Sunday, November 14, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૯

 

પુસ્તકો આપણને 'કેવી રીતે' વિચારવું એ શીખવાડે છે.  સમાચારો આપણને 'શું' વિચારવું એ શીખવાડે છે. પુસ્તકો આપણી માનસિકતાને આઝાદ કરે છે. સમાચારો તેને કાબૂમાં કરે છે. સતત સમાચારો જોતા રહેવું એ માનસિક બીમારીનો જ ભાગ છે. આપણે રોજ જે સમાચારોને 'આરોગીએ' છીએ, તે આપણા વિચારો અને લાગણીઓના સ્વાસ્થ્ય તેમજ વર્તનને પ્રભાવિત કરે છે. દુનિયાની ખબર હોવી એ અલગ બાબત છે, પણ સતત સમાચારોનું સર્ફિંગ કરતા રહેવું એ નિકોટીન ચૂસવા બરાબર છે. એક સર્વમાં અડધો અડધ અમેરિકનોએ સમાચારોના કારણે સ્ટ્રેસ, બેચેની, થકાવટ અને અનિંદ્રાની ફરિયાદ કરી હતી

No comments:

Post a Comment