Monday, March 21, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૭

·         જે કંઈ તમને હેરાન - પરેશાન કરે છે તે તમને ધીરજ રાખતા અને શાંત રહેતા શીખવે છે.

·         જે કોઈ તમને તરછોડી દે છે તે તમને તમારા પોતાના પગ પર ઉભા રહેતા શીખવે છે.

·         જે કંઈ તમને ઉશ્કેરે કે દુભવે છે તે તમને ક્ષમા અને ઉદારતાના પાઠ શીખવે છે.

·         જે કંઈ તમારા પર હાવી થઈ જાય છે તે તમને નિયંત્રણ રાખતા શીખવે છે.

·         જે કંઈ તમને ધિક્કારે તે તમને બિન-શરતી પ્રેમ કરતા શીખવે છે.

·         જે કંઈ તમને ડરાવે તે તમને તમારા ગર્ભિત ભય પર વિજય મેળવવા હિંમત રાખતા શીખવે છે.

·         જે કંઈ તમે કાબૂમાં ન કરી શકો તે તમને જતું કરતા શીખવે છે.

·         જે કંઈ તમને અન્યો પાસેથી મળતું નથી તે તમને સ્વતંત્ર થતા શીખવે છે.

·         જે કંઈ તમને પ્રશ્ન રૂપે સતાવે તે તમને તેનો ઉકેલ શોધતા શીખવે છે.

·         જે કંઈ તમારા પર હુમલા સ્વરૂપે આવે તે તમને સામનો કે પ્રતિકાર કરતા શીખવે છે.

·         જે કંઈ તમને જાકારો આપે કે નીચા દેખાડે તે તમને ઉંચી નજર રાખતા, ઇશ્વર તરફ જોતા શીખવે છે.

·      જીવનના દરેક તબક્કે ગમે તે પરિસ્થિતીમાં હંમેશા કોઈક ને કોઈક પાઠ છૂપાયેલો છે તે શીખો. આમ કરવાથી જીવન ધોરણ ચોક્કસ સુધરશે.

ઇન્ટરનેટ પરથી.. 

No comments:

Post a Comment