Wednesday, August 11, 2021

વિવેકાનંદની વાણી : મણકો-૮

 

 “ માં ! માં ! હું આવી ગયો માં ! ”

         જગદંબા મહાકાલીની મૂર્તિ સામે પડછંદ કાયા ધરાવતો એક જુવાન ઊભો છે. ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે અને તેના તે વસ્ત્રો પરથી આ યુવાન ઘણી મુસાફરી કરીને આવ્યો હોય એવું લાગે છે. આમ છતાં પણ તેના મુખ પર અજબની ચમક અને ગજબની કાંતિ હતી. તેની આંખોમાં સૂર્ય સમાન ચમકારો હતો, જે સૂરજભાણને પણ ઓગાળી શકવા સક્ષમ છે. તેના વાળ અસ્તવ્યસ્ત અને ચહેરા પર દાઢી વધેલી જણાતી હતી.

         બંને હાથને નમસ્કારની શૈલીમાં રાખીને આ નવજુવાન મહાકાલીની મૂર્તિ સમક્ષ એક નજરે જોઇને તાકી રહે છે. થોડીવાર પછી તેની ચમકતી આ આંખોમાં ચંÙ સમી શીતલતા વ્યાપે છે. તેની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગે છે. માં ! માં બોલતો બોલતો આ યુવાન દોડીને મૂર્તિના ચરણોમાં પડી જાય છે. તેના હ્યદયનો ભાવ આંખોથી છલકાઇ રહ્યો છે. થોડીવાર બાદ તે સ્વસ્થ થઇને ઘુંટણભર બેસે છે. એકપણ પલના પલકારા વિના એકીટશે તે આ મૂર્તિમાં ભાવવિભોર બની જાય છે.

         ટન...ટન.. જેવો મંદિરના ઘંટનો પવિત્ર નાદ થવાની સાથે જ તેની આ સમાધિ અવસ્થાનો ભંગ થાય છે. ફરી દંડવત કરીને આ યુવાન પોતાના ચહેરાના ભાવને છુપાવતો તે ત્યાંથી અનેકગણી ઉર્જા અને સ્નેહસભર ઉત્સાહ અને ઉમંગ લઇને નીકળે છે. પોતાના મનમાં ભારતની આ પવિત્ર ભોમકાને ઉજાળવાના એક અટલ વિશ્વાસની સાથે જ પોતાના મનમાં એક ગાંઠ બાંધતો જાય છે. ડગલે ને પગલે તેના મનમાં ભારતની એક પવિત્ર આધ્યાત્મિક છબી બનાવતો જાય છે. તેના મનમાં એક અભિનવ ભારતના સપનાઓ ઉજાગર કરતો જાય છે. આ યુવાન એટલે આપણા સ્વામી વિવેકાનંદ.

         આપણે પણ ભારતીય ભોમના આ શૂરવીર સંતાનના પવિત્ર અને ઉચ્ચત્તમ કક્ષાના વિચારોને અપનાવીનેે જીવનને ઉન્નત બનાવવાની સાથે વિશ્વફલક પર ભારતને ઉજાગર કરીએ. ભારતમાતા કી જય..ભારતમાતા કી જય.

No comments:

Post a Comment