Sunday, July 11, 2021

વિવેકાનંદની વાણી : મણકો-૭

 

        સ્વામી વિવેકાનંદ એટલે ભારતીય ભૂમિની અનમોલ ધરોહર અને વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર આપણા એક મહાન વિભૂતી. આ વિવેકાનંદ નાનપણથી જ ખુબ જ હોશિયાર અને વિવેકી હતા. જે કોઇ વસ્તુ વિશે જાણવાની જીજ્ઞાસા જાગે તેના માટે તેઓ કોઇપણ આકરી પરીક્ષા આપવા માટે કે સંકલ્પ કરવા માટે પણ તૈયાર થઇ જતા હતા. દ્યર્મ અને સત્યની તેઓ સાદ્યના પણ, જે દ્યર્મ કોઇ ગરીબના દુ:ખના મટાડી શકે કે કોઇ વિધવાના આંસુઓ લુંછીના શકે તો તેઓ તેમને માનતા નહોતા. હંમેશા તેઓ બીજાની તકલીફો વિશે ચિંતન મનન કરતા રહેતા હતા.

        તેઓ લાચારી અને માંયકાંગલાઓ જેવી વૃતિઓ વાળા માટે કહે છે કે આપણા આ ભારતદેશમાં જો કેટલાકને મોઢામાં કોળિયો જમાડી દેવામાં આવે તો તેઓ પોતાના હાથથી એટલું પણ કષ્ટ લેવા તૈયાર નથી. આપણા જ આ યુવાનોએ સ્વાશ્રયી બનવાની ખુબ જ જરુર છે. જે કામ હું કોઇ બીજા માટે કરવા માટે જો તૈયાર ન હોવ તો મને કોઇ હક નથી કે હું એમની પાસે મારુ કામ કરાવી લઉં, આવું વિવેકાનંદ હંમેશા કહેતા અને પોતાના આચરણથી પણ સમજાવતા હતા. તે સપષ્ટપણે વાત કરતા કે બીજા કોઇ એટલે કોઇ તમારી મદદ કરી શકે જ નહીં જો તમે જાતે જ તમને મદદ ના કરો તો. કોઇ પણ આપદા કે ગમે તેવી મોટી મુશ્કેલીઓ ભલે આવી જાય પણ આપણા સ્વયં સિવાય કોઇ આપણો બેડો પાર લગાવી શકે જ નહીં.

No comments:

Post a Comment