Sunday, August 29, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૮

અણુ (એટમ)ની ભીતર 99.9999999999996% ખાલી અવકાશ હોય છે. અણુ જો પૃથ્વી જેટલો હોય, તો તેના કેન્દ્રમાં આવેલો પ્રોટોન 600 ફૂટની જગ્યા રોકે. બાકીની જગ્યા ખાલીખમ હોય.  એનો અર્થ એ થયો કે બ્રહ્માંડમાં જે પણ ચીજ પદાર્થ સ્વરૂપે છે, તે લગભગ શૂન્ય છે. 

શરીરથી લઈને સૂરજ-ચંદ્ર શૂન્યમાંથી શરૂ થાય છે. એ શૂન્ય શેનું બનેલું છે? શૂન્ય જેવું કશું હોય છે ખરું, કે પછી એક સીમા પછી જોવા-સમજવા માટે આપણી આંખોમાં એક મર્યાદા આવી જાય છે? કશાનું ન હોવું 'હોવું' કેવી રીતે કહેવાય? આઈન્સ્ટાઈને કહ્યું હતું કે અણુ એનર્જી છે, જે કણ કે તરંગ (વેવ-પાર્ટીકલ થિયરી)  વચ્ચે નિરંતર તબ્દીલ થતો રહે છે. આપણે જ્યારે અણુનો અભ્યાસ કરીએ, ત્યારે એક અણુ બીજા અણુને સમજવાની કોશિશ કરતો હોય. આ શક્ય છે? એ અર્થમાં આપણે જ બ્રહ્માંડ છીએ અને આપણે જ આપણને જોઈએ છીએ...

જે. કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું :- Observer is the observed.

No comments:

Post a Comment