Sunday, July 4, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૦

        

      જે સમાજની પાસે સપનાં ઓછાં અને સ્મૃતિઓ વધુ હોય છે, તે તેની દરેક સમસ્યાઓનાં સમાધાન ભૂતકાળની ભવ્યતામાં શોધે છે. લોકો જ્યારે વર્તમાનમાંથી ગૌરવ લેવાનું ટાળીને અતીતને વાગોળતા થઈ જાય, ત્યારે આજુબાજુની દુનિયા અંગેનો તેમનો દ્રષ્ટિકોણ દૂષિત થઈ જાય, અને પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે તેઓ અનાવશ્યક રીતે નકારાત્મક થઈ જાય છે. અતીતની સારી બાબતોની ખુશી હોવી ખરાબ નથી, પરંતુ એ જ્યારે સમાજની સાર્થકતાનો આધાર બની જાય, ત્યારે તે આપણને વર્તમાનને સ્વીકારવા અને ભવિષ્યના ઘડતર માટે માયકાંગલા બનાવી દે છે. 

        સ્મૃતિઓ અદાલતમાં સાક્ષી જેવી છે. તે સત્ય, પૂરું સત્ય અને માત્ર સત્ય પેશ નથી કરતી. સ્મૃતિઓ ત્રુટીપૂર્ણ હોય છે. તેની ઉલટતપાસ કરતા રહેવું પડે.તેની વિસંગતાઓ દૂર કરતા રહેવું પડે. જે સમાજ તેના ઇતિહાસમાં ન જીવતો હોય તે જ સાર્થક ભવિષ્ય ઘડી શકે. એક વ્યક્તિ માટે પણ આ સાચું છે. આવનાર સમય પોતાની આવડત અને ઈમાનદારી જેવા ગુણ આધારિત કાર્યપદ્ધતિનો આવશે ત્યારે માત્ર પોતાની જૂની જડ માન્યતાઓ થકી કોઈપણ સમાજ ટકી શકવાનો નથી. 

        હવે તો સમાજની પરિભાષા નવેસરથી વિચારવાનો સમય પાકી ગયો છે. પૈસાના જોરે પોતાની બધી જ બાબતોને સત્ય બતાવવાનો પ્રયાસ કરનારનું કોઈ ભવિષ્ય નથી. સમાજમાં દરેક વ્યક્તિને સમાન મહત્વ આપીને સહભાગી થવા દેવામાં આવશે તો સમગ્ર સમાજની પ્રગતિ થશે. બાકી પૈસાના જોરે ઘણીવાર પાપ વધી જાય પરંતુ પ્રગતિ થતી જ નથી. 

No comments:

Post a Comment