Sunday, July 31, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૬

        

        અસહિષ્ણુતા બહાદુરીમાં લપેટાયેલી અસલામતી છે. આપણા તમામ દુર્વ્યવહારોના મૂળમાં ડર હોય છે, બહાદુરી નહીં. બાળપણમાં આપણે પેરેન્ટ્સ કે અન્ય વયસ્ક લોકોના માધ્યમથી જે વ્યવહારોના સાક્ષી બનીએ  છીએ (એમાં કલ્પનાઓ પણ આવી ગઈ), તેમાંથી આપણામાં ડરની ભાવના વિકસે છે. 

        બાળક તરીકે આપણે જો ત્રણ બુનિયાદી ગુણો- બીજાઓ માટેનો પ્રેમ, સદાચાર અને વિવેકબુદ્ધિમાં શ્રદ્ધા અને તેનું સન્માનના કરવાના ભાવ સાથે મોટા થઈએ, તો આપણા માટે દુર્વ્યવહાર અસંભવ બની જાય, પરંતુ જીવન એટલું આદર્શ નથી હોતું, પરિણામે આપણા ઉછેરમાં રહી ગયેલી એ રિક્તતાના કારણે આપણામાં અસલામતી પેદા થાય છે અને આપણે અસહિષ્ણુતા, નફરત, ચીડ, ડર, વગેરેથી એ રિક્તતને ભરી દઈએ છીએ. આપણી અંદરના એ ખાલીપાને કારણે આપણને 'અન્યો'માં એવો દુશ્મન નજર આવે છે, જે જાણે આપણી તકલીફો માટે જવાબદાર હોય. એક વ્યક્તિ કે એક સમાજની અસહિષ્ણુતાની અસલી સચ્ચાઈ તેનો ડર છે.


No comments:

Post a Comment