Sunday, January 2, 2022

સર્જનયાત્રાનું મંથન-૩૬

સોક્રેટિસે કહ્યું હતું કે ડહાપણ એ જ્ઞાનમાં છે કે હું અજ્ઞાની છું. એનો અર્થ એ નહીં કે આપણે અજ્ઞાની બનીને બેસી રહેવાનું. એનો અર્થ એ કે અજ્ઞાનની શરમ રાખ્યા સવાલ પૂછવા જોઈએ. આપણે સવાલો નથી પૂછતા. આપણને સવાલોની શરમ આવે છે, અથવા આપણે ખોટા સવાલો પૂછીએ છીએ. 

બેવકૂફ લોકો હોંશિયાર દેખાવા માટે સવાલ નથી પૂછતા, અને દરેક બાબતના જવાબ આપવા તત્પર હોય. હોંશિયાર લોકો વધુ હોંશિયાર થવા માટે બેવકૂફ જેવા સવાલો પૂછે. સફળતમ લોકો ઉત્તમ સવાલો પૂછે છે, કારણ કે તેમનામાં જિજ્ઞાસા હોય છે. સવાલ પૂછવો કળા છે. જવાબ નહીં, સવાલ મહાન હોય છે. જવાબ કેવો છે તેનો આધાર સવાલની ગુણવત્તા પર નિર્ભર હોય છે. ઉત્તમ સવાલોથી- વ્યવસાયિક કે અંગત, સામાજિક કે માનસિક- જીવનના તમામ હિસ્સાઓમાં ગુણવત્તા આવે છે. જેટલું વધુ જાણીએ, તેટલી સમજણ વધુ વિસ્તરે. જેટલી સમજણ વધુ વિસ્તરે, જીવન જીવવાનો હુનર વધુ વિકસે.


No comments:

Post a Comment