Sunday, August 7, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૭

       

         માણસો એમના પૂર્વગ્રહોને મળતી આવતી વાતોને ‘તથ્ય’ તરીકે સ્વીકારે છે, અને પ્રતિકૂળ તથ્યોને ‘અનુમાન’ ગણીને નામંજૂર કરે છે. પોતાના પૂર્વગ્રહોને સમજવા અઘરા હોય છે એટલું જ નહીં, પૂર્વગ્રહોથી બચવું પણ અસંભવ છે. આપણું મગજ રોજેરોજ અંદર આવતી જથ્થાબંધ ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવા સક્ષમ નથી, એટલે તે સિલેક્ટિવલી એવી ઇન્ફોર્મેશનને જાળવી રાખે છે જેનાથી તેને 'સારું' લાગે. આપણે જ્યારે તથ્યોને બદલે લાગણીઓના આધારે કોઈ મત બંધીએ, ત્યારે તેને મોટિવેશનલ રિજનિંગ કહે છે. 

        સોશિયલ મીડિયામાં જે હુંસાતુંસી, આક્રમક દલીલો, તૂ તૂ-મૈં મૈં અને ગાળાગાળી થાય છે તે આ મોટિવેશનલ રિજનિંગમાંથી થાય છે. પૂર્વગ્રહોના પ્રભાવને ઓછો કરવા માટે જ પ્રમાણો આધારિત વિજ્ઞાનનો વિકાસ થયો છે. જૂઠ બીજા માટે નહીં, ક્યારેક જાત સાથે ય બોલાતું હોય છે. એવા 'જાણકાર' માણસોને જાણકારી આપવી અઘરી હોય છે. જ્ઞાનનું વિરોધી અજ્ઞાન નથી, પણ ખોટી જાણકારી છે.


No comments:

Post a Comment