
૫. જય શ્રી કૃષ્ણ-જય વસાવડા
૬. ધ સાયકોલોજી ઓફ મની-મોર્ગન હાઉઝેલ
૭. સેપિયન્સ-યુવલ નોઆ હરારી
૮. બેહદ બાની-સુભાષ ભટ્ટ
૯. મોર્નિંગ મંત્ર-ધ્વનિત ઠક્કર
૧૦. હૈયું-મસ્તક-હાથ-ડો. ભદ્રાયુ વછરાજાની
૧૧. પાયાની કેળવણી-મહાત્મા ગાંધીજી
૧૨. અખેનાતન-ડો. આઈ. કે. વીજળીવાળા
૧૩. રામકથા-ફાધર કામિલ બુલ્કે
૧૪. સામ્યવાદનું સત્ય-સતિષચંદ્ર મિત્તલ
૧૫. આપણી વાત-વર્ષા પાઠક
૧૬. નાકોહસ-પુરુષોત્તમ અગ્રવાલ
૧૭. શબ્દના સગા-રજનીકુમાર પંડયા
૧૮. ઈન પ્રેઈઝ ઓફ વેસ્ટ ટાઈમ-એલન લાઈટમેન
૧૯. રાષ્ટ્રવાદ-સ્વ. ભરત દવે
૨૦. અથશ્રી-જીગ્નેશ અધ્યારુ
૨૧. વાઇકિંગ-હરીશ નાયક (અપ્રાપ્ય હોવાથી મોટી લાઇબ્રેરીમાંથી લાવીને વાંચવી)
૨૨. ઊદયાસ્ત-નિમેશ. જ. પંડયા
૨૩. દિવ્યચક્ષુ-રમણલાલ. વ. દેસાઈ
આપની વાચનયાત્રા જ આપની આનંદયાત્રા બની રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
નવી યાદી તારીખ....૨૩-૦૩-૨૦૨૪ ને શનિવારે..