Sunday, December 12, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૩

ઈમોશનલ મેનેજમેન્ટ અથવા ઈમોશનલ ઇન્ટેલિજન્સ એટલે અંગત કે વ્યવસાયિક સંબંધોમાં પોતાની અને અન્ય લોકોની લાગણીઓને સકારાત્મક દિશામાં નિયંત્રિત કરીને પારસ્પરિક ઘર્ષણો ટાળવાં તે. એવી વ્યક્તિમાં આ ૫ વિશેષતાઓ હોય...

૧. પોતાની લાગણીઓને પારખી શકે (સેલ્ફ અવેરનેસ) 

૨. વ્યવહારિક રીતે તેનો શું અર્થ થાય તે સમજી શકે (સેલ્ફ એનાલિસિસ)

૩. એ લાગણીઓની બીજા પર શું અસર થાય, તેનાથી વાકેફ હોય (એમ્પથી)

૪.  લાગણીઓને નિયંત્રિત કરી શકે (સેલ્ફ રેગ્યુલેશન)

૫. બીજાની લાગણીઓને પારખી શકે અને નિયંત્રણમાં રાખી શકે (સોશ્યલ સ્કિલ)

ઈમોશનલ ઇન્ટેલિજન્સની પહેલી શરત એ છે કે લાગણીઓની બાબતમાં આપણે કેટલા ઉણા ઉતરીએ છીએ, તેને સમજવું પડે. તે પછી બીજાની લાગણીઓને સમજવાનું આસન થઇ જાય. "હું તો બરાબર જ છું. મારી આજુબાજુમાં લોકો મારુ લોહી પી જાય છે" એવું જે માનતા હોય, તે ઈમોશનલી ઇન્ટેલિજન્ટ ના કહેવાય, Foolish કહેવાય....

No comments:

Post a Comment