Tuesday, August 24, 2021

સર્જનયાત્રાનું મંથન-૫૨

        

        એક હકારાત્મક અભિગમની સાથે જીવનને ઉન્નતિના માર્ગે લઇ જવા માટે આપણે સૌ સાથે મળીને એક શ્રેષ્ઠ જીવન જીવવા માટે કટિબદ્ઘ બનીએ. આપણા પરિવારજનો સાથે મહત્તમ સમય વિતાવીએ અને એમની સાથે તાદાત્મય સદાય અકબંધ રહે તે માટે એમને સહયોગ કરીએ.

     એક શ્રેષ્ઠ જીવન ઘણા બધા સંઘર્ષોથી ઘેરાયેલુ અને અનુભવોથી ઘડાયેલુ હોય છે. આપણા વડીલોની પાસે બેસીને એમના અનુભવોને વર્તમાન સમયની સાથે વણવાનો એક નવીન પ્રયાસ કરીએ તો શકય છે કે જીવનને ઓર બહેતર બનાવી શકાશે. આપણા વડીલોને પણ એમના લાડકાઓની હુંફ મળશે તો એમના આર્શીવાદ પ્રાપ્ત થશે. સતત ટેકનોલોજીના વાતાવરણમાં આપણે સૌ ઘેરાતા જઇએ છીએ ત્યારે શકય એટલો થોડો સમય પોતાના જીવનને પણ આપીએ અને એના માટે પણ ચિંતન-મનન કરીએ. આપણી આવનારી પેઢીને એક ઉત્તમ વારસો આપવા માટે સતત કાર્યશીલ રહીએ.

     આપણી વર્તમાન અને આવનારી પેઢીને શ્રેષ્ઠ બનાવવા માટે એક ઉત્તમ વિચાર રજૂ કરવાનો મને આનંદ થાય છે કે એક સર્વોત્તમ જીવન માટે સારા વિચારો ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ વિચારો પ્રગટ કરવા માટે આવતી પેઢીને વાંચનનો વારસો આપવા માટે પ્રેરિત થઇએ. શું તમે કયારેય પણ વિચાર કર્યો છે કે જીવનમાં વાંચન કેવી ભૂમિકા ભજવે છે? વાંચન થકી જ જીવન માટે ચિંતન-મનન કરવાનો અવસર મળે છે. વાંચન વિના આપણી વિચારસરણી માત્ર અમુક હદ સુધી જ પરિસીમિત રહી જાય છે. આપણી પોતાની માન્યતાઓને નવી દિશા અને જીવનને વિશાળતા આપવામાં વાંચન ખુબ જ મદદરૂપ થાય છે.

No comments:

Post a Comment