Sunday, July 3, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૨

વયસ્ક ઉંમરે નવા દોસ્તો બનાવવા કેમ અઘરા હોય છે? કારણ કે દોસ્ત બનાવવા જેવા ઉત્તમ લોકો દોસ્તીઓ કરવા સિવાયનાં બીજાં સાર્થક કામોમાં વ્યસ્ત હોય છે. એ ઉંમરે આપણા જીવનની દિશા ગોઠવાઇ ગઈ હોય છે. દોસ્તો બનાવવા માટે નાની ઉંમરે આપણી પાસે જેટલો સમય અને અવસર હોય છે, તેની મોટા થયા પછી અછત સર્જાય છે. બીજું, શરૂમાં કહ્યું તેમ, વયસ્ક વયે દોસ્તીની વ્યાખ્યા બદલાઈ જાય છે. એ ઉંમરે આપણને ચોકલેટ આપે કે સિનેમા જોવા સાથે આવે તેવા દોસ્તોની જરૂર નથી હોતી. ત્યારે આપણને એવા સંબંધોની આવશ્યકતા હોય છે, જેમાં સમજદારી, સન્માન અને બહેતર પ્રગતિની ભાવના હોય. 

આપણે નાના હોઈએ ત્યારે આપણી અંદર બીજા લોકોને અધીન રહેવાની જરૂરિયાત હોય છે. આપણે પરિપક્વ થઈએ પછી ખુદના જીવનને અધીન થઈ જઈએ છીએ. આપણી એ દિશાની બહાર જઈને દોસ્તી કરવી અઘરી હોય છે. એટલા, જે લોકો વયસ્ક વયે દોસ્તીઓની તલાશમાં હોય છે, તે ન તો સાર્થક સંબંધને નસીબ થાય છે કે ન સાર્થક જીવનને.

No comments:

Post a Comment