Sunday, June 12, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૯

        જેને તમારી સામે વાંધો હોય, તેવી વ્યક્તિની એક આવડત જબરદસ્ત હોય, તમે કશું પણ બોલો, એ તમારા જ શબ્દોને ટ્વિસ્ટ કરીને, તમારા પ્રત્યે તેને કેમ નારાજગી છે, તેનો તત્કાળ પુરાવો આપે. નારાજ વ્યક્તિની એક માત્ર જરૂરિયાત તેની નારાજગીને ઉચિત ઠેરવવાની હોય છે, એટલે તેમને તમારી વાતોમાં નહીં, તમને દુઃખી કરવામાં રસ હોય છે. ઘણીવાર લોકોને તમારી સાથે પ્રોબ્લેમ નથી હોતો. તેમનો પ્રોબ્લેમ તમે તેમને શું ફીલ કરાવો છો તેનો હોય છે. તેમને એવું લાગે કે તેને કેવું લાગે છે તેની જવાબદારી તમારી છે. આને Sadness Paradox કહે છે. 

        જેમ એક દુઃખી માણસ દુઃખની ઘડીમાં મુકેશ કે દર્દભરે નગ્મે 'એન્જોય' કરે, તેવી રીતે તમારાથી નારાજ વ્યક્તિ જ્યાં સુધી તેની નારાજગી તમારામાં ટ્રાન્સફર ન કરે ત્યાં સુધી તેને સુખ ન મળે. એટલા માટે એક દુઃખી વ્યક્તિ સુખી વ્યક્તિને સહન ન કરી શકે. "પેટનો બાળ્યો ગામ બાળે" કહેવત આવી રીતે આવી છે.


No comments:

Post a Comment