Sunday, December 19, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૪

 

વિચારની ગહેરાઈનો ત્યારે જ પરિચય થાય, જ્યારે આપણે એ વિચારને શબ્દોમાં અભિવ્યક્ત કરીએ. ઇતિહાસના તમામ મહાન વિચારો- ચાહે ધાર્મિક હોય, ફિલોસોફીકલ હોય, વૈજ્ઞાનિક હોય, આર્થિક હોય, સાહિત્યિક હોય- શબ્દોમાં ઉતરીને નક્કર બન્યા હતા. મોટાભાગના લોકોને ખ્યાલ નથી કે લખવું એ માત્ર સંવાદ કે કોમ્યુનિકેશનનું માધ્યમ નથી, એ વિચાર કરવાની જ એક રીત છે. વિચાર અનિત્ય અને અસ્થાયી હોય છે. શબ્દો તેને નક્કરતામાં અંકિત કરે છે. શબ્દો વિચારના એટમને તોડીને તેની અધકચરી ઉર્જાને રિલીઝ કરે છે. ઉત્તમ રીતે વિચારતા લોકો હમેશાં તેમના વિચારોને ફરી-ફરી લખે છે, જેથી તેમનું વિચારવાનું વધુ સ્પષ્ટ અને રચનાત્મક બને. સારો લેખક એ નથી જેને સારું લખતાં આવડે છે. સારો લેખક એ છે જેને સારું વિચારતાં આવડે છે.


No comments:

Post a Comment