![]() |
વિશ્વના કોઈપણ દેશમાં થતી અલગ અલગ પ્રકારની શોધખોળો થકી જ માનવજ જીવન વધારે સુખ-સુવિધા યુક્ત બન્યું છે . અનેક રોગોની નાબૂદી સાથે લોકોના આયુષ્યમાં વધારો થયો છે, જીવનધોરણમાં પણ સમયાંતરે સુધારાઓ આવતા જાય છે. આવા સુધારાઓ માટે નિમિત્ત બનનાર સમાજસેવકો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ જ્યારે નોબલ પારિતોષિક થકી સન્માનિત થાય ત્યારે એમની ઓળખ વિશિષ્ટ બની જાય છે, વિશ્વ પણ એમને અહોભાવની નજરે નિહાળે છે.
આ નોબલ પારિતોષિક મેળવનાર ઘણા બધા અલગ-અલગ ક્ષેત્રનાં નિષ્ણાંતો સાથે ભારતીય વિભૂતિઓએ પણ કોઈને કોઈ પ્રકારે અમૂલ્ય ફાળો આપ્યો છે. પરંતુ એમની જોઈએ તેવી નોંધ લેવામાં આવ નથી. નોબલ પારિતોષિક માટે પસંદ થયેલા ભારતીય વૈજ્ઞાનિકો જેમને કોઈને કોઈ કારણોસર આ પારિતોષિક મળ્યું નથી પરંતુ તેમનાં જ સંશોધનો પર વિદેશી વૈજ્ઞાનિકોએ નોબલ મેળવ્યા હતા.
1. નારીન્દર સિંઘ કપાની (ઓપ્ટિકલ ફાઇબર)
2. ડો.જી.એન.રામચંદ્રન (પ્રોટીન બંધારણ)
3. સુભાષ મુખોપાધ્યાય (ટેસ્ટટ્યૂબ બેબીના જનક)
4. સત્યેન્દ્રનાથ બોઝ (બોઝ ગેસ, બોસોન)
5. ડો.ઉપેન્દ્ર બ્રહ્મચારી (બ્લેક ફીવર)
6. ઇ.સી.જી. સુદર્શન (ગ્લોબલ સુદર્શન થિયરી)
7. જગદીશચંદ્ર બોઝ (વાયરલેસ સંદેશાવ્યવહાર)
8. સી.એન.આર.રાવ
9. ડો.હોમી ભાભા (પરમાણું પિતામહ)
10. બીબા ચૌધરી (સબ એટોમિક પાર્ટીકલ)
11.દેબેંદ્ર મોહન બોઝ (ફોટોગ્રાફીક મેથડ પરમાણુ પ્રક્રિયા)
12. મેઘનાદ સહા (સહા આયોનાઇઝેશન ઇકવેશન-સમીકરણ)
No comments:
Post a Comment