Saturday, December 11, 2021

વિવેકાનંદની વાણી : મણકો-૧૨

તમારી જગ્યાએ નુતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝુંપડીમાંથી, માછીમારોની  અને ઝાડુવાળાઓની ઝુંપડીઓમાંથી તેને જાગવા દયો. મોદીની દુકાનમાંથી, ધાણી-દાળિયા વેચનારાની ભઠ્હીમાંથી તેને કૂદવા દો. કારખાનાઓમાંથી અને બજારોમાંથી તેને બહાર નીકળવા દો. આ સામાન્ય જનતાએ હજારો વર્ષ સુધી એક પણ શબ્દ બોલ્યા વિના જુલમો સહ્યા છે. પરિણામે તેમનામાં અદ્ભુત સહિષ્ણુતા આવી છે. તેઓએ પાર વિનાનું દુઃખ વેઠયું છે કે જેમાંથી તેમને અખૂટ ખમીર મળ્યું છે. એક મૂઠીભર અનાજ ઉપર નભી રહીને તેઓ દુનિયાને ઉથલપાથલ કરી શકે છે. જો ફક્ત અર્ધો રોટલો જ તેમને આપો તો તેમનું તેજ ત્રણેય લોકમાં સમાશે નહિં.

વિજય મેળવવા માટે તમારામાં અદ્ભુત ખંત તથા પ્રબળ ઇચ્છાશક્તિ જોઈએ. ખંતીલી વ્યક્તિ તો કહેશે, હું સમુદ્રને પી જઈશ, મારી ઈચ્છાઓ આગળ પર્વત પણ ભાંગીને ભુક્કો થઈ જશે. આ જાતનો ઉત્સાહ, આ જાતની ઇચ્છાશક્તિ ધારણ કરો, ખૂબ મહેનત કરો અને તમે લક્ષ્યસ્થાન પર જરૂર પહોંચશો.  

No comments:

Post a Comment