Sunday, May 22, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૬

 


        મારી વિચારયાત્રા મારી જીવન યાત્રા બને એ દિશામાં મારા પ્રયત્નો અવિરત પણે ચાલુ રહેવા જોઈએ. માણસ વિચારતો હોય એ પ્રમાણે જીવવામાં તેને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. શક્ય બને ત્યાં સમાધાનવૃત્તિ સાથે જીવવાની આદત જો હોય તો વિચારો પ્રમાણે જીવી શકાય છે. વારંવાર એવું સાંભળવા કે વાંચવા પણ મળે છે કે જે માણસ વાંચે છે, તે વિચારે છે અને એ જ માણસ એ વિચારો પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ પણ કરે છે. 

        દરેક વખતે તમે સમાધાન કરવાની ટેવ રાખશો તો પોતાના વિચારોને પકડીને જીવવાનું સરળ બની શકે છે. મને ગમતી બાબતો દરેકને જ ગમતી હોય એવો આગ્રહ રાખવો એ અતિશયોક્તિ ગણાય. જીવન જીવવા માટે દરેકને પોતાના અભિગમ હોય છે. દરેક જણ પોતાના જીવનને ઊત્તમ રીતે જીવવા માગે છે,  પોતાના વિચારોની ઉન્નતિ માટે સારો અનુભવ પણ એટલો જ ઉપયોગી નીવડે છે. નિજાનંદી વ્યક્તિત્વ વિકસાવવા માટે પોતાની સરખામણી બીજા સાથે કરવાની આદત છોડવાની તૈયારી હોય તો જ તમે પોતાના વિચારો પ્રમાણે જીવન જીવી શકો છો. જીવન એટલે સતત ચાલતી વિચારોની ઘટમાળ.


No comments:

Post a Comment