“ વિવેક અને આનંદ પર એ
સ્વામીનું રાજ છે,
દેશના યુવાનના આદર્શનો જેની પાસે તાજ છે ”
ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને વિશ્વમાં ઉજાળનાર આપણા મહાપુરુષ
વિવેકાનંદ આજે પણ એટલા જ પ્રસ્તૃત છે. એમના શબ્દો અને વિચારો આજે પણ દરેક યુવાનને
જીવન જીવવાની ચાવી આપે છે. સશકત, સ્વાભીમાની અને ઉચ્ચત્તમ કક્ષાનું ચારિત્ર્ય ધરાવતા યુવાનો થકી જ આપણે
આપણી ભારતીય સંસ્કૃતિની અસ્મિતાને ફરીથી વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કરી શકીશું.
એકવાર એક પ્રોફેસરે કલાસમાં બધા જ વિધાર્થીઓને સવાલ કર્યો કે આ
દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોણે બનાવ્યું? શું પરમ કૃપાળુ
પરમાત્માએ જ બધી રચના કરેલી છે? એક વિધાર્થીે એ કહ્યું કે હા, સાહેબ.
પ્રોફેસરે ફરીથી કહ્યું કે તો
પછી શેતાનને કોણે બનાવ્યો? શું એને પણ પ્રભુ એ જ બનાવ્યો છે?
વિધાર્થી એકદમ શાંત થઇ ગયો અને થોડીવાર પછી એણે
પ્રોફેસરને વિનંતી કરી કે શું હું આપને કેટલાક સવાલો કરી શકું ? પ્રોફેસરે સંમતિ
આપી.
વિધાર્થીએ કહ્યું કે શું ઠંડી
જેવું કાંઇ હોય છે? પ્રોફેસરે કહ્યું કે ચોક્કસ હોય છે.
વિધાર્થીએ કહ્યું કે માફ કરશો
સાહેબ પણ તમારો જવાબ ખોટો છે. ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે.
વિધાર્થીએ બીજો સવાલ કર્યો કે
શું અંધારુ અસ્તિત્વ ધરાવે છે? પ્રોફેસરે ફરીથી હા કહી. પણ વિધાર્થીએ કહ્યું કે સાહેબ આ વખતે પણ આપનો
જવાબ ખોટો છે, કારણકે ખરેખર તો અંધારાનું કોઇ જ અસ્તિત્વ નથી, એ તો માત્ર
અંજવાળાની ગેરહાજરીનું પરિણામ છે. જયારે અંજવાળું આવે ત્યારે અંધારુ ગાયબ થઇ જાય
છે.
તેવી જ રીતે શેતાનની પણ
પોતાની કોઇ હયાતી કે અસ્તિત્વ નથી, એ તો માણસ માત્રની ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધાની, આસ્થાની, કે વિશ્વાસની
ગેરહાજરીનું પરિણામ છે. આ જવાબો આપનાર વિધાર્થી એટલે આપણા સ્વામી વિવેકાનંદ.
No comments:
Post a Comment