Sunday, January 16, 2022

સર્જનયાત્રાનું મંથન-૩૮

અનાસક્તિ એટલે લાગણીશૂન્ય નહીં. અનાસક્તિ એટલે લાગણીઓના પ્રભાવમાં આવ્યા વગર નિર્ણય કરવાની ક્ષમતા. આપણે જે પણ કરીએ છીએ, વિચારીએ છીએ તે કોઈને કોઈ રીતે લાગણીઓથી પ્રેરિત હોય છે. આપણને એવો વિશ્વાસ હોય છે કે લાગણીશીલતા સચ્ચાઈ અને પ્રામાણિકતાનું પ્રતિક છે. 

આપણને લાગણીમાં જેટલી શ્રદ્ધા હોય છે, તેટલી જ શંકા તાર્કિક વિચારોમાં હોય છે. છતાં, હકીકત એ પણ છે કે સચ્ચાઈ બહુ આસાનીથી લાગણીનો શિકાર બની જાય છે. લાગણીના પ્રભાવમાં આપણે ગમે તેવા સત્યને અસત્ય અને અસત્યને સત્ય સાબિત કરી શકીએ છીએ. જઘન્ય અપરાધિઓ લાગણીઓથી પ્રેરાયેલા હોય છે. તેનો અર્થ એ નહીં કે તેમનું કૃત્ય ઉચિત છે. લાગણીઓમાં વિવેકબુદ્ધિને બુઠ્ઠી કરી નાખવાની તાકાત હોય છે. એટલા માટે લાગણીઓથી અલગાવ કરીને જોવા-સમજવા પ્રયાસ કરવો જોઈએ. ઇમોશનલ ઈન્ટેલિજન્સનું બીજું નામ અનાસક્તિ છે.....

No comments:

Post a Comment