Sunday, July 18, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૨

 

ઘેલછા સમાજના સાધારણ વર્ગમાંથી ન આવે. એ વર્ગને જીવન ટકાવી રાખવાની ચિંતા હોય. તેને ખુદનું નુકશાન થાય તેવું આચરણ ન પોષાય. સમાજના તળિયેથી જે આવે તે ક્રાંતિ હોય. ઘેલછા સમાજના ઉપરના સત્તાધારી, ધનવાન, એલિટ વર્ગમાંથી આવે, કારણ કે તેને સર્વાઇવલની ચિંતા નથી હોતી. તેની ફિકર સત્તાની હોય છે. દુનિયાના કોઈપણ સમાજનો ઇતિહાસ તપાસી લેજો, સમાજનો એલિટ વર્ગ જ્યારે સાધારણ વર્ગ પર હાવી થઈ જાય, ત્યારે તે સમાજમાં દરેક પ્રકારનાં ગાંડપણ શક્ય થઈ જાય છે. એલિટ વર્ગ સાધારણ વર્ગને કેવી રીતે વશમાં કરે? તેના વિચારો અને લાગણીઓનો દોર પોતાના હાથમાં રાખીને.

No comments:

Post a Comment