Sunday, May 1, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૩

 

        જ્યાં સુધી સ્ત્રી-પુરુષમાં એકબીજા પર અધિકાર સ્થાપવાનો ભાવ છે ત્યાં સુધી, ગમે તેટલા તેટલો મીઠો સંબંધ હોય, તેમાં કડવાશ આવી જ જાય. માણસો ટેલિવિઝન સેટ કે પાળતું પ્રાણી નથી કે તેના પર એકાધિકાર સ્થાપી શકાય, પરંતુ ઇન્ટિમેટ સંબંધોમાં એ ભાવ આવી જ જાય છે. કારણ કે રોમેન્ટિક પ્રેમ લોકતાંત્રિક નથી હોતો. એ સરમુખત્યારશાહીમાં માનતો હોય છે. એક્સલૂઝીવિટી તેનો ગુણ હોય છે, એટલે તે વ્યક્તિ પર તેનો એકાધિકાર સ્થાપે છે; મારા સિવાય તારું કોઈ નહીં. તેમાંથી જ ઓબ્સેશન અને માલિકીભાવ આવતો હોય છે. 

        આપણે સામાજિક, પારિવારિક, આર્થિક, શારીરિક કે ભાવનાત્મક કારણોસર એ કડવાશને નજર અંદાજ કરી દઈએ તે અલગ વાત છે, બાકી જો એવી સ્વાર્થી જરૂરિયાતો ન હોય તો 99 ટકા લગ્નો ખતમ થઈ જાય. મને એક સંબંધમાંથી જે જોઈએ છીએ તે જો મળતું બંધ થઈ જાય, તો પ્રેમનું તાત્કાલિક બાષ્પીભવન થઈ જાય.

No comments:

Post a Comment