Sunday, July 24, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૫

        આપણે, બુદ્ધિની સરખામણીમાં, લાગણીઓને વધુ મહત્વ આપીએ છીએ. આપણે જન્મથી લાગણીશીલ છીએ, બુદ્ધિશીલ નહીં. બુદ્ધિ કેમ આવી? કારણ કે લાગણીઓ જીવનની જટિલતાને બોધગમ્ય બનાવવામાં નિષ્ફળ જવા લાગી હતી, અને બીજું, માણસમાં લાગણીઓને નિયંત્રિત રાખવાની જરૂરિયાત ઉભી થઇ હતી. 

        લાગણીઓ માનસિક વ્યાધિ બની જાય છે એવી સમજ માત્ર માણસમાં જ છે (પ્રાણીઓમાં નથી), અને તે બુદ્ધિનો પ્રતાપ છે. આત્મહત્યા કરનારા 90 પ્રતિશત લોકો ભાવનાત્મક વિકારથી પીડાતા હોય છે. તમે કોઈ તંદુરસ્ત વ્યક્તિને બગીચામાંથી બહાર નીકળીને બાજુમાં રેલવે ટ્રેક પર સુઈ જતી ક્યારેય નહીં જુવો. એની લાગણીઓમાં ગેરવ્યવસ્થા હોય તો જ એ શક્ય છે.  આપણે કરેલો પ્રત્યેક (સારો કે ખોટો) વિચાર તેને સમકક્ષ એક ઇમોશન સર્જે છે: હર્ષ અથવા હતાશા. હતાશામાં વધારો થવા લાગે તો તે ડિપ્રેશન લાવે છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ લાગણીઓની વિધ્વંસક પ્રકૃતિનું નિયંત્રણ કરવાને કહે છે.

No comments:

Post a Comment