Sunday, May 8, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૪

અંગત હોય કે વ્યવસાયિક, નાના હોય કે મોટા, આપણું રોજીંદુ સુખ સવારથી સાંજ સુધીના આપણાં ઉદ્દેશ્ય પર નિર્ભર કરે છે. આપણી પાસે દિવસ પસાર કરવાનું સ્પષ્ટ પ્રયોજન હોય તો આપણી અંદર અને બહારની અંધાધૂંધી વચ્ચે પણ આપણે સ્વસ્થતાપૂર્વક રસ્તો કરી શકીએ. 

નિત્શેએ કહ્યું હતું "He who has a why to live for can bear almost any how.” "હું સવારે શા માટે ઉઠું છું?" (જેને ઇકિગાઇ પણ કહે છે) એ એક પ્રશ્નના જવાબ પર આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તીનો આધાર છે. આપણે જીવતા છીએ એટલે સવારે ઉઠીએ છીએ. આપણે ઉઠીએ છીએ એટલે આપણે જીવતા છીએ. આપણી પાસે કાયમ માટે સૂતાં રહેવાનાં એક હજાર કારણો હોય તો પણ આપણે સવારે ઉઠીને કશુંક ને કશુંક કરતા રહીએ છીએ. આ 'કશુંક ને કશુંક' જીવનની ગુણવત્તા અને સાર્થકતા નક્કી કરે છે. 

કરવા જેવું કામ, પ્રેમ કરવા જેવી વ્યક્તિ અને ભવિષ્ય માટે ઉમ્મીદ...આ ત્રણ ચીજોનો સરવાળો થાય ત્યારે સુખ આવે છે.

No comments:

Post a Comment