નિશાળનું ભણતર કારકિર્દીને અનુલક્ષીને ઉચ્ચ શિક્ષણ માટે બાળકોને તૈયાર કરવા માટે હોય છે. તેમાં ઉત્તમ જીવન કેવી રીતે જીવવું તે શીખવાડવામાં નથી આવતું. મારી દ્રષ્ટિએ, પહેલા ધોરણથી લઈને બારમા ધોરણ સુધી, દરેક ધોરણમાં નીચેના વિષય અભ્યાસમાં સામેલ કરવા જોઈએ. તમે પણ કોઈ વિષય સૂચવી શકો છો. યાદ રહે કે વ્યક્તિગત જીવનને ઉત્તમ રીતે જીવવા માટેના વિષય હોવા જોઈએ.
- શરીરને પોષણ કેવી રીતે આપવું.?
- શીખવાની, જિજ્ઞાસાની
આદત કેવી રીતે કેળવવી.
- કેવી રીતે સાંભળવું, બોલવું, વાંચવું.
- સારી આદતો કેવી રીતે વિકસાવવી.
- મેડિટેશન કેવી રીતે કરવું..
- સહાનુભૂતિ કેવી રીતે કેળવવી.?
- સેલ્ફ કંટ્રોલ કેમ.?
- કરુણા કેમ.?
- સંબંધો કેવી રીતે જળવાય.
- પર્સનલ ફાઇનાન્સ એટલે શું.?
- મેન્ટલ હેલ્થ કેમ અગત્યની છે.
- ક્રિટીકલ થીંકીંગ એટલે શું.?
- સેક્સ એજ્યુકેશન કેમ અનિવાર્ય છે.
- ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે શું.?
- નૈતિકતાનું મહત્વ કેટલું ?
No comments:
Post a Comment