Sunday, November 28, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૧

તમામ ગુસ્સાના મૂળમાં અતૃપ્ત ઈચ્છાઓ હોય છે. જેમ ઈચ્છાઓ વધતી જાય, તેમ ગુસ્સો પણ વધતો જાય. બાળપણમાં આપણે ગુસ્સે નથી હોતા કારણ કે મમ્મી-ડેડી 'કહ્યા' માં હોય છે, અને દરેક સ્થિતિ આપણી અનુકૂળ હોય છે. આપણી જરૂરિયાતો પણ મર્યાદિત અને આસાનીથી પુરી થાય તેવી હોય છે. મોટા થઈને ઈચ્છાઓ બદલાય, ત્યારે સમજાય છે કે વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ તો કંટ્રોલની બહાર છે. ગુસ્સાનું મૂળ આ છે; વ્યક્તિઓ અને પરિસ્થિતિ તો એની એ જ છે, પણ આપણી જરૂરિયાત બદલાઈ ગઈ છે. મમ્મી-ડેડી તો એનાં એ જ છે, પણ આપણી અપેક્ષા બદલાઈ ગઈ છે. સમાજ તો એનો એ જ છે, આપણી રીત બદલાઈ ગઈ છે. 

બધું આપણને અનુકૂળ નથી હોતું એટલે ગુસ્સો આવે છે. જેને કોઈની પાસેથી કશું જોઈતું જ ન હોય, એના માટે શાંત રહેવું આસાન હોય છે. આંતરિક કે બાહ્ય સ્તરે, દુનિયામાં અત્યારે લોકોમાં સૌથી વધુ ગુસ્સો છે. નાની ઉંમરે આપણામાં ગુસ્સો આવી જાય છે..આટલી અભૂતપૂર્વ પ્રગતિ પછી મનુષ્યજાત શાંત કેમ નથી?

No comments:

Post a Comment