Sunday, October 17, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૫


 આપણું સ્વાસ્થ્ય બહેતર હોય, કોઈ વ્યસન ન હોય, સ્થિર આવક હોય, ન્યૂનતમ જરૂરિયાતો હોય અને અડધી રાતે વાત કરી શકાય તેવા પ્રિયજનો-મિત્રો હોય, તો આપણે દુનિયાના મોટાભાગના લોકો કરતાં ઘણા નસીબદાર અને સફળ કહેવાઈએ. આપણે દુનિયા કયા જઇ રહી છે તે જાણતા નથી, એટલે આંધળા બનીને દુનિયાથી દોરવાઈ રહ્યા છે, પણ આધુનિકતાના દિવા હેઠળનું અંધારું ય જોવા જેવું છે. એક અંદાજ પ્રમાણે, આખી દુનિયા જો પશ્ચિમના મોડેલ પર જીવતી થઈ જાય, તો પ્રોડક્શન માટે બીજી પાંચ પૃથ્વી જેટલી જમીનની જરૂર પડશે. 2017માં વિશ્વમાં 3.5 બિલિયન ઉપભોક્તાઓ હતા, જે 2030 સુધીમાં 5.6 બિલિયન થઈ જશે. છેલ્લા ચાર દાયકામાં વિશ્વમાં જેટલો ભૌતિક વિકાસ થયો છે, તેની સરખામણીમાં એટલું જ આધ્યાત્મિક (આત્મિક અથવા માનસિક) પતન થયું છે. દુનિયાનો એક મોટો વર્ગ સ્વાસ્થ્યની, નાણાંકીય, કોઈને કોઈ વ્યસનની, ભોગવાદની અને એકલતાની સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે.

No comments:

Post a Comment