· જે કંઈ તમને હેરાન - પરેશાન કરે છે તે તમને ધીરજ રાખતા અને શાંત રહેતા શીખવે છે.
·
જે કોઈ તમને તરછોડી દે છે તે તમને તમારા પોતાના
પગ પર ઉભા રહેતા શીખવે છે.
·
જે કંઈ તમને ઉશ્કેરે કે દુભવે છે તે તમને ક્ષમા
અને ઉદારતાના પાઠ શીખવે છે.
·
જે કંઈ તમારા પર હાવી થઈ જાય છે તે તમને નિયંત્રણ
રાખતા શીખવે છે.
·
જે કંઈ તમને ધિક્કારે તે તમને બિન-શરતી પ્રેમ
કરતા શીખવે છે.
·
જે કંઈ તમને ડરાવે તે તમને તમારા ગર્ભિત ભય પર
વિજય મેળવવા હિંમત રાખતા શીખવે છે.
·
જે કંઈ તમે કાબૂમાં ન કરી શકો તે તમને જતું કરતા
શીખવે છે.
·
જે કંઈ તમને અન્યો પાસેથી મળતું નથી તે તમને
સ્વતંત્ર થતા શીખવે છે.
·
જે કંઈ તમને પ્રશ્ન રૂપે સતાવે તે તમને તેનો ઉકેલ
શોધતા શીખવે છે.
·
જે કંઈ તમારા પર હુમલા સ્વરૂપે આવે તે તમને સામનો
કે પ્રતિકાર કરતા શીખવે છે.
·
જે કંઈ તમને જાકારો આપે કે નીચા દેખાડે તે તમને
ઉંચી નજર રાખતા, ઇશ્વર તરફ જોતા શીખવે છે.
· જીવનના દરેક તબક્કે ગમે તે પરિસ્થિતીમાં હંમેશા
કોઈક ને કોઈક પાઠ છૂપાયેલો છે તે શીખો. આમ કરવાથી જીવન ધોરણ ચોક્કસ સુધરશે.
ઇન્ટરનેટ પરથી..
No comments:
Post a Comment