Sunday, December 26, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૫

 

શરમ સામાજિક ભાવ છે, કુદરતી નહીં. આપણને એટલે શરમ નથી આવતી કે આપણે જે કર્યું છે તે અનુચિત છે. શરમ ન એટલે આવે છે કારણ કે બીજા કહે છે કે તે અનુચિત છે. આપણામાં શરમનો ભાવ ત્યાં સુધી જ રહે, જ્યાં સુધી આપણામાં બીજા લોકોના અભિપ્રાયનું મહત્ત્વ હોય. 

જો કોઈ ટોકવાવાળું ન હોય, તો આપણે શરમ ન અનુભવીએ. શરમ અનુભવવા માટે એ જરૂરી છે કે મને એ ખબર હોય મેં કોઈ ધારાધોરણનું ઉલ્લંઘન કર્યું છે. એટલા માટે ખાનગીમાં કરેલી અનીતિમાંથી માણસ કોઈ જ બોધપાઠ ના લે. તેની અનીતિ જેટલી સાર્વજનિક હોય, એની પાઠ શીખવાની સંભાવના એટલી વધુ હોય. ખાનગીમાં મનુષ્યને શરમ ન આવે. ખાનગીમાં વ્યક્તિ સામાજિક રીતે અનુચિત કામોને પણ ઉચિત જ માનતી હોય છે. દંભ એટલા માટે સૌથી ઉપયોગી અને હાથવગો ગુણ છે. એ સમાજને પણ સુખી રાખે છે અને આપણે જે કરવું હોય તે કરવાની ઇજાજત આપે છે.

No comments:

Post a Comment