મોટી ઉંમરની વ્યક્તિમાં જીજીવિષા કેવી રીતે જગાવવી.?" મોટી ઉંમરે નેગેટિવિટી આવવી સહજ છે. એક તો હોર્મોન્સ સપોર્ટ કરતાં ન હોય અને તેમાં નીચેનાં કારણો ઉમેરો કરે....
૧. અંતર્મુખી થઈ જવાય
૨. પરિવાર તેમનામાં રસ ન લે.
૩. ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન વધી જાય.
૪. શારીરિક બીમારીઓ હોય.
૫. ભવિષ્યને લઈને અસલામતી લાગે.
૬. સામાજીક કે ભાવનાત્મક સપોર્ટ ન હોય.
આજુબાજુના લોકો નીચેની બાબતોમાં મદદરૂપ થઈ શકે...
૧. નજીકના લોકો તરફથી સલામતીની ભાવના અને આત્મવિશ્વાસ મળતો હોય.
૨. સ્વતંત્રતાનો અહેસાસ થતો હોય
૩. પરિવાર સાથે લગાવનો અહેસાસ હોય, પ્રેમ, દરકાર, એટેનશન મળતું હોય.
૪. 'હું કામનો છું' તેવો ભાવ મજબૂત હોય, રોજિંદા કામોમાં સામેલગીરી હોય.
૫. પ્રાઇવસી જળવાય છે તેનો અહેસાસ હોય. માલિકીભાવ સચવાય.
૬. શારીરિક અને માનસિક વ્યાયામ થતો હોય, આનંદ આવે અને વ્યસ્ત રહેવાય તેવી હોબી હોય.
No comments:
Post a Comment