Sunday, October 3, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૩


સારી-ખરાબ લાગણીઓને પારખવી, તેને નિયંત્રણમાં રાખવી અને તેની પાસેથી રચનાત્મક કામ કેવી રીતે લેવું તે શિક્ષણનો હિસ્સો હોવો જોઈએ. આપણે બૌદ્ધિક વિકાસ કેવી રીતે થાય તેના પર સવિશેષ ભાર આપીએ છીએ, પરંતુ ઇમોશનલ મેનેજમેન્ટની આપણને ખબર નથી, તે આશ્ચર્યજનક છે. બહુ બધા લોકો ઇમોશનલ મેનેજમેન્ટની સ્કિલના અભાવથી સંબંધો, વ્યવસાય, શારીરિક-માનસિક તંદુરસ્તી, ખાવા-પીવામાં સંઘર્ષ કરે છે અને બિનજરૂરી વેઠે છે. બુદ્ધિની જેમ ઈમોશનલ વિકાસ પણ જો નક્કર હોય, તો માત્ર આપણી જ નહીં, આપણા કારણે આપણી આજુબાજુના લોકોની જિંદગી પણ કેટલી સરળ બની જાય...! 

             આપણામાં ઘણી બધી ભૂલો કર્યા પછી અને ઘણા દુઃખી થયા પછી ભાવનાત્મક પરિપક્વતા આવે છે. આપણે એવુ માનીએ છીએ કે માણસ અનુભવથી જ ઘડાય. એ સાચું હોય તો પણ, જિંદગી જીવવાની શરૂઆત થાય, ત્યારે જ બુનિયાદી ભાવનાત્મક ડહાપણ આવી જવું જોઈએ. જે લોકો લાગણીઓમાં સ્ટ્રગલ કરે છે, તે જીવનમાં સ્ટ્રગલ કરે છે.


No comments:

Post a Comment