એકલતાની લાગણીમાંથી છૂટવા માટે સંબંધમાં વ્યસ્ત થઈ જવું, એ ભૂખ લાગી હોય તો ફાસ્ટ ફૂડ ખાઈ લેવા જેવું છે. એમાં પેટ તો ભરાઈ જાય, પણ પોષણ ન મળે. કોઈ પ્રેમ કરે એટલે એ ઇન્ટિમસી પણ લાવે તે જરૂરી નથી. પ્રેમ આકર્ષણ છે. ઇન્ટિમસી ઘનિષ્ઠતા અને નિખાલસતા છે. બન્ને અલગ બાબતો છે. બધું અનુકૂળ હોય, ત્યારે પ્રેમ એકલતા ઓછી કરતો નજર આવે, પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં એ જ પ્રેમ એકલતા વધારી પણ દે. બીજી વ્યક્તિનો પ્રેમ કન્ડિશનલ હોય છે. એની જરૂરિયાત પણ હોય છે. આજે એનો જે વ્યવહાર છે, તે કાલે ન પણ હોય. એકલતાનો ઉપાય બીજી વ્યક્તિમાં નથી, ખુદમાં છે.
જીવનની પાંચ નક્કર હકીકતો....
1. સારું અને ખરાબ એ વ્યક્તિગત માન્યતા છે.
2. કોઈપણ ચીજમાંથી સ્થાયી સંતોષ ન જ મળે.
3. મનનું મુખ્ય કામ અનુકૂળ ભ્રમ પેદા કરવાનું છે.
4. પીડા અને ઈચ્છા એક જ સિક્કાની બે બાજુ છે.
5. આપણને સુખનું વ્યસન છે....
No comments:
Post a Comment