Sunday, November 7, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૮

20મી સદીના ઇતિહાસને ત્રણ વાદથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે; ફાસીવાદ, સામ્યવાદ અને ઉદારવાદ. ફાસીવાદે કહ્યું કે મૂળ રાષ્ટ્રોની સમસ્યા છે, અને કોઈ એક શ્રેષ્ઠ સમુદાય, એક શ્રેષ્ઠ રાષ્ટ્ર અથવા એક શ્રેષ્ઠ વંશ હિંસક રીતે પુરા વિશ્વ પર વર્ચસ્વ સ્થાપિત કરીને તમામ સમસ્યાઓનો અંત લાવશે. સામ્યવાદે આવીને કહ્યું, ના. ઇતિહાસ બે વર્ગો વચ્ચેની અસમાનતાનો સંઘર્ષ છે. સામ્યવાદ એક નવી સામાજિક વ્યવસ્થા સ્થાપીને  સમાનતા લાવશે, પછી ભલે તેના માટે વ્યક્તિગત આઝાદીનું બલિદાન આપવું પડે. ઉદારવાદે કહ્યું કે ઇતિહાસ સ્વતંત્રતા અને નિરંકુશ શાસન વચ્ચેનો સંઘર્ષ છે. ઉદારવાદે કહ્યું કે આપણે સ્વાધીન સમાજનું નિર્માણ કરવું જોઈએ. દ્વિતીય મહાયુદ્ધે ફાસીવાદનું ગળું ઘોંટી દીધું. શીત યુદ્ધમાં સામ્યવાદનો ધનોતપનોત નીકળી ગયું. 20 સદીના અંતે આપણી પાસે ઉદારવાદ રહી ગયો છે, અને છેલ્લા એક દાયકાથી તેની પર પણ ઘા પડવાના શરૂ થયા છે.

No comments:

Post a Comment