Sunday, May 29, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૭

     

        અભિવ્યક્તિની સ્વતંત્રતા જ્ઞાનનો સોર્સ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા માત્ર અધિકારનો મુદ્દો નથી. એમાં જાણકારી, સમજણ, અભિપ્રાયો, આઇડિયા અને માન્યતાઓની આપ-લે પણ છે. આપણે અભિવ્યક્તિની સ્વતંત્રતાના માધ્યમથી એકબીજાના જ્ઞાનના પરિચયમાં આવીએ છીએ. એક વિચારશીલ સમાજની રચના વિભિન્ન અને ક્યારેક વિરોધાભાસી વિચારોના મેળામાંથી થાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ થાય છે એવું કહેવાનો અર્થ એવો થયો કે વ્યક્તિ પુસ્તક વાંચવાથી બગડી જાય છે. 

        એક ઉત્તમ વાચક ક્યારેય એવું ન કહે કે તેણે ભંગાર પુસ્તકો ક્યારેય નથી વાંચ્યાં. પુસ્તકો પર જો ફિલ્ટર લગાવ્યું હોત તો લોકોમાં મૌલિક વિચારશક્તિ વિકસી ન હોત. અભિવ્યક્તિની સ્વતંત્રતાથી અસત્ય શું છે તે સમજવાની ક્ષમતા પણ વિકસે છે અને છેવટે તેમાં સત્યનું જ કલ્યાણ થાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એક વ્યક્તિ અને એક સમાજની પ્રગતિ સાથે સીધી રીતે જોડાયેલી છે.

No comments:

Post a Comment