કોઇપણ માણસને એક વિષયમાં પારંગત બનાવવો એ પૂરતું
નથી. તેથી તે એક ઉપયોગી યંત્ર બને છે, પણ
સર્વાંગી વ્યકિતત્વ પ્રાપ્ત કરી શકે નહી. એ માટે તો દરેક વિધાર્થીએ
મૂલ્યોને માટે સાચી સમજણ અને જીવંત ઊર્મિ કેળવવા જરુરી છે. નવી ઊગતી પેઢીને જે
શિક્ષણ આપવાનું કાર્ય કરે છે તેવા વિદ્યાવાચસ્પતિઓના વ્યકિતગત સંપર્ક દ્વારા જ આ
કાર્ય થઇ શકે છે, જે પાઠયપુસ્તકો વડે ક્યારેય
પણ થાય નહિ.
હરિફાઇની પ્રગતિ અને તરત
જ ઉપયુકત બની શકે એવા હેતુવાળા અપરિપકવ નિષ્ણાતીકરણ પર અજુગતો ભાર મૂકવાથી તો જેના
પર આ સાંસ્કૃતિક જીવનનો આધાર છે તેના જ આત્માનો નાશ થાય છે. જીવંત કેળવણી માટે એ
જરુરી છે કે નવા ઊગતા માનવમાં સ્વતંત્ર વિવેકશકિતનો વિકાસ થાય. આજે તો તેના પર જ
ઘણા વિષયોનો ભાર નાખીને આ મૂળભુત મૂલ્યોનો જ ભોગ આપવામાં આવે છે.
દરેક બાળકોને શિક્ષણ તો એવું હોવું જોઇએ કે તેને જે કાંઇ આપવામાં આવે તે તેને મૂલ્યવાન બક્ષિસ લાગવી જોઇએ નહિ કે કડવી ફરજ.
No comments:
Post a Comment