Sunday, October 24, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૬

કોઈની પાસેથી કશું શીખવા માટે, તેની સાથે સહમત થવું જરૂરી નથી. સહમતી એ આપણો વ્યક્તિગત પૂર્વગ્રહ છે. આપણે તેના ચશ્માં પહેરીને બીજાની વાત પર સહમતીની મહોર લગાવીએ છીએ. હકીકતમાં, એ ખુદનાં ચશ્માં પર વાગેલી મહોર છે; "હા, આ ચશ્માં પહેરીને મને ચોખ્ખું દેખાય છે." આવી રીતે કશું શીખવા ના મળે, કારણે કે શીખવા જેવું જે હતું તેનાં તો આપણે ચશ્માં પહેરી રાખ્યાં છે ને! ઇન ફેક્ટ આપણે એની પાસેથી જ શીખી શકીએ, જે આપણાં ચશ્માંને ચેલેન્જ કરે, અને એવો દ્રષ્ટિકોણ આપે કે આપણને આપણા વિચારોમાં શંકા પડવા લાગે. 

આપણે જેની સાથે સહમત થઈએ છીએ, એ લોકો તો આપણે જે માનીએ છીએ, એનું જ કન્ફર્મેશન આપે છે. આપણે દરેક બાબતને સહમતી કે અસહમતીના પૂર્વગ્રહથી જોવાને બદલે એવું વિચારવું જોઈએ કે એ બાબત કોઈક રીતે મારા વૈચારિક વિકાસ માટે ઉપયોગી છે....?

No comments:

Post a Comment