Sunday, October 10, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૪

આપણી જરૂરિયાતો પૂરી થઇ જાય, પછી આપણે 'સુખી' નથી થઇ જતા, આપણે બોર થઇ જઈએ છીએ, કારણ કે જરૂરિયાતો પૂરી થઇ જવાથી તેને પૂરી કરવાની ઉત્તેજના પણ સમાપ્ત થઇ જાય છે. આપણે જેન સુખ કહીએ છીએ, તે હકીકતમાં જરૂરિયાતો પૂરી કરવાની કોશિશમાંથી પેદા થતી ઉત્તેજના છે. જરૂરિયાત જયારે સંતોષાઈ જાય, પછી આપણને સવાલ થાય; બસ આટલું જ? હવે શું? પણ સુખની ચાવી નવીનતામાં નહીં, જુનામાં ઉત્તેજના જાળવી રાખવામાં છે. એ ઉત્તેજના ત્યારે જળવાય, જ્યારે આપણે આપણા કામકાજ અને રોજિંદી ગતિવિધિ પાછળના હેતુને સ્પષ્ટ કરીએ. 

હું સવારે શા માટે ઉઠું છું.? એ પ્રશ્નનો ઉત્તર જો હોય, તો પછી તેને સિદ્ધ કરવામાં એકસાઇટમેન્ટ હશે, અને બોરડમ નહીં પજવે. જરૂરિયાતો સરળતાથી પૂરી કરવાને બદલે તેને અઘરી બનાવી રાખીએ તો એ ચેલેન્જ આપણને બોર નહીં થવા દે. કામકાજથી લઈને મોજમસ્તી અને સંબંધોમાં નાની-મોટી ચેલેન્જ જાળવી રાખવી. એને જ દિલચસ્પ જીવન કહે છે.

No comments:

Post a Comment