Sunday, May 30, 2021

સર્જનયાત્રાનું મંથન-૫



    માનવ ઇતિહાસમાં આવી ગયેલી ફ્લૂ જેવી મહામારીઓ અને કોરોનાની મહામારીમાં એક ફરક વૈજ્ઞાનિક જાણકારી અને ટેકનોલોજીની મદદનો તો છે જ, જેના કારણે આપણે બહુ ઝડપથી વાઇરસને ઓળખી શકવા અને તેની રસી વિકસાવવા સક્ષમ છીએ,બીજો ફરક એ પણ છે કે આ વખતે આપણે અંધારામાં નથી રહ્યા. 

    અંધારામાં નથી રહ્યા'નો અર્થ આખી દુનિયા ઈન્ટરનેટના માધ્યમથી જોડાયેલી રહી છે. 1918માં પ્લેગ આવ્યો ત્યારે અડધી દુનિયા અંધારામાં હતી અને માહિતી ગોકળ ગતિએ એક ખૂણેથી બીજા ખૂણે જતી હતી. તે વખતે આપણે ભૌતિક દુનિયામાં જીવતા હતા. કોરોનાકાળમાં આપણે વર્ચ્યુઅલ દુનિયામાં પણ જીવીએ છીએ, એટલે ભૌતિક દુનિયા લોકડાઉન થઈ ગઈ, તો આપણે વર્ચ્યુઅલ દુનિયામાં સક્રિય રહ્યા. વર્ચ્યુઅલ વર્લ્ડ અસલી દુનિયાનો વિકલ્પ નથી, પરંતુ વિધાર્થીઓ ઓનલાઈન ભણે, લોકો ઓનલાઈન સમાચારો-માહિતીઓ મેળવે, ઝૂમ પર મિટિંગ થાય તે 1918માં અસંભવ હતું. 2020માં ઈન્ટરનેટ અડીખમ ઉભું રહ્યું એ મોટી સિદ્ધિ છે.

    આવા સમયે આવી વાતોને સ્વીકારીને જીવનને નવા જ ઉમંગ અને ઉત્સાહ સાથે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાને ગમતા કામ શીખવા અને એમાં જ જીવનને માણવાનો આનંદ ઉઠાવવો એ જ હકારાત્મક વાત આ બીમારીના મહોલમાંથી સમજવા જેવી લાગે છે. 

(વોટ્સએપ પરથી.. )

No comments:

Post a Comment