Sunday, November 21, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૦

બીજા લોકોનું પ્રમાણપત્ર ક્યારે પ્રેરણમાંથી કેદ બની જાય તેની સભાનતા હોય તે વ્યક્તિને જ શાંતિ નસીબ હોય. આપણે આપણી આંતરિક પ્રેરણા અનુસાર આપણા જીવન પથ પર ચાલીએ છીએ, અને એમાં અધવચ્ચે બીજા લોકોનાં પ્રમાણપત્રો આપણો અવાજ બની જાય, ત્યારે આપણે બહુ આસાનીથી આપણા સુખ અને શાંતિને બીજા લોકોના હાથમાં મૂકી દઈએ છીએ. આપણને ચૈનથી ઊંઘ આવે એની જવાબદારી આપણા ચાહકોની નથી. આપણા ચાહકો તો તેમના ચૈનની તલાશમાં આપણી આસપાસ ટોળે વળેલા હોય છે. એમાં એમને જે જોઈએ છે તે ન મળે, તો જે હાથ આપણા માટે તાળી પાડે, એ જ હાથ આપણને ચૂંટી પણ ખણી શકે છે. 

આ સમજ હોય તે વ્યક્તિ જ સફળતા અને લોકપ્રિયતાને જીરવી શકે. બીજા લોકો આપણને ચાહે ત્યાં સુધી તો બરાબર છે, પણ આપણી કમબખતી ત્યારે શરૂ થાય જ્યારે આપણે આપણા ફેન થઈ જઈને તાળીઓ પાડવા માંડીએ.

No comments:

Post a Comment