Sunday, May 23, 2021

સર્જનયાત્રાનું મંથન-૪

એક સભ્યતા તરીકે આપણું પતન કોઈ દુશ્મનના હાથે નહીં થાય. આપણું પતન આપણે ત્યાં આવનારી પેઢીને જે અજ્ઞાન અને નોનસેન્સ ભણાવવામાં આવે છે તેના કારણે થશે. જેમ માણસની બૌદ્ધિક ક્ષમતાને ઓછી આંકવા જેવી નથી, તેવી રીતે આપણી બેવકૂફીની તાકાતને પણ કમ આંકવા જેવી નથી. ઘણીવાર આપણે એટલી સ્પીડમાં પાછળ જતા હોઈએ છીએ કે આપણને એવો ભ્રમ થઈ જાય કે આપણે બધા કરતાં ઝડપથી ક્યાંક જઈ રહ્યા છીએ. જો કોઈ બેવકૂફ સૌથી વધુ જોખમી હોય, તો તે ભણેલો બેવકૂફ છે. ભણેલા બેવકૂફો સમાજમાં તેના જેવા બેવકૂકોને પ્રેરણા આપે છે એટલું જ નહીં, તેને એવી શંકાય નથી પડતી કે એ જે બોલે કે કરે છે તે નકરી બેવકૂફી છે.

21મી સદીમાં મોટાભાગની વિકસિત દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ જઈ રહી છે, ત્યારે આપણે બધા આર્ટિફિશિયલ સ્ટ્યૂપિડિટીનું સર્જન કરી રહ્યા છીએ. આ આધુનિકતાની દોડમાં માનવ પ્રગતિ ઘણી કરશે એવું લાગે છે પરંતુ એક સજ્જન માણસ તરીકે ઘણો પછાત રહી જશે, કે જેનામાં માનવીય સંવેદનાઓ મરી પરવારી હશે પછી ગમે તેવા રોબોટ પણ કામ નહિ આવે.

No comments:

Post a Comment