Sunday, April 17, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૧

         

        મૂરખને ટોકવો નહીં. એ તમારો દુશ્મન બની જશે. ડાહ્યાને ટોકો તો એ તમારી કદર કરશે. ડાહ્યો માણસ ખુદની અધુરપોથી જાગૃત હોય છે, એટલે એની ટીકા કરો તો તેને ગંભીરતાથી લઈને તે ખુદમાં કરેક્શન કરવા પ્રયાસ કરશે. એ ખોટો ન હોય તો પણ, તેનામાં ડહાપણનો પ્રભાવ એટલો હોય છે કે અનુચિત ટીકાથી તે વ્યથિત પણ થતો નથી. મૂરખને એવું લાગે કે તે સાચો જ છે, એટલે તેની ભૂલ બતાવો કે ટીકા કરો તો તે ખુદનો બચાવ કરવા લાગી જાય અને વળતામાં તમારી પર હુમલો કરે.  અસલમાં સ્માર્ટ માણસ સચ્ચાઈથી મ્હોં ન છુપાવે. એ હકીકતને સ્વીકારે અને તેને અનુરુપ પોતાનો દ્રષ્ટિકોણ બનાવે. અર્ધદગ્ધ માણસને સચ્ચાઈનો આયનો બતાવો તો તે આયનો તોડી નાખે. 

        ચાણક્યએ કહ્યું હતું કે, "મૂરખને જગાડવો નહીં, નહીં તો એ લવારી શરૂ કરી દેશે." આ વાક્ય સુધારવા જેવું છે, મૂરખને મોઢે ન લગાડવો, નહીં તો એ તમને મૂરખ સાબિત કરી દેશે. મૂરખને સુધારવો એ ગાલ પર બેઠેલા મચ્છરને મારવા જેવું છે...!

No comments:

Post a Comment