Sunday, April 10, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૦

ગુજરાતી ભાષા અને સાહિત્યનુ અણમોલ રતન એટલે કુન્દનિકાબેન કાપડિયા. ગુજરાતી ભાષા અને સાહિત્ય એમના ઉમદા સંપાદન અને લેખન માટે સદાય એમનું ઋણી રહેશે. એક કરતાં એક ચડિયાતી કૃતિઓ એમણે ગુજરાતી ભાષાને આપી. એમની સર્વોત્તમ કૃતિ સમાન સાત પગલાં આકાશમાં પરથી તો સ્ત્રીઓને પોતાની વાતો અને પોતાના જીવનના નિર્ણયો માટેની સ્વતંત્ર અભિવ્યક્તિ હોઈ શકે એ બાબતો પણ ઘણી સ્પષ્ટ બની છે. આવા કુન્દનિકા બેનના શબ્દોમાં એમના લખાણ વિશેની કેટલીક વાતો સાંભળીએ. "મને લખવાનું  ગમે છે એટલે હું લખું છું. મને શબ્દનું સૌંદર્ય આકર્ષે છે, અભિવ્યક્તિનું સૌંદર્ય આકર્ષે છે અને માનવ સંબંધોનું સૌન્દર્ય પણ આકર્ષે છે. એ બધાનું નિરૂપણ કરવાનું મને ગમે છે એટલે હું લખું છું. જો કે હમણાં લખવાનું ઓછું થઈ ગયું છે. પહેલા તો મોટાભાગના લખાણ સંપાદકોના આમંત્રણથી લખાતા,પણ વાચકોમાં સંવેદનશીલતા વધે સૌંદર્યબોધ પ્રકૃતિસૌંદર્ય વિચાર અને વ્યવહારનું સૌંદર્ય તથા સંબંધો નું સૌંદર્ય જોવાની દ્રષ્ટિ કેળવાય તે મુખ્ય હેતુ છે. કોઈપણ જાતના લેબલ વગર મનુષ્ય મનુષ્ય માટેનો પ્રેમ એટલે એવી અંતરની ઇચ્છા છે તો બસ એની આડઅસર છે. " 

No comments:

Post a Comment